SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ કાષ્ઠ-૧ – ગાથા-૩૬ થી ૪૦ સન્મતિપ્રકરણ આ પ્રમાણે પ્રથમ મૂલભૂત બે ભાંગા થાય છે. ત્યારબાદ આ જ બન્ને સ્વરૂપોને એકી સાથે યુગપNણે (અક્રમે) જો કહેવા જઈએ, તેનું નિરૂપણ કરવા જઈએ, તો બન્ને સ્વરૂપોનો એકી સાથે વાચક એવો કોઈ શબ્દ નહીં હોવાથી શબ્દ દ્વારા તેનું નિરૂપણ કરવું અશક્ય છે તે માટે વસ્તુનું સ્વરૂપ યુગપલ્પણાની અપેક્ષાએ કથંચિ અવક્તવ્ય પણ છે જ. આ ત્રીજો ભાંગો થયો. ત્યારબાદ શેષ ભંગચતુષ્ટય તો પરસ્પરના મીલનથી પૂર્વની જેમ સ્વયં સમજી લેવા. પ્રથમ ભંગ આત્માના નિયત્વને પ્રગટ કરે છે અને બીજો ભંગ આત્માના અનિયત્વને પ્રગટ કરે છે. હવે જો આત્મદ્રવ્યમાં કેવલ એકલું નિત્યત્વ હોય તો બીજો ભંગ મિથ્યા ઠરે, અને જો કેવલ એકલું અનિત્યત્વ જ હોય તો પ્રથમ ભંગ મિથ્યા ઠરે. પરંતુ વસ્તુનું સ્વરૂપ તેવું એક ધર્મવાળું નથી. દ્રવ્ય-પર્યાય એમ બન્ને હોવાથી નિત્ય અને અનિત્ય એમ બન્ને છે. તેથી સિદ્ધ થાય છે કે જે નિત્યત્વ છે તે પણ અનિત્યત્વની સાથે સાપેક્ષ છે. અને જે અનિત્યત્વ છે તે પણ નિયત્વની સાથે સાપેક્ષ છે. આ બન્ને નયોનાં વિધાનો વાસ્તવિક સાચાં તો જ કહી શકાય કે જો પરસ્પર તે બાધિત ન હોય (એક બીજાનાં અવરોધક ન હોય). તેથી આત્મદ્રવ્યમાં નિત્યતા અને અનિત્યતા એમ બન્ને સાપેક્ષપણે અવશ્ય છે જ. એવી જ રીતે શેષ સકલ દ્રવ્યોમાં પણ નિત્યતા અને અનિત્યતા બન્ને નયભેદની અપેક્ષાએ સાથે જ રહેલી છે. આ આત્માએ બાલ્યાવસ્થામાં જે જે સારી-નરસી ચેષ્ટાઓ કરી છે તે યુવાવસ્થામાં સ્મૃતિગોચર થાય છે અને ભાવિમાં સુખી થવાની ઈચ્છાથી તેમાં થયેલી ભૂલોને સુધારે છે. એવી જ રીતે વૃદ્ધાવસ્થામાં સુખી થવાની ભાવનાથી યુવાવસ્થામાં ધનોપાર્જનાદિ કરે છે. આમ પૂર્વાપરના અનુસંધાનવાળું આત્મ દ્રવ્ય હોવાથી આ આત્મદ્રવ્ય દ્રવ્યરૂપે નિત્ય (શાશ્વતધ્રુવ) છે એમ સિદ્ધ થાય છે. છતાં પ્રતિસમયે કંઈક ને કંઈક અવસ્થા બદલાતી જતી હોવાથી આ આત્મદ્રવ્ય તે પર્યાયની અપેક્ષાએ અનિત્ય (અશાશ્વત-ઉત્પાદવ્યયવાળું) પણ છે. આ રીતે મૂલભૂત દ્રવ્યની અપેક્ષાએ નિયત અને પર્યાયભેદની અપેક્ષાએ અનિત્યત્વ જો તે દ્રવ્યમાં માનવામાં આવે તો તેવું સ્વરૂપ તે દ્રવ્યમાં હોવાથી પહેલો અને બીજો ભાંગો સાચા ઠરે છે. તેને અનુસારે શેષ પાંચ ભાંગા પણ સાચા ઠરે છે). પણ જો દ્રવ્યપણે અનિત્યત્વ અને અવસ્થાભેદથી નિયત્વ સમજવામાં કે સમજાવવામાં આવે અથવા એકાન્ત નિત્ય જ છે કે એકાન્ત અનિત્ય જ છે. આમ જો સમજવામાં કે સમજાવવામાં આવે તો તેવું સ્વરૂપ પદાર્થમાં ન હોવાથી આ બન્ને ભાંગા અસત્ય ઠરે છે. જે રીતે સ્વરૂપ છે તે રીતે જ જો પદાર્થનું સ્વરૂપ સમજવામાં અને સમજાવવામાં આવે તો જ તે યથાર્થવાદ છે. એક જ દ્રવ્યમાં નિયત્વ અને અનિત્યત્વ સમજવામાં ઉપરછલ્લો પરસ્પર વિરોધ દેખાય, પરંતુ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયથી બન્ને વિધાનો વિરોધ વિનાનાં છે. યથાર્થ છે. સાચાં છે અને કોઈ પણ જાતની શંકા વિનાનાં છે. જુદી જુદી દૃષ્ટિની અપેક્ષાવાળાં હોવાથી ખરી રીતે બન્ને વિધાનો પરમાર્થથી અવિરોધી જ છે. આવી અપેક્ષાવિશેષ ધ્યાનમાં લેવા માટે જ મતિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy