SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | ગાથા-૪૧ દેખાય છે અને કેવળીપર્યાય ઉત્પન્ન થાય છે ત્યારપછી અપર્યવસિત રહે છે. એ પ્રકારનો વર્ષવિભાગ દેખાય છે. જેમ દૃષ્ટાંતમાં “સાંઈઠ વર્ષના આયુષ્યવાળો પુરુષસામાન્ય રાજાપર્યાયરૂપે થયો’ એ કથનમાં અભેદઅધ્યાસિત ભદાત્મક બુદ્ધિ થાય છે અને રાજાપર્યાયાત્મકપણાથી “આ પુરુષ થયો ત્યાં ભેદથી યુક્ત અભેદબુદ્ધિ થાય છે. તેમ પ્રસ્તુતમાં પણ “અનાદિનિધન એવો આત્મા કેવળીપર્યાયરૂપે થયો.' તે કથનમાં અભેદઅધ્યાસિત ભદાત્મક બુદ્ધિ થાય છે અને કેવળીપર્યાયરૂપે આ જીવ ઉત્પન્ન થયો'. એ કથનમાં ભેદયુક્ત અભદાત્મકબુદ્ધિ થાય છે. આ કથનથી શું પ્રાપ્ત થાય છે ? તે ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – સંસારમાં જીવદ્રવ્ય હોય છે ત્યારે ઘાતકર્મના નાશથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે વખતે કેવળરૂપથી જીવદ્રવ્યસામાન્યની પણ કથંચિત્ ઉત્પત્તિ હોવાથી સામાન્ય પણ ઉત્પન્ન થયેલું જાણવું. જો કે જીવદ્રવ્ય જીવદ્રવ્યરૂપે અનાદિઅનંત છે તોપણ તે જીવદ્રવ્ય કેવળજ્ઞાનરૂપે પૂર્વમાં ન હતો અને ઘાતકર્મના નાશથી કેવળજ્ઞાનરૂપે ઉત્પન્ન થયો માટે કેવળજ્ઞાનરૂપે જીવદ્રવ્ય પણ કથંચિત્ ઉત્પન્ન થયો છે. વળી, જીવદ્રવ્ય સંસાર અવસ્થામાં સંઘયણાદિ અવસ્થાવાળો છે અને જ્યારે સિદ્ધ અવસ્થાને પામે છે ત્યારે સંઘયણ, દેહાદિ અવસ્થાનો નાશ થાય છે. તેથી તે અવસ્થાથી અભિન્ન સામાન્ય એવું જીવદ્રવ્ય કથંચિ નાશ પામે છે. કયા સ્વરૂપે નાશ પામે છે ? તે સ્પષ્ટ કરે છે – સંઘયાદિ અવસ્થાથી અભિન્ન એવા કેવળરૂપપણાથી નાશ પામે છે; કેમ કે જેમ જીવદ્રવ્ય સંસાર અવસ્થામાં સંઘયણાદિરૂપ હતો તેમ કેવળરૂપ પણ હતો અને તે સર્વ પર્યાયોથી અભિન્ન એવું જીવદ્રવ્ય સંસાર અવસ્થામાં હતું અને જ્યારે સંઘયણાદિ પર્યાયો નાશ પામે છે ત્યારે જીવદ્રવ્ય તે સંઘયણાદિથી અભિન્ન એવા કેવળરૂપ પર્યાયથી પણ નાશ પામે છે. તેમાં દષ્ટાંત આપે છે – જેમ પિંડમાંથી ઘડો થાય છે ત્યારે પિંડ અવસ્થામાં અને ઘટ અવસ્થામાં વર્તતું એકમૃદ્રવ્ય પૂર્વના પિંડપર્યાયના ત્યાગમાં પ્રવૃત્ત છે અને ઉત્તરના ઘટપર્યાયના ગ્રહણમાં પ્રવૃત્ત છે તેમ સંસારી અવસ્થામાંથી જીવ સિદ્ધ અવસ્થાને પામે છે ત્યારે પૂર્વના કેવળજ્ઞાનપર્યાયના ત્યાગમાં પ્રવૃત્ત છે અને ઉત્તરના સિદ્ધરૂપ કેવળજ્ઞાનપર્યાયના ગ્રહણમાં પ્રવૃત્ત છે. વળી, તે વખતે જીવરૂપપણાથી જીવદ્રવ્ય અનાદિનિધન છે. તેથી જીવદ્રવ્ય કેવળજ્ઞાનરૂપે નાશ પામવા છતાં જીવરૂપે સદા છે તેમ જાણવું. અહીં પ્રશ્ન થાય કે આ પ્રકારના કથનમાં દૃષ્ટાંતની સંગતિ કઈ રીતે થશે ? તેથી ટીકાકારશ્રી કહે છે – માટીદ્રવ્ય પિંડમાંથી ઘટ થાય છે ત્યારે પ્રતિક્ષણ ભાવિના પર્યાયરૂપે થાય છે અને તે સર્વ પર્યાયોમાં અનુગત મુદ્રવ્યની પ્રત્યક્ષથી અનુભૂતિ છે. તેથી જણાય છે કે મુદ્રવ્ય તે તે પર્યાયરૂપે પ્રતિક્ષણ નાશ પામે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy