SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ * ભાવાર્થ: દ્રવ્યાસ્તિકનયનો વિષય સામાન્ય જ વસ્તુ છે. તેથી ગાથામાં કહ્યું કે જે સામાન્ય ગ્રહણ છે એ દર્શન છે. ત્યાં સામાન્ય વસ્તુ દ્રવ્યાસ્તિકનયનો વિષય છે તેમ બતાવ્યા પછી સામાન્ય ગ્રહણનો અર્થ કરે છે – સામાન્ય વસ્તુ આના વડે ગ્રહણ થાય એ સામાન્ય ગ્રહણ છે અને જે સામાન્યગ્રહણ છે તે દર્શન છે, તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યાસ્તિકનયનો વિષય સામાન્ય વસ્તુ છે અને દ્રવ્યાસ્તિકનયના વિષયભૂત એવા સામાન્યને જે ગ્રહણ કરે તે દર્શન કહેવાય. વળી પર્યાયાસ્તિકનયનો વિષય વિશેષ વસ્તુ છે અને તે વિશેષ વસ્તુને જે ગ્રહણ કરે તે જ્ઞાન છે. ગાથામાં વિશેષિત કહેલું છે તેનો અર્થ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે કે વિશેષ ગ્રહણ એ પ્રકારનો અભિપ્રાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે વિશેષનું ગ્રહણ એ જ્ઞાન છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધથી એ પ્રાપ્ત થયું કે દ્રવ્યાસ્તિકનયના વિષયભૂત એવા સામાન્યને જે ગ્રહણ કરે તેને દર્શન કહેવાય અને પર્યાયાસ્તિકનયના વિષયભૂત એવા વિશેષને જે ગ્રહણ કરે તે જ્ઞાન કહેવાય. આ કથનથી શું ફલિત થાય છે ? તે ગાથાના ઉત્તરાર્ધથી કહે છે દર્શનનય અને જ્ઞાનનય બન્નેનો આ પ્રત્યેક અર્થપર્યાય છે. સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧ અર્થપર્યાયનો અર્થ સ્પષ્ટ કરે છે અર્થને=વિષયને, જે જાણે તે અર્થપર્યાય કહેવાય. તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યાસ્તિકના વિષયભૂત એવા જે અર્થને જાણે તે દર્શન છે અને પર્યાયાસ્તિકનયના વિષયભૂત અર્થને જે જાણે તે જ્ઞાન છે. આનો ફલિતાર્થ સ્પષ્ટ કરતાં કહે છે - Jain Educationa International આવા પ્રકા૨ના અર્થનું ગ્રાહકપણું બંને નયનું પૃથક્ છે અર્થાત્ દર્શનનયનું સામાન્ય અર્થનું ગ્રાહકપણું છે અને જ્ઞાનનયનું વિશેષ અર્થનું ગ્રાહકપણું પૃથક્ છે. ટીકા ઃ उपयोगस्य चानाकारसाकारते सामान्यविशेषग्राहकते एव तत्र तत्राभिधीयेते, अविद्यमान आकार:= भेदो ग्राह्यस्य अस्येत्यनाकारं दर्शनमुच्यते । सह आकारैर्ग्राह्यभेदैर्वर्त्तते यद् ग्राहकं तत् साकारं ज्ञानमित्युच्यते । निराकारसाकारोपयोगी तूपसर्जनीकृततदितराकारौ स्वविषयावभासकत्वेन प्रवर्तमानौ प्रमाणम् न तु निरस्तेतराकारौ, तथाभूतवस्तुरूपविषयाभावेन निर्विषयतया प्रमाणत्वानुपपत्तेरितरांशविकलैकांशरूपोपयोगसत्तानुपपत्तेश्च । तेनैकान्तवाद्यभ्युपगमः 'बोधमात्रं प्रमाणम् साकारो बोधो, अनधिगतार्थाधिगन्तृत्वविशिष्टः स एव ज्ञातृव्यापारोऽर्थदृष्टताख्यफलानुमेयः संवेदनाख्यफलानुमेयो वा अनधिगतार्थाधिगन्ता, इन्द्रियादिसंपाद्यः, अव्यभिचारादिविशेषण For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy