SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૭ કેવલદર્શનનો ક્રમઉપયોગ સ્વીકારવામાં આવે તો કેવલજ્ઞાન અને કેવલદર્શનમાંથી પ્રત્યેકનું બીજા સમયમાં પર્યવસાન પ્રાપ્ત થાય. માટે કેવલજ્ઞાન-કેવલદર્શનની અપર્યવસિતતા કેવી રીતે પ્રાપ્ત થાય ? અર્થાત્ પ્રાપ્ત હીં. માટે સૂત્ર આશાતનાભીરુ એવા ક્રમઉપયોગવાદી વડે “વત્તા ઇi અંતે !' ઇત્યાદિ આગમમાં કેવલજ્ઞાન-કેવલદર્શનનું જે સાદિ અપર્યવસિતતાનું કથન છે તેનું પર્યાલોચન કરવું જોઈએ. જો તે સૂત્રનું પર્યાલોચન ક્રમઉપયોગવાદી કરે નહીં તો તેઓને સૂત્રઆશાતનાની પ્રાપ્તિ થાય. અહીં પ્રશ્ન થાય કે સૂત્રની આશાતના કઈ રીતે પ્રાપ્ત થાય ? તેથી ટીકાકારશ્રી કહે છે – જો કેવલજ્ઞાન-કેવલદર્શન ક્રમસર થાય છે એમ સ્વીકારવામાં આવે તો કેવલદર્શનના ઉપયોગકાળમાં કેવલી સર્વજ્ઞ નથી એ પ્રકારે સર્વજ્ઞપણાના અધિક્ષેપ દ્વારા સૂત્રની આશાતના થાય, પરંતુ અચેતનરૂપ જે સૂત્રના વચનો છે તેનો અધિક્ષેપ થઈ શકે નહીં, પણ સૂત્રના વચનથી વાચ્ય એવા સર્વજ્ઞના સ્વરૂપના અપલોપથી સૂત્રની આશાતના પ્રાપ્ત થાય છે. અહીં ક્રમઉપયોગવાદી કહે કે કેવલજ્ઞાન-કેવલદર્શન ક્રમસર થાય છે, પરંતુ તેના આધારભૂત કેવલીદ્રવ્યની અપેક્ષાએ કેવલજ્ઞાન-કેવલદર્શન અપર્યવસિત છે. માટે સૂત્રની આશાતના પ્રાપ્ત થશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે – કેવલી દ્રવ્યને આશ્રયીને કેવલજ્ઞાન-કેવલદર્શન કેવું છે ? એવો પ્રશ્ન કરેલો નથી, પરંતુ કેવલીનું કેવલજ્ઞાન-કેવલદર્શન રત્નપ્રભાપૃથ્વીને એક સમયે જાણે છે અને જુએ છે તેને આશ્રયીને પ્રશ્ન છે. તેથી જે સમયે કેવલી રત્નપ્રભાપૃથ્વીને તે તે આકારાદિ દ્વારા જાણે છે તે સમયે જોતા નથી ઇત્યાદિ વચનમાં દ્રવ્ય અપેક્ષાએ ઉત્તર સંભવતો નથી, પરંતુ કેવલજ્ઞાન-કેવલદર્શનને આશ્રયીને જ ઉત્તર સંભવે છે. અહીં ક્રમિકવાદી અક્રમવાદીને કહે કે કેવલજ્ઞાનને અને કેવલદર્શનને તમે અક્રમથી સ્વીકારશો તોપણ કેવલજ્ઞાન અને કેવલદર્શન સાદિ અપર્યાવસાન કઈ રીતે સિદ્ધ થઈ શકે ? અર્થાતુ થઈ શકે નહીં, કેમ કે કેવલીદ્રવ્યમાં વર્તતા કેવલજ્ઞાન અને કેવલદર્શન પર્યાય સતત ઉત્પાદ-વિગમાત્મક છે અર્થાત્ કેવલીનું કેવલજ્ઞાન પણ કેવલીદ્રવ્યરૂપ જીવનો પર્યાય હોવાથી પ્રતિક્ષણ તે તે કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ પર્યાય અન્ય અન્યરૂપ થાય છે, માટે કેવલજ્ઞાન-કેવલદર્શનને સાદિ અનંત માનવો હોય તો કેવલીદ્રવ્યની અપેક્ષાએ જ સાદિ અનંત સ્વીકારી શકાશે. આ પ્રકારના ક્રમવાદીના કથનમાં અક્રમવાદી કહે કે કેવલીદ્રવ્યની અપેક્ષાએ કેવલજ્ઞાન-કેવલદર્શન સાદિ અપર્યવસિત છે, એમ સ્વીકારી શકાશે. તેને ક્રમવાદી કહે છે – જો અક્રમવાદી કેવલીદ્રવ્યની અપેક્ષાએ કેવલજ્ઞાન કેવલદર્શનને સાદિ અપર્યવસાન સ્વીકારી શકે તો ક્રમવાદીના પક્ષમાં પણ કેવલીદ્રવ્યની અપેક્ષાએ કેવલજ્ઞાન-કેવલદર્શનને સાદિ અપર્યવસાન સ્વીકારી શકાશે. અહીં જો અક્રમવાદી કહે કે દ્રવ્યની અપેક્ષાએ શાસ્ત્રમાં પ્રશ્ન અને પ્રતિવચન નથી માટે કેવલીદ્રવ્યને આશ્રયીને ક્રમવાદી કેવલજ્ઞાન અને કેવલદર્શનને અપર્યવસાન સ્વીકારી શકે નહીં, તો અક્રમવાદી પણ કેવલીદ્રવ્યની અપેક્ષાએ કેવલજ્ઞાનને અને કેવલદર્શનને અપર્યવસાન કઈ રીતે સ્વીકારી શકે ? અર્થાત્ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy