SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૧૯ થાય છે, “બંધાય છે' એ બંધ=અદષ્ટ જ છે, તેની સ્થિતિ બંધની સ્થિતિકાલાન્તરફલદાતૃપણાથી આત્મામાં અવસ્થાન, તે કષાયના વશથી છે=ક્રોધાદિના સામર્થ્યથી છે, આ બન્ને પણ યોગ અને કષાય એ બન્ને પણ, એકાંતવાદી વડે સ્વીકારાયેલ આત્મચેતવ્યલક્ષણભાવ અપરિણત હોતે છતે અને ઉચ્છન્ન હોતે છતે=એકાત્ત દ્રવ્યને સ્વીકારનાર કે એકાંત પર્યાયને સ્વીકારનાર એવા એકાંતવાદીથી સ્વીકારાયેલ આત્મચેતવ્યરૂપ ભાવ એકાંત દ્રવ્યાસ્તિકતયથી અપરિણત હોતે છતે કે એકાંત પર્યાયાસ્તિકાયથી ઉચ્છન્ન હોતે છતે, બંધસ્થિતિનું કારણ નથી કર્મ બંધનું કારણ યોગ નથી અને કર્મની સ્થિતિનું કારણ કષાયો નથી. એકાંત દ્રવ્ય સ્વીકારનાર મતાનુસાર અપરિણત આત્મામાં સ્થિતિનું કારણ કષાય કેમ નથી ? તે બતાવે છે – અપરિણામી અત્યંત અનાધેય અતિશયવાળા આત્મામાં ક્રોધાદિનો સંભવ નથી અર્થાત્ એકાંત અપરિણામી આત્મા હોતે છતે તેમાં કોઈ પરિવર્તન અત્યંત અસાધેય છે અને તેવા આત્મામાં ક્રોધાદિનો સંભવ નથી. વળી, એકાંત પર્યાય સ્વીકારનારના મતાનુસાર ઉત્સત્ર આત્મામાં બંધની સ્થિતિનું કારણ કષાય કેમ નથી? તે બતાવતાં કહે છે – વળી, એકાંત ઉત્સા અનુસંધાન વિકલ આત્મા, હોતે છતે=એકાંત નાશ પામનાર અને પૂર્વઅપરના વચ્ચે એકપણાથી અનુગત પ્રતીતિરૂપે અનુસંધાનથી વિકલ એવો ક્ષણિક આત્મા હોતે જીતે હું આના દ્વારા આકૃષ્ટ છું એ પ્રકારે દ્વેષતો સંભવ નથી અને તે રીતે આત્મા એકાંત ક્ષણિક હોય તો હું આના દ્વારા આક્રોશ કરાયો છું એવી બુદ્ધિના કારણે થતો દ્વેષ સંભવે નહીં એમ પૂર્વમાં કહ્યું તે રીતે, અન્ય આકૃષ્ટ છે અન્ય એવો ક્ષણિક આત્મા આક્રોશ કરાયેલો છે, અન્ય રોષ પામેલો છે. વળી, એકાંત પર્યાય સ્વીકારનારના મતમાં બંધનું કારણ યોગ ઘટતો નથી, તે સ્પષ્ટ કરે છે – અન્ય વ્યાપૃત છે ક્રિયામાં વ્યાપારવાળો છે, અને અન્ય બદ્ધ છે અને બીજો મુક્ત છે એથી કુશળઅકુશળ કર્મ વિષયક પ્રવૃત્તિ આદિના આરંભના વૈફલ્યની પ્રસક્તિ છે કુશળ એવા કર્મ વિષયક પ્રવૃત્તિના અને અકુશળ એવા કર્મ વિષયક નિવૃત્તિના આરંભના વૈફલ્યની પ્રસક્તિ છે. અહીં ક્ષણિકવાદી કહે કે એક સંતતિનિમિત્ત આ વ્યવહાર છે=આત્મા ક્ષણિક હોવા છતાં જે કુશળનો આરંભ કરે છે તેના સંતાનને જ તેનું ફળ મળે છે અન્યને નહીં. માટે કુશળ-અકુશળ પ્રવૃત્તિ આદિના આરંભનું વિફલપણું પ્રસક્ત નહીં થાય. તેનું નિરાકરણ કરવા અર્થે ટીકાકારશ્રી કહે છે – અને એક સંતતિનિમિત્ત આ વ્યવહાર છે એમ ન કહેવું; કેમ કે ક્ષણિક એકાંતપક્ષમાં સંતતિની કલ્પનાના બીજભૂત ઉપાદાનઉપાદેયભાવનું જ અઘટમાળપણું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy