________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૧ – ગાથા-૪૩
पडिपुण्णजोव्वणगुणो, जह लज्जइ बालभावचरिएण । कुणइय गुणपणिहाणं, अणागयसुहोवहाणत्थं ।। ४३ ।। (प्रतिपूर्णयौवनगुणो, यथा लज्जति बालभावचरितेन । જોતિ ચ મુળપ્રાિધાનં, અનાગતમુોપધાનાર્થમ્ ॥ ૪રૂ ૫)
૯૧
ગાથાર્થ - સંપૂર્ણ પણે પ્રાપ્ત કર્યા છે યૌવનાવસ્થાના ગુણો (ભાવો) જેણે એવો પુરૂષ જેમ બાલ્યાવસ્થાની ચેષ્ટા વડે શરમાય છે અને અનાગત (ભાવિ) અવસ્થાનાં સુખ મેળવવા માટે ગુણોની ઇચ્છા કરે છે. (તેથી દ્રવ્ય પર્યાય એમ ઉભયાત્મક પદાર્થ છે અને તે ત્રિપદીમય છે.) ॥ ૪૩ ॥
વિવેચન - ઉપરની ૪૨ મી ગાથામાં કહેવામાં આવ્યું છે કે “જે દ્રવ્ય જ્યારે જેવું ઉપસ્થિત છે. તે દ્રવ્ય તેવું જ છે” આ પ્રમાણે એકાન્ત પર્યાયાર્થિકનય પોતાનામાં જ પરિપૂર્ણ વસ્તુસ્વરૂપ માની લેતો હોવાથી અને ભૂત-ભાવિના પર્યાયોની સાથે અનુસંધાનવાળા મૂલભૂત દ્રવ્યનો અપલાપ કરતો હોવાથી, તે પર્યાયાર્થિક નયની જે દેશના છે, તે જૈનદર્શનની પ્રરૂપણા નથી. એકાન્તતાવાળી એક નયની દેશના હોવાથી વીતરાગની વાણી નથી.
જેમ કે પૂરેપુરી ખીલેલી છે યુવાવસ્થા જેમાં એવો યુવાવસ્થામાં આવેલો એક પુરૂષ છે. તે પુરૂષમાં ગુણ-દોષની, સારાસારની અને લાભ-નુકશાનની પરીક્ષા કરવા જેટલી બુદ્ધિ જ્યારે વિકાસ પામેલી થાય છે, ત્યારે તેને પોતાની બાલ્યાવસ્થામાં કરેલી પોતાની ભૂલો સ્મૃતિગોચર થાય છે અને તે ભૂલોથી તે પુરૂષ લજ્જા પામે છે. અને મનમાં ને મનમાં એકલો વિચાર કરે છે કે અરે ! બાલ્યાવસ્થામાં મેં આ શું કર્યું ? કેવી કેવી ભૂલો કરી ? મનમાં પસ્તાય છે. અન્ય જે વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનું અનુચિત કાર્ય કર્યું હોય છે, તે વ્યક્તિને જોતાં જ શરમાઈ જાય છે. મુખ છુપાવે છે. આ પ્રસંગ, ભૂતકાલના જીવન સાથે વર્તમાનકાળનું અનુસંધાન સાબિત કરે છે.
તથા તે જ યુવાવસ્થાવાલો પુરૂષ, પોતાની ભાવિ અવસ્થા વધુ ને વધુ સુખમય બને તે માટે ગુણો મેળવવા પ્રેરાય છે. આ પ્રસંગ ભાવિના જીવન સાથે અનુસંધાન સિદ્ધ કરે છે. આ રીતે યુવાવસ્થામાં ભૂતકાલના દોષસ્મરણથી થતી લજ્જા, અને ભાવિ સુખની આશામાંથી પ્રગટ થતી ગુણરૂચિ, આ બન્ને યુવાવસ્થામાં વર્તતા પુરૂષનો ભૂત અને ભાવિની અવસ્થા સાથે સંબંધ સિદ્ધ કરે છે. કારણ કે યુવાવસ્થામાં વર્તતો આ જ પુરૂષ, જો ભૂતકાલીન બાલ્યાવસ્થામાં ન હોત (અને તેમાં બીજો જ પુરૂષ હોત) તો, અથવા ભૂતકાલીન બાલ્યાવસ્થામાં આ જ પુરૂષે ભુલો ન કરી હોય (અને તે ભુલો બીજા જ પુરૂષે કરી હોય) તો અત્યારે આ પુરૂષ શા કારણે શરમાય ? તેને લજ્જા-ગ્લાનિ થવાનું શું કારણ ? જો બન્ને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org