SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ કાડ-૧ – ગાથા-૩૨ ૭૦ સન્મતિપ્રકરણ કારણ કે કારણોના આસેવનપૂર્વક જ કાર્યની પ્રગટતા નિયત છે. માટે કાર્યની નિયતિ જરૂર છે. પરંતુ કારણોની નિયતિને આધીન થઈને કાર્યની નિયતિ છે. તેથી કારણોનું સેવન અને તેને અનુરૂપ પુરૂષાર્થ કરવો આવશ્યક રહે છે. એમ સમજવું. તથા વળી ભૂત અને ભાવિના પર્યાયો કેવલજ્ઞાનીના જ્ઞાનમાં ઝળકે છે. (દેખાય છે) આપણને કંઈ દેખાતા નથી. માટે જ્ઞાનીના જ્ઞાનને આશ્રયી સર્વદ્રવ્યોના સર્વપર્યાયની નિયતિ છે. સર્વદ્રવ્યોના કાર્ય-કારણભાવની નિયતિ છે. તથા ક્રમબદ્ધ પર્યાય છે. પરંતુ છઘસ્થ એવા આપણને આશ્રયી આ નિયતિ નિયત પણ નથી. અને જ્ઞાત પણ નથી. આપણે જો બુદ્ધિપૂર્વક સુખ અને કલ્યાણસાધક પુરૂષાર્થ કરીએ અને તેને અનુરૂપ કારણો સેવીએ તો સુખપ્રાપ્તિ અને કલ્યાણની પ્રાપ્તિ થાય અને જો સુખમાં તથા કલ્યાણમાં બાધક એવો પુરૂષાર્થ કરીએ અને તેવાં નિમિત્તો સેવીએ તો દુઃખ અને અકલ્યાણ પણ થાય. છઘસ્થની અપેક્ષાએ જેવાં કારણોનું સેવન કરે તેવી કાર્યની પ્રાપ્તિ થાય. કેવલી પરમાત્માની દૃષ્ટિએ જેવું કાર્ય થવાનું તોય તેવાં કારણો સેવવાનું મન થાય. છઘસ્થની દૃષ્ટિએ જેવી મતિ તેવી ગતિ, અને કેવલી પરમાત્માની દૃષ્ટિએ જેવી ગતિ થવાની હોય તેવી મતિ સૂઝે. આ રીતે આ નિયતિને પણ સ્યાદ્વાદથી જ સમજવી જોઈએ. નિયતિ પણ કથંચિ નિયત અને કથંચિત્ અનિયત છે. માટે કેવલી પરમાત્માને ભાવિમાં થનારા પર્યાયો દેખાય છે. તેથી ક્રમબદ્ધ પર્યાય છે પરંતુ છઘસ્થની દૃષ્ટિએ જેવો પુરૂષાર્થ કરે તેવો જ પર્યાય પ્રગટ થાય છે. કારણના આસેવન વડે કાર્યની ઉત્પત્તિ થાય છે. કારણ અનિયત છે માટે કાર્ય પણ અનિયત છે. આ રીતે એકે એક દ્રવ્ય અતીત-વર્તમાન અને અનાગત કાલના અનંતાનંત પર્યાયોથી ભરેલું દ્રવ્ય છે. વર્તમાનકાળના પર્યાયો આવિર્ભાવરૂપે સત્ છે અને અતીત-અનાગતના પર્યાયો તિરોભાવરૂપે સત્ છે. અને આવિર્ભાવરૂપે અસત્ છે. / ૩૧ | આ રીતે બાહ્ય અને અત્યંતર એમ સર્વે વસ્તુઓ (વિષયો) અનેકાન્તાત્મક છે. આમ કહીને હવે તેના પ્રતિપાદક વાક્યાત્મક નયો પણ તેવાજ (અનેકાન્તાત્મક) છે. એમ સમજાવતાં કહે છે. पुरिसम्मि पुरिससद्दो, जम्माई मरणकालपज्जन्तो । तस्स उ बालाईया, पजवजोया बहुवियप्पा ॥ ३२ ॥ (પુરુષે પુરુષશબ્દ, નમઃ મરત્નપર્યતઃ ! તસ્ય તુ વીતાવિદ, પર્યવયો વહુવિખ્યા: // ૩૨ ૫) ગાથાર્થ - કોઈ પણ એક પુરૂષમાં જન્મથી મૃત્યુ સુધીના કાલમાં “આ પુરૂષ છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy