SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૧૦ પ૧ અને માત્ર સાકારરૂપ વસ્તુ જગતમાં નહીં હોવાથી કેવલજ્ઞાનના વિષયભૂત કોઈ આકારને કેવલી જાણતા નથી માટે આકાશની જેમ કેવલી અજ્ઞ છે તેમ માનવું પડે અર્થાત્ કેવલજ્ઞાનના અને કેવલદર્શનના ક્રમઉપયોગના સ્વીકારમાં કેવલી આકાશની જેમ અજ્ઞ છે તેમ સ્વીકારવું પડે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પદાર્થ માત્ર સામાન્યરૂપ નથી કે માત્ર વિશેષરૂપ નથી માટે કેવલીના કેવલજ્ઞાન અને કેવલદર્શનના ક્રમિક ઉપયોગમાં કેવલીને જો જાલંધની જેમ અને આકાશની જેમ નહીં જોનારા અને નહીં જાણનારા માનવા પડે. તેના નિવારણ માટે અક્રમિક ઉપયોગવાદી કહે કે અમારા મતે કેવલીમાં કેવલજ્ઞાન-કેવલદર્શન સંગત થશે; કેમ કે પદાર્થ સામાન્ય-વિશેષરૂપ છે તે બંનેને એક સાથે કેવલી કેવલજ્ઞાનના ઉપયોગથી જાણે છે અને કેવલદર્શનના ઉપયોગથી જુએ છે. તેનું નિરાકરણ કરવા અર્થે ટીકાકારશ્રી “અથવા'થી કહે છે – હવે જો એક કાળમાં કેવલદર્શન અને કેવલજ્ઞાન એમ બે ઉપયોગ માનવામાં આવે તો કેવલી સર્વ પૂર્ણ વસ્તુ જાણતા નથી તેમ માનવું પડે; કેમ કે દ્રવ્ય અને પર્યાયરૂપ વસ્તુમાંથી પર્યાયરૂપ એક દેશનો કેવલજ્ઞાનનો ઉપયોગ કેવલીને વર્તે છે માટે જેમ મતિજ્ઞાની પુરુષ પૂર્ણ વસ્તુને જાણતા નથી તેમ કેવલી પણ દ્રવ્યપર્યાયરૂપ પૂર્ણ વસ્તુને જાણતા નથી તેમ માનવું પડે. આનાથી શું ફલિત થાય ? તે બતાવતાં કહે છે – યુગપદ્ એકાન્તભિન્ન ઉપયોગદ્ધયવાદીના મતે કેવલીમાં સર્વજ્ઞતા અને સર્વદર્શિતા નથી અને ક્રમિક એકાન્તભિન્ન ઉપયોગઢયવાદીના મતે પણ કેવલીમાં સર્વજ્ઞતા અને સર્વદર્શિતા નથી; કેમ કે યુગ૫૬ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો એકાન્ત ભિન્ન ઉપયોગ સ્વીકારવામાં આવે તો દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુના એક દેશનું-પર્યાયરૂપ એક દેશનું, કેવલીને જ્ઞાન છે માટે સર્વજ્ઞતા નથી અને દ્રવ્યપર્યાયાત્મક વસ્તુમાંથી માત્ર દ્રવ્યને જોનારા છે પર્યાયને જોનારા નથી માટે કેવલીમાં સર્વદર્શિતા નથી. વળી, ક્રમિકઉપયોગવાદીના મત પ્રમાણે કેવલી જાયંધ પુરુષની જેમ અથવા આકાશની જેમ કાંઈ જોતા નથી કે કાંઈ જાણતા નથી માટે અજ્ઞ છે, તેથી કેવલીમાં સર્વજ્ઞતા કે સર્વદર્શિતા નથી એ પ્રકારે ગ્રંથકારશ્રીનો આશય છે. માટે ગ્રંથકારશ્રીના મતાનુસાર કેવલી એક ઉપયોગ દ્વારા દ્રવ્ય અને પર્યાય ઉભયને સાક્ષાત્ જુએ છે અને દ્રવ્ય અને પર્યાય બેયના સ્વરૂપને સાક્ષાત્ જાણે છે તેમ માનવું ઉચિત છે. કેવલીના કેવલજ્ઞાન વિષયક પૂજ્ય શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મહારાજાને કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ અયુગપદ્ ભાવી અભિમત છે, તેથી તેમના મતાનુસાર જ્ઞાનાવરણીયકર્મનો અને દર્શનાવરણીયકર્મનો ક્ષય થવા છતાં પ્રથમ ક્ષણમાં કેવલજ્ઞાનનો અને બીજી ક્ષણમાં કેવલદર્શનનો ઉપયોગ છે. વળી પૂજ્ય શ્રી મલ્લવાદીસૂરીશ્વરજી મહારાજા કેવલીને એકસાથે પ્રતિક્ષણ કેવલજ્ઞાનનો અને કેવલદર્શનનો ઉપયોગ છે તેમ સ્વીકારે છે. પોતાના કથનના અનુકૂળ સિદ્ધાંત વાક્યો પણ શ્રી મલ્લવાદીસૂરીશ્વરજી મહારાજા આપે છે કે વળી સિદ્ધોનું આ “સાકાર અનાકાર લક્ષણ છે” અને “કેવલજ્ઞાનઉપયુક્ત એવા કેવલી જાણે છે” ઇત્યાદિ યુગપદ્ ઉપયોગવાદી શ્રી મલવાદીસૂરીશ્વરજી મહારાજા પોતાના એક કાળમાં બે ઉપયોગ સ્થાપન કરવા માટે સંવાદકરૂપે સ્થાપન કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy