SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૩૫ પણ છે. આમ સર્વત્ર વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એમ બે જાતના પર્યાયો સમજવા જોઈએ. તેમાં વ્યંજનપર્યાયો અને ઔપચારિક અર્થપર્યાયો સવિકલ્પક પણ છે અને નિર્વિકલ્પક પણ છે. માત્ર એક એક સમયના જે વાસ્તવિક અર્થપર્યાયો છે અર્થાત્ જે અંતિમ અર્થપર્યાયો છે તે કાલને આશ્રયી અભેદ્ય હોવાથી નિર્વિકલ્પક છે. તે એક એક સમયના અર્થપર્યાયો પણ કાલને આશ્રયી અભેદ્ય અને નિર્વિકલ્પક હોવા છતાં પણ ભાવને આશ્રયી તેમાં પણ અનેક ભેદો હોવાથી ભેદ્ય પણ છે. અને સવિકલ્પક પણ છે. // ૩૪ / વસ્તુનું આવું સ્વરૂપ હોવા છતાં જે દર્શનકારો પોતાની એકબાજુ ઢળેલી દૃષ્ટિના કારણે એકાન્ત સવિકલ્પક જ માને છે અથવા એકાન્ત નિર્વિકલ્પક જ માને છે તેઓ શાસ્ત્રોના સમ્યમ્ જ્ઞાતા નથી આ વાત સમજાવે છે - सवियप्पणिव्वियप्पं इय पुरिसं जो भणेज अवियप्पं ।। सवियप्पमेव वा णिच्छएण, ण स निच्छिओ समये ॥ ३५ ॥ ( सविकल्पनिर्विकल्पमिति पुरुषं यो भणेदविकल्पम् । સવિત્વમેવ વા નિશ્ચયે, સ નિશ્ચિત સમયે રૂડ ) ગાથાર્થ - આ પ્રમાણે સવિકલ્પક અને નિર્વિકલ્પક એમ ઉભય સ્વરૂપવાળા એવા પુરુષને જે વક્તા (અથવા જ્ઞાતા) નિશ્ચયપૂર્વક (એટલે કે એકાન્ત) અવિકલ્પક જ છે એમ કહે અથવા સવિકલ્પક જ છે એમ કહે તે વક્તા (અથવા જ્ઞાતા) વ્યક્તિ, શાસ્ત્રોમાં નિશ્ચિત (યથાર્થ જ્ઞાતા) નથી. વિવેચન - “પુરુષપણાના” આ ઉદાહરણ ઉપર છેલ્લી ૧૦-૧૫ ગાથાઓમાં ઘણું ઘણું કહેવાઈ ગયું, ઘણીવાર આપણને પુનરુક્તિ જેવું લાગે. પરંતુ એમ નથી. કારણ કે મિથ્યાત્વમોહના ઉદયને લીધે એકાન્તવાદના સંસ્કારો અનાદિકાળથી એવા રૂઢ થયેલા છે. કે તેને કાઢવા આવા અનેકાન્તવાદનું તત્ત્વ વારંવાર સમજાવે તો જ તે મિથ્યાત્વ મોહના સંસ્કારો કંઈક ઢીલા થાય. અને કાલાન્તરે દૂર થાય. માટે આ વાંચતાં ઉગ ધરવો નહીં. પણ બુદ્ધિની સૂક્ષ્મતા લાવવામાં ઉલ્લાસનો વધારો કરવો. ઉપર સમજાવ્યું તેમ “પુરુષ પર્યાય” જેમ સવિકલ્પક અને નિર્વિકલ્પક એમ બન્ને છે. તેમ જગતના સર્વે પણ પદાર્થોના વ્યંજનપર્યાયો પુરુષ પર્યાયની જેમ સવિકલ્પકનિર્વિકલ્પક એમ ઉભયરૂપ છે જ. પુરુષનો તો એક દાખલો છે. બાકી સઘળા પણ ભાવો ઉભયાત્મક છે. અને જગતના ભાવો જેવા ઉભયાત્મક છે તેવા જ ઉભયાત્મસ્વરૂપે વીતરાગ સર્વજ્ઞ પરમાત્માઓ કેવલજ્ઞાનથી જોઈને પછી ફરમાવે છે અને પદાર્થોનું ઉભયાત્મક સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy