SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૩૦ વાક્ય શ્રવણાદિ સામગ્રી વિશેષ નિમિત્તથી પ્રાદુર્ભત અથવા વાક્ય શ્રવણતા અનિમિત એવો વાક્યર્થ ગ્રહણની પરિણતિનો સ્વભાવવાળો શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ આત્માનું શ્રુતજ્ઞાન છે એ પ્રમાણે શબ્દની અભિધેયતાને પ્રાપ્ત કરે છે. વળી, જીવતી રૂપીદ્રવ્યની ગ્રહણની પરિણતિ વિશેષ ભવપ્રત્યય અને ગુણપ્રત્યય અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી પ્રાદુર્ભત લોચનાદિ બાહ્ય નિમિત્તોથી નિરપેક્ષ અવધિજ્ઞાન એ પ્રકારે તેના જાણનારા વડે વ્યપદેશ કરાય છે. વળી, અવધિદર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી પ્રાદુર્ભત તે જ અવધિજ્ઞાત જ, તદ્રવ્યના સામાન્ય પર્યાલોચન સ્વભાવવાળો અવધિદર્શન વ્યપદેશભાચું થાય છે. મન:પર્યવજ્ઞાનાવરણના કર્મના ક્ષથોપશમાદિ વિશિષ્ટ સામગ્રીથી સમુત્પાદિત અર્ધતૃતીયદ્વીપ સમુદ્ર અંતર્વર્તી સકલ મનોવિકલ્પની ગ્રહણની પરિણતિ ચક્ષુ આદિ કરણનિરપેક્ષ એવા આત્માનું મન:પર્યવજ્ઞાન એ પ્રમાણે વિદ્વાનો કહે છે. અને છાઘસ્થિક ઉપયોગને આત્મા સ્વપ્રદેશના આવરણના ક્ષયોપશમ દ્વારા પ્રાપ્ત કરે છે. પરંતુ અનંત શેયતા જ્ઞાનસ્વભાવવાળા આત્માનું ખંડથી પ્રતિપત્તિીરૂપ આ જ પારમાર્થિક રૂપ નથી; કેમ કે તે આત્માનું, સામાચવિશેષાત્મક વસ્તુના વિસ્તારવ્યાપી યુગ૫૬ પરિચ્છેદ સ્વભાવદ્રયાત્મક એક કેવલ અવબોધરૂપ તાત્વિકરૂપપણું છે અને તેનું તે સ્વરૂપ કેવળજ્ઞાન કેવળદર્શનના આવરણ કરનાર એવા કર્મના ક્ષયથી આવિર્ભૂત કરણક્રમના વ્યવધાનથી અતિવર્તી સકલ લોકાલોક વિષય ત્રિકાલ સ્વભાવના પરિણામના ભેદથી અનંત પદાર્થને એકસાથે સામાચવિશેષરૂપે સાક્ષાત્કરણમાં પ્રવૃત એવું કેવળજ્ઞાન, કેવળદર્શન એ પ્રમાણે વ્યપદેશ પામે છે. તેનાથી=પૂર્વમાં સૂરિજીના અભિપ્રાય અનુસાર પાંચ જ્ઞાન અને ચાર દર્શનનું સ્વરૂપ બતાવ્યું તેમાં મતિજ્ઞાન અને ચક્ષુદર્શન-અચક્ષુદર્શનનો ટીકાકારશ્રીએ ભેદ બતાવ્યો તેનાથી. “અવગ્રહરૂપ આભિતિબોધ દર્શન છે અને તે જ=આભિતિબોધ જ, ઈહાદિ રૂપ વિશેષગ્રાહક જ્ઞાન છે. તેનાથી વ્યતિરિક્ત= આભિનિબોધથી વ્યતિરિક્ત અપર એવા ગ્રાહકનો અભાવ હોવાથી તે એકનું આભિતિબોધક જ્ઞાનરૂપ એવા તે જ એકનું, તથાગ્રહણ હોવાના કારણે અવગ્રહરૂપે ગ્રહણ હોવાના કારણે, તથાથપદેશ હોવાથી=દર્શતરૂપે વ્યપદેશ હોવાથી. કોની જેમ દર્શનરૂપ વ્યપદેશ છે ? તે સ્પષ્ટ કરે છે – ઉત્કૃણવિફણ અવસ્થાવાળા સર્પ દ્રવ્યની જેમ દર્શન વ્યપદેશ હોવાથી, તેથી=દર્શન અને જ્ઞાન-બન્ને આભિતિબોધ હોવાથી, તે બે અવસ્થાનો-દર્શન અને જ્ઞાનરૂ૫ બે અવસ્થાનો, અભેદ હોવાના કારણે અને તેનું અવગ્રહનું, તરૂપપણું હોવાથી=દર્શતરૂપપણું હોવાથી, એક જ આભિતિબોધ દર્શન અને મતિજ્ઞાન કહેવાય છે. એ પ્રમાણે સૂત્રકારશ્રીનો અભિપ્રાય છે. એ રીતે જે કોઈ વડે વ્યાખ્યાન કરાયું તે અસંગત જણાય છે; કેમ કે આગમનો વિરોધ છે અને યુક્તિનો વિરોધ છે. તેમાં પ્રથમ યુક્તિનો વિરોધ બતાવે છે. એકાંતથી અભેદ હોતે છતે=દર્શન અને જ્ઞાનનો એકાંતથી અભેદ હોતે છતે, પૂર્વનો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy