SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ છo સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૬ સમસ્ત શ્રુતજ્ઞાનની=દ્વાદશાંગી વાક્યાત્મક સર્વ શ્રુતજ્ઞાનની, દર્શનાનો વિષય તેના વાક્યોથી ઉત્પન્ન થયેલી દર્શનના પ્રયોજનવાળી બુદ્ધિનો વિષય=આલંબન, પ્રજ્ઞાપનીય=શબ્દથી અભિલાખ, એવા દ્રવ્યાદિભાવો છે, શબ્દ અનભિધેય એવી મતિના પણ તે જ ભાવો વિષય છે; કેમ કે શબ્દ પરિકર્મઅપેક્ષ એવા જ્ઞાનના યથોક્ત એવા ભાવોના વિષયનું મતિજ્ઞાનપણું છે. વળી અવધિજ્ઞાનના અને મન:પર્યવજ્ઞાનના અન્યોન્ય વિલક્ષણ ભાવો વિષય છે અર્થાત્ અવધિજ્ઞાનનો વિષય પુદ્ગલો છે અને મન:પર્યવજ્ઞાનનો વિષય મનન કરાતું દ્રવ્યમાન છે, એથી અસર્વઅર્થવાળા આ મતિજ્ઞાન આદિ જ્ઞાનો છે અને પરસ્પર વિલક્ષણ વિષયવાળા છે આથી જ ભિન્ન ઉપયોગરૂપવાળા છે. ૨/૧૬ ભાવાર્થ : કેવલજ્ઞાન અને કેવલદર્શન સર્વાર્થવિષયવાળું છે માટે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ભિન્ન ઉપયોગ નથી તે બતાવવા માટે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં કહે છે કે સમસ્ત શ્રુતજ્ઞાન સમ્યગ્દર્શનના પ્રયોજનવાળું છે ફક્ત સુદેવ, સુગુરુ અને સુધર્મ વિષયક યથાર્થ નિર્ણય સંક્ષેપરુચિ સમ્યગ્દર્શન છે અને પૂર્ણ દ્વાદશાંગી વિસ્તારરુચિ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે. તેથી શ્રુતજ્ઞાનને કહેનારા વાક્યથી ઉત્પન્ન થયેલી બુદ્ધિથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને શ્રુતજ્ઞાનથી થતી બુદ્ધિનો વિષય પ્રજ્ઞાપનીયભાવો છે. એથી એ પ્રાપ્ત થાય કે શ્રુતજ્ઞાનનો વિષય અપ્રજ્ઞાપનીય ભાવો નથી, માત્ર પ્રજ્ઞાપનીયભાવો જ છે. વળી અવધિજ્ઞાનનો વિષય માત્ર પુદ્ગલો છે, સર્વ પ્રજ્ઞાપનીયભાવો પણ નથી અને અપ્રજ્ઞાપનીયભાવો પણ નથી, પરંતુ પુદ્ગલમાં રહેલા રૂપ-રસાદિ પ્રજ્ઞાપનીય ભાવો છે અને પુદ્ગલમાં રહેલા અપ્રજ્ઞાપનીયભાવો પણ છે છતાં પણ સર્વ દ્રવ્યો અવધિજ્ઞાનનો વિષય નથી. તેથી અવધિજ્ઞાન પણ અસર્વવિષયવાળું છે. વળી, મન:પર્યવજ્ઞાનનો વિષય મનન કરાતા દ્રવ્યમનના પુદ્ગલો છે, તેથી મન:પર્યવજ્ઞાન પણ અસર્વવિષયવાળું છે. આ રીતે મતિજ્ઞાન આદિ ચારેય જ્ઞાનો પરસ્પર વિલક્ષણ વિષયવાળા છે. આથી તે ચાર જ્ઞાનનો ઉપયોગ ભિન્ન ભિન્ન વર્તે છે, જ્યારે કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો વિષય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય છે. માટે તેઓનો ભિન્ન કાળમાં કે યુગપદ્ પણ ભિન્ન ઉપયોગ સંભવે નહીં, પરંતુ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો એક જ ઉપયોગ કેવલીને વર્તે છે. અહીં શ્રુતજ્ઞાનનો વિષય બતાવતાં કહ્યું કે દ્વાદશાંગીના વાક્યરૂપ સમસ્ત શ્રુતજ્ઞાનના જે દર્શનાનો વિષય છે. અને દર્શનાનો અર્થ કર્યો કે દર્શનના પ્રયોજનવાળી તેના વાક્યોથી ઉપજાત એવી બુદ્ધિ. તેથી એ પ્રાપ્ત થાય કે પદાર્થના સ્વરૂપને જોવા માટે જે બુદ્ધિ છે તે પદાર્થના યથાર્થ દર્શનના પ્રયોજનવાળી છે અને તે પદાર્થને જોવા માટે જે વચનપ્રયોગરૂપ વાક્યો છે તેનાથી ઉત્પન્ન થયેલી છે; કેમ કે જેટલા વચનપ્રયોગરૂપ વાક્યો છે તેટલા નયવચનો છે અને તે નયવચનોને અવલંબીને ઉત્પન્ન થયેલી બુદ્ધિ છે, તે બુદ્ધિનો જે વિષય છે તે શ્રુતજ્ઞાનનો વિષય છે. 1ર/૧કા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy