SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૫-૨૬ ત્યારપછી શ્રોત્રાદિ ઇન્દ્રિયો દ્વારા વ્યંજનાવગ્રહના ક્રમથી જે બોધ થાય છે તે જ્ઞાનસ્વરૂપ છે; કેમ કે છદ્મસ્થને દર્શનપૂર્વક જ્ઞાન થાય છે એમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં ગાથા-૩માં સ્થાપન કરેલ છે. તેથી તે તે ઇન્દ્રિયના બોધ વખતે મનથી થતું દર્શન જ સ્વીકારી શકાય. આનાથી એ ફલિત થાય કે ચક્ષુદર્શન ચક્ષુઇન્દ્રિયથી થાય છે. અચક્ષુદર્શન મનથી જ થાય છે, અન્ય ઇન્દ્રિયોથી થતું નથી અને ચક્ષુઇન્દ્રિયથી બોધ કરવાને જીવ અભિમુખ થાય છે ત્યારે પ્રથમ ચક્ષુદર્શન થાય છે. ત્યારપછી અવગ્રહાદિના ક્રમથી જ્ઞાન થાય છે અને અન્ય સર્વ ઇન્દ્રિયોથી દર્શન થતું નથી તોપણ અન્ય ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરવાને અભિમુખ મન થાય છે. તે દર્શનરૂપ છે અને મનથી કોઈ વિચારણા કરવામાં આવે ત્યારે પણ પ્રથમ અચક્ષુદર્શન થાય છે. ત્યારપછી ઇન્દ્રિયના વિષયમાં કે મનના વિષયમાં અવગ્રહાદિ ક્રમથી બોધ થાય છે તે જ્ઞાન છે. ૯૮ વળી, ઉન્નતિરૂપ મેઘને જોઈને ‘વૃષ્ટિ થશે’ તેવું અનુમાન થાય છે કે નદીમાં આવેલા પૂરને જોઈને ‘પૂર્વમાં વ૨સાદ પડ્યો છે' તેવું અનુમાન થાય છે. તે અનુમાનના વિષયભૂત અર્થ ચક્ષુથી અસ્પૃષ્ટ અને ઇન્દ્રિયોનો અવિષય છે. તેથી તેને પણ દર્શન કહેવાની આપત્તિ આવે. તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે કે લિંગ દ્વારા જે અનુમાન થાય છે. તેને છોડીને અસ્પષ્ટ અને અવિષયવાળા અર્થમાં થતું જ્ઞાન દર્શન છે. અહીં ગાથામાં ‘જ્ઞાન’ શબ્દ વાપર્યો છે, તે મતિજ્ઞાન સ્વરૂપ નથી. પરંતુ મતિજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે થતા પદાર્થના ઉપલભ્ભરૂપ છે તે બતાવવા માટે ‘જ્ઞાન' કહેલ છે. II૨/૨૫ણા અવતરણિકા : यद्यस्पृष्टाऽविषयार्थज्ञानं दर्शनमभिधीयते ततः અવતરણિકાર્ય : જો અસ્પૃષ્ટ, અવિષયાર્થ જ્ઞાન એ દર્શન કહેવાય અર્થાત્ ‘લિંગથી થતા અનુમાનને છોડીને' એમ કહ્યા વગર અસ્પૃષ્ટ અને અવિષયાર્થ જ્ઞાન એ દર્શન કહેવાય, તો શું દોષ આવે છે ? તે ગાથામાં બતાવે છે – ગાથા: છાયા : Jain Educationa International - मणपज्जवणाणं दंसणं ति तेणेह होइ ण य जुत्तं rors णाणं णोइंदियम्मि ण घडादओ जम्हा ||२ / २६ ।। मनः पर्यवज्ञानं दर्शनमिति तेनेह भवति न च युक्तम् । भण्यते ज्ञानं नोइन्द्रिये न घटादयो यस्मात् ।।२/२६।। For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy