________________
૮૨ કાષ્ઠ-૧ – ગાથા-૩૬ થી ૪૦
સન્મતિપ્રકરણ તથા જો આગળ “સ્યા” શબ્દ ન જોડવામાં આવે અને પાછળ વ શબ્દ લગાડવામાં આવે તો જેમ કે બળેવ આટલું જ કહેવામાં આવે તો અપેક્ષાવાળો થાત્ શબ્દ નીકળી ગયો હોવાથી અને એકાન્તવાદનો સૂચક વ શબ્દ અંદર આવેલો હોવાથી આ જ બધાં વાક્યો દુર્નયવાક્ય (મિથ્યાષ્ટિનાં વાક્યો) કહેવાય છે. આ રીતે થાત એ પ્રમાણવાક્ય, ચીચેવ એ નયવાક્ય અને કેવળ મચેવ આ દુર્નયવાક્ય સમજવાં. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીએ અન્યયોગવ્યવચ્છેદિકામાં કહ્યું છે કે
सदेव सत् स्यात्सदिति, त्रिधार्थो मीयेत दुर्नीतिनयप्रमाणैः । यथार्थदर्शी तु नयप्रमाणपथेन दुर्नीतिपथं त्वमास्थः ।। २८ ।।
“સવ”, “સ” અને “ ' આવી રીતે ત્રણ પ્રકારે પદાર્થ દુર્નય-નય અને પ્રમાણ વડે જણાય છે. પરંતુ હે વીતરાગ પ્રભુ ! યથાર્થદર્શ એવા તમે નય અને પ્રમાણનો માર્ગ બતાવવા દ્વારા દુર્નયનો માર્ગ ઉખેડીને ફેંકી દીધો અર્થાત્ દૂર કર્યો.
પ્રાસંગિક કેટલીક વાત સમજાવીને હવે ગત અને નાત ઉપરની સપ્તભંગી વધારે સ્પષ્ટપણે સમજાવાય છે -
(૧) fથëિ ય = નિજક = પોતાના ધર્મો વડે તે સઘળા પણ પદાર્થો તિરૂપ છે. સત્ રૂપ છે. વિદ્યમાનાત્મક છે. જેમ કે વિવક્ષિત એવો જે ઘટ છે તે ઘટ સ્વરૂપે અસ્તિ છે. જલાધાર સ્વરૂપે અસ્તિ છે. આ નાતિ અને ગતિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને આશ્રયી વિચારવામાં આવે છે. અમદાવાદમાં શિયાળામાં બનાવેલો માટીનો એક કાચો ઘટ છે. હજુ - પકવ્યો નથી. તે દ્રવ્યથી માટી દ્રવ્યનો બનાવેલો વિચારીએ તો સત્ છે. પરંતુ સોનાનાતાંબાના કે પિત્તળ દ્રવ્યના બનાવેલા ઘડાની જેને જરૂર છે તેને આ ઘટ કામ આવવાનો નથી. એટલે આવા પ્રકારના પરદ્રવ્યને આશ્રયી તે ઘટ નાસ્તિ સ્વરૂપ પણ છે. આ દ્રવ્ય આશ્રયી વિચાર થયો. તથા અમદાવાદમાં બનાવેલાપણે વિચારીએ તો તે સત્ છે. પરંતુ સુરતવડોદરા-વાપી કે મુંબઈમાં બનાવેલા ઘટની જેને જરૂર છે તેના માટે આ ઘટ કામનો નથી. તેથી તે તે ક્ષેત્રને આશ્રયી આ ઘટ નાસ્તિરૂપ પણ છે. આ ક્ષેત્ર આશ્રયી વિચાર થયો. તથા શિયાળામાં જ બનાવેલો ઘટ જેને જોઈએ તેને આ કામ આવવાનો છે અને શિયાળામાં બનાવેલાપણું તે ઘટમાં છે. તે માટે શીતઋતુજન્યત્વધર્મ વડે તે ઘટ “ક” છે. પરંતુ ગ્રીષ્માદિ અન્યઋતુજન્યત્વધર્મ તેમાં નથી તેથી તે ધર્મને આશ્રયી તે ઘટ “નાર્તિરૂપ" એટલે અસત્ પણ છે. આ કાલ આશ્રયી વિચાર થયો. આવી જ રીતે કાચા ઘડાપણું - કાળા ઘડાપણું તેમાં છે. તેથી તેવા ભાવની અપેક્ષાએ તે ઘટ અસ્તિ સ્વરૂપ છે. પરંતુ પક્વઘટપણેરક્તઘટપણે તે જ ઘટ નાસ્તિ સ્વરૂપ પણ છે. આ રીતે સર્વે પણ પદાર્થો પોતાના દ્રવ્ય-ક્ષેત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org