SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ કાર્ડ-૧ – ગાથા-૩૬ થી ૪૦ સન્મતિપ્રકરણ એમ ત્રણે ભાંગા મેળવીએ તો સાતમો ભાંગો થાય છે. આ ચારે ભાંગા હવે પછીની ૩૭ થી ૪૦ ગાથામાં સમજાવે છે. || ૩૬ // (૪) કોઈ પણ પદાર્થમાં પરદ્રવ્યાદિની અપેક્ષાએ અનંત પ્રકારનું નાસ્તિત્વ પણ છે. અને સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અનંત પ્રકારનું અસ્તિત્વ પણ અવશ્ય છે. એમ બન્ને ભેગું મળીને પદાર્થનું પૂર્ણ સ્વરૂપ બને છે. પદાર્થના પરિપૂર્ણ એવા તે સ્વરૂપમાંથી મદ રે સમાવે = સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુના સ્વરૂપનો પ્તિ આત્મક જે એક ભાગ છે, અસ્યાત્મક જે સ્વરૂપ છે. તે સ્વરૂપ પરિપૂર્ણ સ્વરૂપનો એક ભાગ (એક દેશ) કહેવાય છે. તેથી મૂલગાથામાં તેનો શબ્દ લખેલ છે. આ રીતે વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપમાંથી પ્રસ્થાત્મિવા એક ભાગને=એક દેશને સદ્ભત રૂપે વિચારીએ અને તેની સાથે જ તેમાં જ રહેલું તેસીડસન્માવે fUTયમો = નાસ્યાત્મક બીજા એક ભાગ રૂપે જે નાસ્તિ સ્વરૂપ રહેલું છે, તે પણ અવશ્ય અંદર છે. એમ સમજીને કાળની અપેક્ષાએ ક્રમસરપણે વિચારીએ તો તે વિયસ્થિ Wિ ય = તે જ દ્રવ્ય મતિ - રાપ્તિ એમ ઉભયભાવવાળા ચોથા ભાંગાવાળું પણ બને છે. નડ્ડા = કારણ કે ગ્રાવિસિયં = તે જ દ્રવ્ય આદેશથી (વિવક્ષા વિશેષથી) વિશેષિત (નવા ભાંગાવાળું) પણ અવશ્ય બને જ છે. ઉપરા-ઉપરથી વિરોધી લાગતા બે ભાવોને જો જુદી જુદી વિવક્ષાએ ક્રમસર વિચારીએ તો તે જ દ્રવ્ય અસ્તિ-નાસ્તિ રૂપ પણ ચોક્કસ છે જ. . ૩૭ // (૫) ઉપરના ચાર ભાંગા વિસ્તારથી સમજાવ્યા પછી હવે પછીના શેષ રહેલા ત્રણ ભાંગા સુખબોધ હોવાથી અમે અહીં વધારે વિસ્તાર કરતા નથી. ઉપરની સમજાવેલી રીત પ્રમાણે જ સમજી લેવાના છે. સંભવે ફિક્કો રેલો, વસ્તુમાં રહેલા અસ્તિ-નાસ્તિ રૂપ પરિપૂર્ણ સ્વરૂપમાંથી અત્યાત્મ એક ભાગ રૂપ સદ્ભાવપણાનું જ સ્વરૂપ છે તેને પ્રથમ વિચારીને ત્યારબાદ તેનો ય સમય ન = દ્રવ્યનો યુગ૫દ્ રૂપે ઉભયાત્મક સ્વરૂપવાળો જે બીજો અવક્તવ્ય નામવાળો ભાગ છે તેને નજરમાં લઈને (વિચારીએ) તો તે સ્થ ઝવત્તત્રં ચ હોટ્ટવિયં વિથMવસા = તે જ દ્રવ્ય આવા પ્રકારના વિકલ્પના વશથી (વિવક્ષા કરવાના વશથી) અસ્તિ-અવક્તવ્ય પણ અવશ્ય બને જ છે. અહીં એક ખુલાસો કરવો આવશ્યક લાગે છે કે ૩૭ થી ૪૦ ગાથામાં જ્યાં જ્યાં દેશ શબ્દ વાપરેલો છે ત્યાં ત્યાં દેશનો અર્થ “વસ્તુનો એક ભાગ” એમ ન કરતાં “વસ્તુના પરિપૂર્ણ અખંડ સ્વરૂપનો એક ભાગ” આવો અર્થ કરવો. કારણ કે ઘટ નામના પદાર્થનો કોઈ એક ભાગ (ધારો કે કાંઠલાવાળો ઉપરનો ભાગ) અસ્તિરૂપ છે. અને (પીઠિકા રૂપ બીજો) એક ભાગ નાસ્તિરૂપ છે. આવો અર્થ ન કરવો. કારણ કે આખો ઘટ અસ્તિ-નાસ્તિ ઉભયાત્મક છે. માટે અસ્તિ-નાસ્તિ એમ ઉભયાત્મક એવું પરિપૂર્ણ જે વસ્તુસ્વરૂપ છે. તે વસ્તુસ્વરૂપમાંનો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy