SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૩૧ एगदवियम्मि जे अत्थपजया वयणपजया वा वि । तीयाणागयभूया तावइयं तं हवइ दव्वं ॥ ३१ ॥ (एकद्रव्ये येऽर्थपर्याया वचनपर्याया वाऽपि । અતીતાના તપૂતાતાવ તત્ મવતિ દ્રવ્યમ્ / રૂ ) ગાથાર્થ - કોઈ પણ એક દ્રવ્યમાં અતીત અને અનાગતકાલ સંબંધી જેટલા અર્થપર્યાયો અને વ્યંજનપર્યાયો છે. તે બધા જ પર્યાયોવાળું તે દ્રવ્ય છે. | ૩૧ || વિવેચન - કોઈ પણ સજીવ-નિર્જીવ એવું એક દ્રવ્ય સંખ્યામાં દ્રવ્ય સ્વરૂપે ભલે એક હોય, જેમ કે એક પરમાણુ એ એક દ્રવ્ય છે. એક પુરૂષ એ પણ એક જીવદ્રવ્ય છે. અને આ એકે એક દ્રવ્ય, દ્રવ્ય સ્વરૂપે અનાદિકાલથી છે અને અનંતકાલ સુધી રહેવાનું છે. તેથી નિત્ય છે એટલું જ નહીં, બલ્ક અખંડ છે. તેના ખંડ-ટુકડા કે વિભાગો થયા નથી, થતા નથી, અને થશે પણ નહીં તેથી એક એક દ્રવ્ય નિત્ય-અખંડ-અનાદિ-અનંત, સંખ્યામાં એક, સ્વયંસિદ્ધ, પારિણામિક ભાવવાળાં સદા છે અને સદા રહેશે. આમ હોવા છતાં ભૂતકાળમાં પસાર થઈ ચુકેલા, વર્તમાનકાલમાં વિદ્યમાન, અને અનાગત (ભાવિ) કાલમાં આવવાવાળા એવા અનંત-અનંત પર્યાયો કે જે પર્યાયો વ્યંજનપર્યાય અને અર્થપર્યાય રૂપે વર્તે છે. તેટલા અનંતપર્યાયોવાળું આ દ્રવ્ય હોવાથી પર્યાયની અપેક્ષાએ તાવેફર્થ = તેટલું = અર્થાત્ અનંતુ તે વ્યં વડું = તે દ્રવ્ય કહેવાય છે. પરમાણુ નામનું દ્રવ્ય, દ્રવ્ય રૂપે સંખ્યામાં એક છે. પરંતુ સૈકાલિક પર્યાયોની અપેક્ષાએ તેટલા પર્યાયવાળું હોવાથી તે એક દ્રવ્ય પણ અનંત છે. એવી જ રીતે ચૈત્ર - મૈત્રમાં રહેલું જીવ નામનું કોઈ એક દ્રવ્ય, દ્રવ્ય સ્વરૂપે સંખ્યામાં એક હોવા છતાં પર્યાય સ્વરૂપે અનંત છે. અને તે અતીતવર્તમાન તથા અનાગત જે અનંતા પર્યાયો દ્રવ્યમાં છે તેમાંના કેટલાક પર્યાયો શબ્દવાણ્ય હોવાથી વ્યંજનપર્યાય છે. અને કેટલાક એક એક સમયવર્તી એવા પ્રકારના સૂક્ષ્મ પર્યાયો છે કે જે શબ્દથી અવાચ્ય હોવાથી અર્થપર્યાયો છે. આમ હોવાથી કોઈ પણ એક પરમાણુ સદાકાલ પરમાણુપણે એકને એક જ છે આમ જણાવા છતાં ક્યારેક કૃષ્ણ, ક્યારેક નીલ, ક્યારેક લોહિત, ક્યારેક પતિ અને ક્યારેક શ્વેત, એમ ગંધના, રસના, સ્પર્શના પરિવર્તન પણે ભિન્ન ભિન્ન રૂપે પણ થાય જ છે. તથા ક્યારેક બીજા પરમાણુની સાથે જોડાયો છતો ક્યારેક કયણુક રૂપે, ક્યારેક બીજા બેની સાથે જોડાયો છતો ચણુકરૂપે, એમ ક્યારેક ચતુરણકરૂપે એમ થાવત અનંતાણુકરૂપે પણ જુદો જુદો ભાસે છે. આ રીતે કોઈ એક પરમાણુ અન્ય અણુઓની સાથે ભળ્યો છતો આઠે ગ્રાહ્ય અગ્રાહ્ય વર્ગણારૂપે પણ પરિણામ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy