________________
કાર્ડ-૧ - ગાથા-૩૧
સન્મતિપ્રકરણ પામે છે. માટે એક પરમાણુ પણ અનંતરૂપ છે. તથા આ પ્રમાણે અનેક પર્યાયો પામનાર હોવાથી કેવલ એકલો નિત્ય નથી. પણ અનિત્ય પણ છે. અર્થાત્ નિત્યાનિત્ય છે.
આવી જ રીતે ચિત્રપણે રહેલો એક જીવ પણ દ્રવ્યરૂપે સંખ્યામાં એક, નિત્ય, અનાદિ-અનંત હોવા છતાં પણ ક્યારેક સુખી, ક્યારેક દુઃખી, ક્યારેક રાજા, ક્યારેક રંક, ક્યારેક સ્ત્રી, ક્યારેક પુરૂષ, ક્યારેક બાલ તો ક્યારેક યુવાન એમ જુદા જુદા કાલે અનેકપર્યાય રૂપે જુદા જુદા પરિવર્તન પામતો હોવાથી તથા તેવો તેવો ભાસમાન થતો હોવાથી તે જ ચેત્ર રૂપે રહેલો જીવ અનેક, અનિત્ય અને સાદિ-સાન્ત પણ પર્યાયને આશ્રયી છે જ. જન્મથી મરણ સુધીનો ચૈત્ર, ચૈત્ર સ્વરૂપે એક હોવા છતાં પણ બાલ્યભાવવાળા તે ચૈત્રથી યુવાવસ્થાના ભાવ વાળો તે જ ચિત્ર કંઈક ભિન્ન છે. કારણ કે બાલ્યભાવવાળા ચૈત્રમાં સ્તiધયત્વ, ધૂળમાં રમવાપણું, કાલુઘેલુ બોલવાપણું, મળ-મૂત્ર કરવામાં અવિવેકપણું ઇત્યાદિ જે ભાવો છે તે યુવાવસ્થાવાળા ચૈત્રમાં નથી અને યુવાવસ્થાવાળા ચૈત્રમાં જે વિષયવિકારિતા ભોગપ્રિયતા ઇત્યાદિ ભાવો છે તે બાલ્યાવસ્થા વાળા ચૈત્રમાં નથી. બે વર્ષની ઉંમરવાળા ચૈત્રને (બાલક હોવાથી) ખોળામાં બેસાડીને જેવો રમાડાય છે. તેવો બાવીસ વર્ષના યુવાન થયેલા ચિત્રને ખોળામાં બેસાડાતો નથી અને રમાડાતો નથી. આ રીતે એકે એક દ્રવ્ય કાલભેદે જે ભિન્ન ભિન્ન જણાય છે તે ત્રણે કાલના મળીને અનંત પર્યાયોવાળું આ દ્રવ્ય છે.
મૂલભૂત દ્રવ્ય એક હોવા છતાં પણ તેમાં પ્રગટ થયેલા, પ્રગટ થતા અને પ્રગટ થવાવાળા પર્યાયોની અપેક્ષાએ તે જ દ્રવ્ય તાવ = તેટલું અર્થાત્ અનંતુ છે. જેમ એક કેરીને “આ કેરી છે” એમ કહીએ ત્યારે વિશેષ્યભૂત કેરી એક છે અને એક કહેવાય છે. પરંતુ તે જ એક કેરીને “કાચી કેરી, પાકી કેરી, નીલી કેરી, પીળી કેરી, ખાટી કેરી, મીઠી કેરી, વલસાડી કેરી, આફુસ કેરી, તોતા કેરી, ઇત્યાદિ વાક્યોમાં આગળ મુકેલા વિશેષણોને લીધે તે એક જ કેરી નામનું આ દ્રવ્ય ભિન્ન ભિન્ન પર્યાય રૂપે જાણવા જતાં તે જેટલા પર્યાય છે તેટલા પર્યાયવાળું તે કેરી દ્રવ્ય હોવાથી એક કેરી દ્રવ્ય પણ અનંતરૂપ છે.
પ્રશ્ન - કોઈ પણ એક દ્રવ્ય વર્તમાનકાળે જે પર્યાયને પામ્યું હોય, તે પર્યાયવાળું તો હોઈ શકે છે. પરંતુ અતીત અનાગત પર્યાયવાળું અને તેથી અનંતપર્યાયવાળું કેમ હોઈ શકે? અનંત પર્યાયવાળું કેમ કહી શકાય? કારણ કે અતીતપર્યાયો તો નષ્ટ થયેલા છે એટલે હાલ તે પર્યાયો નથી. અને અનાગત પર્યાયો તો અનુત્પન્ન જ છે. એટલે કે હજુ બન્યા જ નથી. માટે સૈકાલિક પર્યાયવાળુ દ્રવ્ય માનવું અને તેથી અનંતપર્યાયવાળું દ્રવ્ય માનવું તે બધું ઉચિત નથી. માત્ર વર્તમાનકાલીન જ પર્યાયવાળું દ્રવ્ય માનવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org