SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૪૨ નહીં હોવાને કારણે નિર્નિમિત્ત જ પુરુષ જીવ ઈત્યાદિ પ્રત્યયતા અભિધાનનો સંભવ હોતે છતે, સામાન્ય પ્રત્યય અભિધાનનું પણ નિિિમત જ ભાવ હોવાથી=પુરુષવિશેષથી રહિત સામાન્ય જીવ નહીં હોવાને કારણે સામાન્ય પ્રત્યયતા અભિયાનનો પણ નિમિત્ત જ ભાવ હોવાથી તદ્ તિબંધન સામાન્ય અભ્યાગમ પણ=નિિિમત્ત એવા સામાન્ય પ્રત્યય અભિધાન નિબંધન સામાન્ય અભ્યપગમ પણ, અયુક્ત થાય. એથી સર્વનો અભાવ પ્રાપ્ત થાય સામાન્ય-વિશેષ સર્વનો અભાવ પ્રાપ્ત થાય. અહીં પૂર્વપક્ષી કહે કે બાધારહિત પણ વિશેષ પ્રત્યયનું ઇન્દ્રિયાદિ દ્વારા બાધારહિત ગ્રહણ થતા પુરુષ વિશેષરૂપ પ્રત્યયનું, મિથ્યાપણું છે. એમ ન કહેવું; કેમ કે ઈતરમાં પણ બાધારહિત એવા સામાન્યમાં પણ, તેની પ્રસક્તિ હોવાથી મિથ્યાત્વની પ્રસક્તિ હોવાથી (મિથ્યાત્વ સ્વીકારવાની આપત્તિ આવે) એ પ્રકારનું પ્રતિપાદન છે. ll૨/૪રા ભાવાર્થ પૂર્વપક્ષીએ ગાથા-૩૭, ૩૮માં જીવનો અને કેવળજ્ઞાનનો એકાંત ભેદ સ્થાપન કરેલ, તે એકાંત ભેદ સ્વીકારવો યુક્ત નથી, તે બતાવવા માટે પર્યાયોથી ભિન્ન જ દ્રવ્ય નથી તે સ્પષ્ટ કરે છે. કેમ પર્યાયોથી ભિન્ન જ દ્રવ્ય નથી ? તે બતાવતાં કહે છે – અનાદિઅનંત એવો જીવ “જીવ જ છે” એમ કહેવામાં આવે તો પર્યાયોથી ભિન્ન જીવ સિદ્ધ થાય. પરંતુ એ પ્રકારે નિયમથી કહી શકાય નહીં. કેમ કહી શકાય નહીં ? તેથી કહે છે – દેવાયુષ્યવાળા જીવથી પુરુષ આયુષ્યવાળો જીવ વિશિષ્ટ છે=ભિન્ન છે. એ પ્રતીત થાય છે માટે પર્યાયથી ભિન્ન જ જીવ નથી તેમ સિદ્ધ થાય છે. આશય એ છે કે કોઈ જીવ દેવ આયુષ્યને કારણે દેવભવમાં હોય અને ત્યાંથી આવીને મનુષ્યભવમાં આવે ત્યારે પુરુષ આયુષ્યવાળો થાય તે વખતે દેવાયુષ્ય અને મનુષ્યાયુષ્ય બંને અવસ્થામાં એક જીવ હતો, જે અનાદિથી અનંત કાળ સુધી રહેનાર છે, છતાં દેવાયુષ્યરૂપે દેખાતો જીવ જ્યારે પુરુષ આયુષ્યવાળો થાય છે ત્યારે ભિન્ન પ્રતીત થાય છે. તે ભિન્ન પ્રતીતિ જીવદ્રવ્યથી અભિન્ન એવા દેવાયુષ્યપર્યાય અને તેના તે જ જીવદ્રવ્યથી અભિન્ન એવા પુરુષાયુષ્યપર્યાયને કારણે થાય છે માટે દેવાયુષ્યપર્યાય અને પુરુષાયુષ્યપર્યાયથી જીવદ્રવ્ય ભિન્ન જ નથી અર્થાત્ કથંચિત્ ભિન્ન છે પરંતુ સર્વથા ભિન્ન જ નથી. આ કથનને ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે. દેવાયુષ્યમાં અને પુરુષાયુષ્યમાં જીવ જ છે. એ પ્રકારે અભેદ કરવામાં આવે તો “આ પુરુષ જીવ છે', “આ દેવ જીવ છે'. ઇત્યાદિ ભેદ થાય નહીં; કેમ કે કેવલ સામાન્યરૂપ જીવના વિશેષ પ્રત્યય અભિધાનનું અકારણપણું છે=“આ પુરુષ જીવ છે”, “આ દેવ જીવ છે'. એ પ્રકારના વિશેષ પ્રત્યયના અભિધાનનું અકારણપણું છે. માટે કથંચિત્ જીવદ્રવ્યનો પર્યાયથી અભેદ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy