________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૧ - ગાથા-૩૪
૭૩
તો કાર્યાત્મક અવયવી પણ ન જ હોય, તેવી રીતે અહીં બાલ્યાદિ અવાન્તર પર્યાયો જ જો ન હોય તો તેના સમૂહસ્વરૂપ પુરુષ પર્યાય પણ સંભવશે નહીં. આ રીતે જો અવાન્તર પર્યાયો જ ન હોય તો અવાન્તર પર્યાયોના સમૂહ સ્વરૂપે બનેલો પુરુષાત્મક વ્યંજનપર્યાય પણ ઘટી શકતો નથી. આ રીતે પુરુષને પુરુષપણાના કાલમાં એકાન્તે નિર્વિકલ્પક (અભેદ્ય) માનવા જતાં તેમાં રહેલા બાલ્યાદિ અવાન્તર ભેદો તે વક્તા તે પુરૂષમાં પામી શકતો નથી. અર્થાત્ અવાન્તર પર્યાય સ્વરૂપ ભેદોનો લોપ થાય છે અને અવાન્તર ભેદોનો લોપ થવાના કારણે તેના સમૂહાત્મક ભાવે બનેલો મૂલભૂત વ્યંજનપર્યાય પણ લોપદશાને જ પામે છે.
પુરુષને એકાન્તે નિર્વિકલ્પક (ભેદરહિત) માનવાથી એક દોષ તો તે આવે છે કે તેમાં રહેલા બાલ્યાદિ અવાન્તરભેદો હવે તેમાં રહેતા જ નથી, તે અવાન્તર પર્યાયોનો અપલાપ જ થઈ જાય છે. જન્મથી મરણ પર્યન્ત સદાકાળ એકસરખું સમાન પુરૂષત્વ જ થવાની આપત્તિ આવે છે. આ એક દોષ આવે છે તથા બીજો દોષ તે આવે છે કે “પુરુષત્વ નિર્વિકલ્પક જ માનેલું હોવાથી જન્મ પામેલ તે પુરુષ જન્મદિવસે જેવી પરિસ્થિતિવાળો છે તેવી જ પરિસ્થિતિવાળો મૃત્યુ પામે ત્યાં સુધી સદા રહેશે, તેમાં કોઈ પણ જાતના ફેરફારો થઈ શકશે નહીં આવો તુક્કું વ = અથવા સર્વકાલ તુલ્યતા જ રહેવાનો દોષ આવશે, તથા બાલ્યાદિ અવસ્થાના ભેદનો જો અભાવ હોય, તો પુરૂષત્વ પણ (વિશેષ વિનાનું સામાન્ય ન હોવાથી) બાલ્યાદિની જેમ અભાવપણાને જ પામે, એટલે કે બાલ્યાદિ વિશેષોનો જો અભાવ હોય તો પુરૂષત્વ નામનું સામાન્ય પણ તેની તુલ્ય અભાવપણાને પામે. આ રીતે બાલ્યાદિ અવાન્તર પર્યાયોનો લોપ અને સદાકાળ તુલ્ય પુરુષત્વ તથા બાલ્યાદિની જેમ પુરૂષત્વનો પણ અભાવ આમ તુલ્યતા પામશે. આવા દોષો આવશે. જે અનુભવથી અત્યન્ત વિરુદ્ધ છે.
તથા બાલ્યાદિ અવાન્તર પર્યાયો જો ન માનીએ તો તેના સમૂહ રૂપે બનેલો પુરુષાત્મક વ્યંજનપર્યાય પણ ન માનવાનો જ પ્રસંગ આવે એટલે અર્થપર્યાયોનો લોપ માનવાથી વ્યંજનપર્યાય પણ તેની તુલ્યદશામાં એટલે લોપદશામાં જ મુકાશે. કારણ કે વિશેષ વિનાનું કેવલ એકલું સામાન્ય ક્યાંય હોતુ નથી. આવા દોષો આવશે. આ કારણથી પુરુષમાં રહેલા પુરુષપર્યાયને એકાન્તે નિર્વિકલ્પક ન માનતાં સવિકલ્પક અને નિર્વિકલ્પક એમ બન્ને રૂપે માનવો જોઈએ. પુરૂષપણે નિર્વિકલ્પક અને બાલ્યાદિ તથા સ્તનંધયાદિ ભાવે સવિકલ્પક પણ માનવો જોઈએ. ॥ ૩૩ ||
પુરુષના આ ઉદાહરણમાં વ્યંજનપર્યાય અને અર્થપર્યાયના વિભાગ સમજાવે છે - वंजणपज्जायस्स उ पुरिसो, पुरिसो ति णिच्चमवियप्पो । बालाइवियप्पं पुण पासई से अत्थपज्जाओ ॥ ३४ ॥
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org