SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૧૯ नियमाद् ज्ञानमेवागमे निर्दिष्टो न तु दर्शनम्, केवलं तु सामान्यविशेषोपयोगैकरूपत्वात् केवलं ज्ञानं વનં સનં ત્યારે નિર્વિદમ્ ા૨/૧૨ ટીકાર્ચ - તો .... નિર્દિષ્ટ છે જે કારણથી મન:પર્યવજ્ઞાનના વિષયગત એવા પરમતોદ્રવ્યવિશેષોને સામાન્યરૂપ દર્શન નથી. કેમ સામાન્યરૂપ દર્શન નથી ? તેમાં યુક્તિ બતાવે છે – વિશેષરૂપપણાથી બાહ્ય એવા ચિત્યમાન ઘટાદિના લિંગિરૂપ મનોવર્ગણાતા પુદ્ગલોની ગમકતાની ઉપપતિ હોવાથી દર્શન નથી, એમ અવય છે. ગાથાના ઉત્તરાર્ધ સાથે પૂર્વાર્ધનું યોજન કરે છે – ચિત્યથી અવિશેષરૂપ=ચિત્ય એવા ઘટાદિ પદાર્થથી અવિશેષરૂપ એવા, અને ચિંત્યમાતના આલંબન રૂપ પરમનોદ્રવ્યગત એવા દ્રવ્યરૂપોનું ચિંત્યમાન એવા ઘટાદિના આલંબનવાળું એવું પરમનોગત દ્રવ્યોનું, વિશેષરૂપપણાસ્વરૂપે બહાર્થનું ગમકપણું હોવાથી તદ્ગાહી મતાપર્યવજ્ઞાન વિશેષ આકારપણું હોવાના કારણે જ્ઞાન જ છે. ગ્રાઘના દર્શનનો અભાવ હોવાને કારણે=મતાપર્યવજ્ઞાનના વિષયભૂત મનોવર્ગણાના પુદ્ગલોરૂ૫ ગ્રાહ્યમાં દર્શતતારૂપ સામાન્યનો અભાવ હોવાને કારણે, ગ્રાહકમાં પણ તે પુદ્ગલોના ગ્રાહક એવા મન:પર્યવજ્ઞાનમાં પણ, તેનો અભાવ છે. તેથી મન:પર્યાય નામનો બોધ નિયમથી જ્ઞાન જ આગમમાં કહેવાયો છે દર્શન કહેવાયો નથી. વળી કેવલ સામાન્ય-વિશેષતા ઉપયોગનું એકરૂપપણું હોવાથી કેવલજ્ઞાન-કેવલદર્શન એ પ્રમાણે આગમમાં નિર્દિષ્ટ છે. 1ર/૧૯ ભાવાર્થ : સંસારી જીવો મન દ્વારા ઘટ-પટાદિ અર્થોનું જ્ઞાન કરે છે ત્યારે પ્રથમ ભૂમિકામાં અચક્ષુદર્શન હોય છે. તે વખતે મનોવર્ગણાના દ્રવ્યો ઘટરૂપ વસ્તુના બોધના કારણભાવવાળા નથી, પરંતુ ઘટના બોધના પૂર્વે જે મન દ્વારા અચક્ષુદર્શન થાય છે તે સ્વરૂપે પરિણમન પામેલા છે ત્યારપછી=તે મનોવર્ગણાના દ્રવ્યોથી દર્શન કર્યા પછી, જ્યારે તેઓ ઘટાદિ પદાર્થવિષયક બોધ કરે છે ત્યારે તે સંસારી જીવોના મનોવર્ગણાના પુદ્ગલો વિશેષરૂપપણાથી જ વિદ્યમાન છે. આ મનોવર્ગણાના પુદ્ગલોને મન:પર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાન દ્વારા જાણે છે, તેથી ઘટાદિનું ચિંતવન કરનાર પુરુષની મનોવર્ગણામાં વિશેષરૂપપણું હોવાના કારણે મન:પર્યવજ્ઞાની પુરુષ જ્યારે તે મનોવર્ગણાના પુદ્ગલોને મન:પર્યવજ્ઞાન દ્વારા જુએ છે ત્યારે મન:પર્યવજ્ઞાનીને સામાન્યરૂપ દર્શન નથી; કેમ કે મન:પર્યવજ્ઞાનના વિષયભૂત પરમનોદ્રવ્યવિશેષ મન:પર્યવજ્ઞાની વિશેષરૂપે જ ગ્રહણ કરે છે. માટે મન:પર્યવજ્ઞાનના વિષયભૂત પરમનોદ્રવ્યમાં દર્શન નથી, એથી તેના ગ્રાહક એવા મન:પર્યવજ્ઞાનમાં પણ દર્શન નથી એ પ્રમાણે આગમમાં કહેવાયું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy