SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૭-૮ મતિજ્ઞાન સમ્યક્તની પ્રાપ્તિથી ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ હોય છે તેમ સ્વીકારવામાં આવે છે તે પ્રકારની અપર્યવસિતતા કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં બીજી ક્ષણમાં યુક્ત નથી. વળી એમ કહેવામાં આવે કે કેવલજ્ઞાનની ઉત્તરક્ષણમાં કેવલદર્શન થાય છે ત્યારે કેવલજ્ઞાનનો ઉપયોગ નથી તોપણ કેવલદર્શનની ઉત્તરક્ષણમાં ફરી કેવલજ્ઞાનનો ઉત્પાદ છે, માટે ફરી ઉત્પાદની અપેક્ષાએ કેવલજ્ઞાન અને કેવલદર્શન અપર્યવસિત છે એમ સ્વીકારવામાં આવે તો પર્યાયનો પણ ફરી ફરી પર્યાયરૂપે ઉત્પાદ છે અર્થાત્ દરેક દ્રવ્યોમાં પૂર્વનો જે જે પર્યાય છે તે તે પર્યાય ફરી ફરી ઉત્પન્ન થતો નથી તોપણ પર્યાય પર્યાયરૂપે તો ફરી ફરી ઉત્પન્ન થાય છે, માટે પર્યાયની પણ અપર્યવસિતતાની પ્રાપ્તિ થાય. વસ્તુતઃ દ્રવ્ય જ અપર્યવસિત છે અને પર્યાય ઉત્પાદ-વ્યયરૂપ છે તેમ સ્વીકારીએ તો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ની સિદ્ધિ થાય. માટે ફરી ઉત્પાદન આશ્રયીને કેવલજ્ઞાન અને કેવલદર્શનને અપર્યવસિત સ્વીકારી શકાય નહીં અને દ્રવ્યાર્થપણાથી કેવલજ્ઞાન-કેવલદર્શનની અપર્યવસિતતા સ્વીકારવામાં આવે તો બીજી ક્ષણમાં પણ કેવલજ્ઞાન-કેવલદર્શનનો સદભાવ માનવો પડે. જો કેવલજ્ઞાન બીજીક્ષણમાં નથી તેમ સ્વીકારવામાં આવે તો દ્રવ્યાર્થપણાથી કેવલજ્ઞાનની અપર્યવસિતતા સિદ્ધ થાય નહીં. આશય એ છે કે કેવલજ્ઞાન-કેવલદર્શન પર્યાયથી યુક્ત કેવલીદ્રવ્ય શાશ્વત છે માટે દ્રવ્યાર્થથી કેવલજ્ઞાન અને કેવલદર્શન અપર્યવસિત છે તેમ કહી શકાય, પરંતુ કેવલી પ્રથમ ક્ષણમાં કેવલજ્ઞાનના ઉપયોગવાળા છે, બીજી ક્ષણમાં કેવલદર્શનના ઉપયોગવાળા છે એ રીતે ક્રમસર કેવલજ્ઞાન-કેવલદર્શનનો ઉપયોગ સ્વીકારવામાં આવે તો દ્રવ્યાર્થપણાથી કેવલજ્ઞાન-કેવલદર્શન અપર્યવસિત છે એમ માની શકાય નહીં અને આગમમાં કેવલજ્ઞાનને સાદિઅપર્યવસિત સ્વીકાર્યું છે માટે કેવલજ્ઞાન-કેવલદર્શનનો યુગપદ્ ઉપયોગ જ સ્વીકારવો જોઈએ, એ પ્રકારનો અક્રમવાદીનો આશય છે. રા અવતરણિકા : तदेवं क्रमाभ्युपगमे तयोरागमविरोध इत्युपसंहरनाह - અવતરણિકાર્ય : ગાથા-૪થી કેવલજ્ઞાન-કેવલદર્શનના ક્રમના ઉપયોગનું વર્ણન શરૂ કરેલ. એ રીતે તેઓના ક્રમઅભ્યપગમમાં આગમનો વિરોધ છે એ પ્રમાણે ઉપસંહાર કરતાં કહે છે – ભાવાર્થ : ગાથા-૭માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે શાસ્ત્રમાં કેવલજ્ઞાન-કેવલદર્શનને સાદિ અપર્યવસિત કહેલ છે તેને સૂત્ર-આશાતનાભીરુઓએ જવું જોઈએ. તેથી હવે ક્રમિકઉપયોગમાં કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિ અપર્યવસિત સિદ્ધ થતું નથી તે બતાવીને કેવલજ્ઞાન અને કેવલદર્શનના ક્રમના સ્વીકારમાં આગમનો વિરોધ બતાવે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy