SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૦ મલ્લવાદીસૂરીશ્વરજી મહારાજાને યુગપલ્માવી તદ્દ્વય છે એકકાળભાવી કેવલજ્ઞાન-કેવલદર્શનનો ઉપયોગદ્વય અભિમત છે. એથી સિદ્ધોનું સાકાર અનાકાર લક્ષણ આ છે” (પ્રજ્ઞાપના દ્વિતીય પદ સૂત્ર ૫૪, ગાથા-૧૬૦) અને “કેવલજ્ઞાન ઉપયુક્ત જાણે છે' (પ્રજ્ઞાપના દ્વિતીય પદ સૂત્ર ૫૪, ગાથા-૧૬૧) ઈત્યાદિ સિદ્ધાંતવાક્યો પણ યુગપઉપયોગવાદી દ્વારા યુગપઉપયોગવાદી આચાર્ય શ્રી મલ્યવાદીસૂરીશ્વરજી મહારાજા દ્વારા, સ્વમત સંવાદકપણા વડે વ્યાખ્યાન કરાયા છે. વળી ક્રમઉપયોગવાદી વડે ક્રમઉપયોગવાદી એવા શ્રી જિનભદ્રગણીક્ષમાશ્રમણ વડે, ‘સર્વ લબ્ધિઓ' (વિશેષાવશ્યકભાષ્ય ગાથા-૩૦૮૯) ઈત્યાદિ વાક્યો સ્વમતના સંવાદકપણાથી વ્યાખ્યાન કરાયા છે અને પ્રકરણકારે પણ=પ્રસ્તુત પ્રકરણ કરનારા એવા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજાએ પણ, સ્વમતના સંવાદક એવા આ વચનો=શ્રી મલવાદીસૂરીશ્વરજી મહારાજાએ કહ્યા એ વચનો અને શ્રી જિનભદ્રગણીક્ષમાશ્રમણે કહ્યા એ વચનો અને અન્ય વચનો, વ્યાખ્યાન કર્યા છે. ll૨/૧૦ ભાવાર્થ : સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજા ક્રમિકઉપયોગવાદીને કે અક્રમિકઉપયોગવાદીને કહે છે કે દ્રવ્યરૂપ વસ્તુ અનાકારાત્મક છે તે પ્રતિક્ષણ કોઈ સ્વરૂપે ભવનરૂપ છે અર્થાત્ એક પર્યાયમાંથી બીજા પર્યાયને પ્રાપ્ત કરનાર છે અથવા ભવનાત્મક છે અર્થાત્ કોઈક પર્યાયને પ્રાપ્ત કરેલ છે અને તેવી વસ્તુ આકરાત્મક છે; કેમ કે જગતવર્તી સર્વપદાર્થો સામાન્યના અને વિશેષના વિભાગ વગર વર્તે છે. હવે જો કેવલી સર્વ સાકારને જાણે તો તે સાકારરૂપ પર્યાયાત્મક એવું સામાન્ય દ્રવ્ય ત્યારે જ જુએ છે=જે વખતે જાણે છે તે વખતે જ જુએ છે, અને તે દ્રવ્યને જોતા તે દ્રવ્યથી અવ્યતિરિક્ત વિશેષને ત્યારે જ જાણે છે ભિન્ન કાળમાં નહીં. તે જોવું અને જાણવું પણ બે ઉપયોગથી નહીં, પરંતુ ઉભયાત્મક એવી વસ્તુના અવબોધરૂપ એકરૂપપણાથી વસ્તુને જાણે છે એમ સ્વીકારીએ તો સર્વજ્ઞના ઉપયોગનું સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વ સર્વકાલ ઘટે છે; કેમ કે કેવલીનો પ્રતિક્ષણ ઉભયાત્મક=દ્રવ્ય અને પર્યાય ઉભયનો બોધ કરાવે તેવો એકરૂપ, ઉપયોગ છે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે કેવલી એક જ કેવલના ઉપયોગ દ્વારા દ્રવ્ય-પર્યાયનો બોધ કરનારા છે.” હવે જો તેમ ન સ્વીકારવામાં આવે અને ક્રમિક ઉપયોગવાદી સ્વીકારે છે કે પ્રથમ કેવલજ્ઞાન છે અને પછી કેવલદર્શન છે તેમ સ્વીકારીએ તો શું દોષ આવે ? તે ટીકાકારશ્રી “અથવાથી બતાવે છે – જો કેવલી સામાન્ય અને સાકાર ઉભયરૂપ સંપૂર્ણ વસ્તુને એકસાથે જોતા ન હોય અને જાણતા ન હોય તો જગતમાં માત્ર સામાન્યરૂપ વસ્તુ કે માત્ર સાકારરૂપ વસ્તુ નથી માટે કેવલી જોતા નથી અને જાણતા નથી તેમ માનવું પડે. જેમ જાત્કંધ પુરુષ કાંઈ જતો નથી તેમ કેવલી પણ સામાન્યરૂપ કોઈ વસ્તુ વિશેષ વગરની નહીં હોવાથી કાંઈ જોતા નથી તેમ માનવું પડે અથવા જેમ આકાશ અજ્ઞ છે, તેથી કોઈ વસ્તુને જોતું નથી કે કોઈ વસ્તુને જાણતું નથી, તેમ કેવલી પણ કોઈ વસ્તુને જોતા નથી કે કોઈ વસ્તુને જાણતા નથી તેમ માનવું પડે; કેમ કે માત્ર સામાન્ય વસ્તુ જગતમાં નથી. માટે કેવલદર્શનના વિષયભૂત વસ્તુ નહીં હોવાથી જોતા નથી For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy