________________
કાણ્ડ-૧ - ગાથા-૩૦
સન્મતિપ્રકરણ
આ રીતે જે કોઈ પણ પર્યાય લાંબો કાળ ચાલવાનો હોય, તે પર્યાય તે પર્યાય રૂપે એક (અભેદ્ય) હોવા છતાં પણ તેના ઉત્તરભેદોને લીધે તે ભેદ્ય પણ બને છે. અને પુરૂષપુરૂષ ઇત્યાદિ શબ્દોથી વાચ્ય પણ બને છે. કારણ કે તે જીવમાં પુરૂષપણું પ્રત્યેક સમયોમાં છે જ. તેથી પુરૂષપણાનો સદંશપર્યાયપ્રવાહ જે છે તે વ્યંજનપર્યાય અને તે પુરૂષપણે અભેદ્ય તથા બાલાદિભાવે ભેદ્ય છે. પરંતુ અન્તિમ જે ભેદ છે કે જે પ્રતિસમયના બદલાવાપણા રૂપ છે તે એક સમય માત્ર વર્તી હોવાથી તેના ઉત્તરભેદો થતા નથી, અને અતિશય અલ્પકાલવર્તી હોવાથી શબ્દોથી વાચ્ય પણ બનતો નથી તેથી તે પર્યાય અર્થપર્યાય કહેવાય છે. તેનો એક સમય જ માત્ર કાલ હોવાથી સદેશપર્યાયપ્રવાહ તેમાં નથી. આ રીતે પર્યાયના બે ભેદ છે એક વ્યંજનપર્યાય અને બીજો અર્થપર્યાય.
૬૪
જો કે વ્યંજનપર્યાય પણ પદાર્થમાં જ છે. પદાર્થથી અતિરિક્ત બહાર નથી. તેથી અર્થમાં (પદાર્થમાં) વર્તતો હોવાથી તેને પણ અર્થપર્યાય જ કહેવાય છે. અહીં અર્થ એટલે પદાર્થ, તેમાં થતા જે પર્યાયો તે અર્થપર્યાયો, સમય સમયવર્તી અર્થપર્યાયો જેમ પદાર્થમાં જ છે. તેમ દીર્ઘકાલવી વ્યંજન પર્યાયો પણ પદાર્થમાં જ છે. માટે તેને ઉપરોક્ત અર્થને અનુસારે અર્થપર્યાય કહેવામાં કંઈ વિરોધ નથી. પરંતુ શબ્દોચ્ચારણને યોગ્ય અને શબ્દોચ્ચારણને અયોગ્ય એ વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને મહાત્મા પુરૂષોએ તેને શબ્દોચ્ચારણને યોગ્ય હોવાથી વ્યંજનપર્યાય કહ્યો છે. તથા એક એક સમયવર્તી પર્યાય શબ્દોચ્ચારણને યોગ્ય ન હોવાથી તેને અર્થપર્યાય કહેલ છે.
તથા પુરૂષપણું દીર્ઘકાલવર્તી હોવાથી અને શબ્દોચ્ચારણને યોગ્ય હોવાથી જેમ વ્યંજનપર્યાય કહેવાય છે તેમ બાલાદિ ઉત્તર પર્યાયો કે સ્તનંધયાદિ ઉત્તરોત્તર પર્યાયો પણ કંઈક કંઈક દીર્ઘકાલવી હોવાથી અને શબ્દોચ્ચારણને યોગ્ય હોવાથી જો કે તે વ્યંજનપર્યાય કહેવાય છે. તો પણ તે બાલાદિ ઉત્તર પર્યાયો અને સ્તનંધયાદિ ઉત્તરોત્તર પર્યાયો પુરૂષપણાના પર્યાયની અપેક્ષાએ અલ્પકાલ વર્તી હોવાથી ઉપચારથી અર્થપર્યાય પણ કહેવાય છે. આ રીતે સૂક્ષ્મબુદ્ધિથી વિચારણા કરતાં એક એક સમયવર્તી પર્યાય તે કેવલ અર્થપર્યાય જ કહેવાય છે. બાકીના મધ્યવર્તી તમામ પર્યાયો પોતાનાથી સ્થૂલપર્યાયની અપેક્ષાએ ઉપચારે અર્થપર્યાય, અને પોતાનાથી સૂક્ષ્મપર્યાયની અપેક્ષાએ વ્યંજન પર્યાય એમ બન્ને નામે પણ કહેવાય છે. પર્યાયાર્થિકનયને માન્ય જે ભેદ છે તેના વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એમ બે ભેદ સમજાવ્યા. || ૩૦ ||
કોઈ પણ એકદ્રવ્ય, દ્રવ્યઆશ્રયી જેમ એક છે તેમ પર્યાય આશ્રયી અનંત પણ અવશ્ય છે જ, તે વાત સમજાવે છે -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org