SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૩-૧૪ કે કાંઈ જોતા નથી તેમજ માનવું પડે, ફળરૂપે કેવલીમાં સર્વજ્ઞતાની સંગતિ થાય નહીં. એથી એમ જ માનવું પડે કે કેવલી એક જ ઉપયોગ દ્વારા સર્વ પદાર્થોને જુએ છે અને જાણે છે, તો જ કેવલીને સર્વજ્ઞ સ્વીકારી શકાય. ll૨/૧૩ અવતરણિકા : ज्ञानदर्शनयोरेकसंख्यात्वादप्येकत्वमित्याह - અવતરણિકાર્ચ - જ્ઞાન-દર્શનનું એક સંખ્યાપણું હોવાથી પણ એકત્વ છે, એને કહે છે – ભાવાર્થ : શેયના અનંતપણાથી કેવલજ્ઞાનને શાસ્ત્રકારો અનંત સ્વીકારે છે. વળી, કેવલજ્ઞાનની અને કેવલદર્શનની પણ અનંતની સંખ્યા તુલ્ય છે તેમ સ્વીકારે છે, તેથી પણ કેવલજ્ઞાન-કેવલદર્શનનું એકત્વ છે; કેમ કે સર્વ દ્રવ્યનું અને સર્વ પર્યાયનું જ્ઞાન હોય અને સર્વ દ્રવ્યનું અને સર્વ પર્યાયનું દર્શન હોય તો જ કેવલજ્ઞાનની અને કેવલદર્શનની સમ સંખ્યા સિદ્ધ થાય. તેથી કેવલજ્ઞાન-કેવલદર્શન એક છે તેમ બતાવે છે – ગાથા : केवलणाणमणंतं जहेव तह दंसणं पि पण्णत्तं । सागारग्गहणाहि य णियमपरित्तं अणागारं ।।२/१४।। છાયા : केवलज्ञानमनन्तं यथैव तथा दर्शनमपि प्रज्ञप्तं । साकारग्रहणात् च नियमपरित्तमनाकारं ।।२/१४।। અન્વયાર્થ : નદેવ=જે પ્રમાણે જ, વત્તUTUામvid=કેવલજ્ઞાન અનંત છે, તહં તે પ્રમાણે, સંસM પિ=દર્શન પણ=કેવલદર્શન પણ. પત્ત પ્રજ્ઞપ્ત છે-અનંત પ્રજ્ઞપ્ત છે, =અને (દર્શનનો જ્ઞાતથી ભેદ હોતે છતે) સારા દિ=સાકારના ગ્રહણથી, અTIF=અતાકાર, વિપરિ=નિયમથી પરિત થાય=અલ્પ થાય (માટે કેવલદર્શનના અનંત સ્વીકારને વિરોધ આવે). પર/૧૪. ગાથાર્થ - જે પ્રમાણે કેવલજ્ઞાન અનંત છે તે પ્રમાણે દર્શન પણ કેવલદર્શન પણ, પ્રાપ્ત છે અનંત પ્રાપ્ત છે, અને (દર્શનનો જ્ઞાનથી ભેદ હોતે છતે) સાકારના ગ્રહણથી અનાકાર નિયમથી પરિત થાય અલ્પ થાય (માટે કેવલદર્શનના અનંત સ્વીકારને વિરોધ આવે). II/૧૪ For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy