SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ કાડ-૧ – ગાથા-૩૫ સન્મતિપ્રકરણ સ્વયં હોવાથી તેને જાણનારી-જોનારી દૃષ્ટિ પણ બે પ્રકારની છે. જે તે બે પ્રકારની દૃષ્ટિ છે. તે જ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક એમ બે નયો છે. આવા પ્રકારનું સુંદર યથાર્થ-નિર્દોષ અને વાસ્તવિક સ્વરૂપ હોવા છતાં પણ મિથ્યાત્વમોહના ઉદયને લીધે (આ આન્તરિક કારણ છે) અને તેવા પ્રકારના મિથ્યાષ્ટિ ગુરુઓ અને મિથ્યાશાસ્ત્રોનો સંગ થવાના કારણે (આ બાહ્યનિમિત્તકારણ છે.) આ જીવોની દૃષ્ટિ એકાન્તવાદ તરફ ઢળી જાય છે. અરે તે તરફ ઢળી જાય છે એટલું જ નહીં પણ તે તરફ ચોંટી જાય છે. તે જ મિથ્યાત્વ છે. અજ્ઞાનદશા છે. આ એજ ઉલટી બુદ્ધિ સંસારપરિભ્રમણનો મુખ્ય હેતુ છે. સવિકલ્પક અને નિર્વિકલ્પક એવા પણ પુરુષને જે જ્ઞાનીઓ એકાન્ત અવિકલ્પક જ (અભિન્ન રૂપ જ) છે આમ કહે છે અથવા એકાન્ત સવિકલ્પક જ (ભિન્ન રૂપ જ) છે આમ કહે છે અને તેમ માની લે છે, તેમજ નવા નવા મતો થાપીને જગતમાં જોરશોરથી જે આવી પ્રરૂપણા કરે છે તેઓ શાસ્ત્રોના સાચા જ્ઞાતા નથી એમ નિશ્ચયથી (છાતી ઠોકીને) કહેવું જોઈએ. જૈનેતર દર્શનોના જ્ઞાનીઓ તો આવા એકાન્તવાદમાં ફસાયેલા હોવાથી સાચા જ્ઞાતા નથી. પરંતુ જૈનદર્શનમાં જન્મેલા, જૈન શાસ્ત્રો ભણેલા એવા પણ કોઈ કોઈ એવા જ્ઞાનીઓ હોય છે કે જેઓ એકાન્તવાદના આગ્રહી થયા છતા એકતરફી વસ્તુના સ્વરૂપને ખેંચી જાય છે ત્યારે તેઓ પણ અનેકાન્તવાદના શાસ્ત્રોના સાચા જ્ઞાતા નથી. જગતમાં યશ અને મોટાઈ મેળવવા તેઓ ભલે લોકો વચ્ચે અનેકાન્તવાદને માનવાનો દાવો કરે, ભાષણમાં અનેકાન્તવાદ જ સાચો છે એમ પ્રશંસા અને પ્રરૂપણા પણ કરે પરંતુ તે પોતાની જાતને ડાહી માનીને છટકવા માટે જ કરે છે. પોતાનો પંથ અને સંપ્રદાય જમાવવા જ આવા દાવ રમે છે. વાસ્તવિક રીતે તેઓ અનેકાન્તવાદના જ્ઞાતા કે અનુયાયી નથી. જેમ આજે ઘણા લોકો એમ કહે છે કે શરીરથી આત્મા ભિન્ન જ છે. શરીર જડ છે. આત્મા ચેતન છે. શરીર વિનાશી છે. આત્મા અવિનાશી છે. શરીર પૌદ્ગલિક છે. આત્મા અપૌગલિક છે. શરીર પરભવગામી નથી. આત્મા પરભવગામી છે. આવા હેતુઓ બતાવી શરીરથી આત્મા અત્યન્ત ભિન્ન છે. એમ સમજાવીને શરીર આશ્રવ સેવે તો આત્માને કંઈ કર્મ બંધાતું નથી. શરીર એ જડ છે. જડ જડનું કામ કરે તેમાં આત્માને શું લેવા દેવા ? આવી વાત કરીને આત્મા કર્મોનો અકર્તા છે. આત્મા તો કેવળ જ્ઞાતા દૃષ્ટા જ છીએ. કર્તાભોક્તા નથી. કર્તા ભોક્તા તો શરીર જ છે આવું જે સમજાવે છે તે સાંખ્યદર્શનની છાયા છે તે મિથ્યાત્વ છે. શરીરથી આત્મા ભિન્નભિન્ન છે. એને બદલે એકલો ભિન્ન કે એકલો અભિન્ન કહેવો તે સઘળું ય મિથ્યાત્વ છે. સંસારમાં રહેલો મોહના ઉદયવાળો જીવ જ કર્મોનો કર્તા અને ભોક્તા છે. મોહરહિત મુક્તગત જીવ કર્મોનો કર્તા-ભોક્તા નથી. તે માત્ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy