SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪ હવે સામાવ્યાત્મક=જો કેવલ સામાન્યાત્મક, છે એ પ્રકારનો પક્ષ છે તો, એ રીતે પણ વિશેષવિકલ સામાન્યરૂપ વિષયનો અભાવ હોવાથી=જેમાં કોઈ વિશેષ ન હોય તેવા સામાન્યરૂપ કેવલદર્શનના વિષયનો અભાવ હોવાથી, નિર્વિષય એવા દર્શનનો પણ જેનો કોઈ વિષય નથી એવા કેવલદર્શનનો પણ, અભાવ હોવાથી કેવલી કાંઈ જોતા નથી. હવે અયુગપક્રમિક, જ્ઞાન અને દર્શન તેમને-કેવલીને, સ્વીકારાય છે તોપણ જ્યારે જાણે છે=જ્યારે કેવલી જાણે છે, ત્યારે જોતા નથીeત્યારે કેવલી જોતા નથી, અને જ્યારે જુએ છે =કેવલી જુએ છે, ત્યારે જાણતા નથી, એથી એકરૂપના અભાવમાં જાણવા અને જોવાના કાળમાં બન્નેમાંથી એકરૂપના અભાવમાં, અત્યતરનો પણ અભાવ હોવાથી પૂર્વની જેમ અકિંચિજ્ઞ અને અકિંચિઠ્ઠ થાય કેવલી અકિચિત્ત અને અકિંચિલ્શ થાય. અથવા ઉભયરૂપ વસ્તુમાં દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ વસ્તુમાં, અત્યતરનું જ ગ્રાહકપણું હોવાથી એકસમયમાં દ્રવ્ય અને પર્યાયમાંથી અત્યતર એવા એકનું જ ગ્રાહકપણું હોવાથી, કેવલ ઉપયોગ=એક ઉપયોગ દ્રવ્ય અને પર્યાયમાંથી કોઈ એકનો ઉપયોગ, વિપર્યસ્ત જ થાય. તે આ પ્રમાણે – ઉભયરૂપ વસ્તુમાં દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપ વસ્તુમાં, જે સામાન્યનું જ ગ્રાહક છે=જે કેવલદર્શન સામાન્યનું જ ગ્રાહક છે, તે વિપર્યસ્ત છે–તે કેવલદર્શન વિપર્યસ્ત છે, જે પ્રમાણે સાંખ્યજ્ઞાન=જે પ્રમાણે સાંખ્યદર્શનકારો આત્માને નિત્ય માનીને આત્માને સામાન્યરૂપ કહે છે તે વિપર્યસ્ત છે તે પ્રમાણે, અને તે પ્રમાણે=જે પ્રમાણે સાંખ્ય જ્ઞાન વિપર્યસ્ત છે તે પ્રમાણે, સામાન્યગ્રાહી એવું કેવલદર્શન છે એથી તેવું છે=સાંખ્યજ્ઞાનની જેમ વિપર્યસ્ત છે. તેવા પ્રકારની વસ્તુમાં દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ વસ્તુમાં, જે વિશેષ અવભાસી જ છે=જે કેવલજ્ઞાન વિશેષ અવભાસી જ છે, તે પણ વિપર્યસ્ત છે, જે પ્રમાણે સુગતનું જ્ઞાન =જે પ્રમાણે બૌદ્ધનું એકાંત પર્યાયને સ્વીકારનારું જ્ઞાન વિપર્યસ્ત છે અને તે પ્રમાણે કેવલજ્ઞાન છે કેવલીનું કેવલજ્ઞાન છે, એથી વિપર્યસ્ત છે. અને જે પ્રમાણે સામાન્યવિશેષાત્મક વસ્તુ છે તે પ્રમાણે અનેક વખત પૂર્વમાં ગ્રંથકારશ્રીએ પ્રતિપાદન કર્યું છે. (માટે સામાન્ય કે વિશેષમાંથી કોઈ એકનું જ્ઞાન વિપર્યસ્ત છે.). હોઢદાન પણ=કેવલીમાં આલનું વચન પણ, સૂત્રના અન્યથા વ્યાખ્યાનથી ઉપપત્ર છે. તે આ પ્રમાણે – ત્યાં=સૂત્રમાં=ગાથામાં કહેલ સૂત્રમાં પૂર્વ પ્રદર્શિત અર્થ નથી, પરંતુ આ અર્થ છે – કેવલી આ રત્નપ્રભા પૃથ્વીને જે આકારાદિ વડે સમકકતુલ્ય, જાણે છે તે આકારાદિ વડે તુલ્ય જોતા નથી – આ અર્થ છે. શું આ પ્રમાણે ગ્રહણ કરવા યોગ્ય છે ?=શું આ પ્રમાણે ભગવતીસૂત્રનો અર્થ ગ્રહણ કરવા યોગ્ય છે ? ‘પર્વ' એ અનુમોદનામાં છે=સમર્થનમાં છેકપૂર્વમાં પ્રશ્ન કર્યો એ પ્રશ્ન પ્રમાણે જ છે એ પ્રકારના સ્વીકારમાં છે. તેથી હેતુ પુછાયે છતે તેનું પ્રતિવચન છેઃઉત્તર છે=ભગવતીસૂત્રમાં “દંતા જોયા!'ઈત્યાદિ દ્વારા તેનું પ્રતિવચન છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy