SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪. સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧/ પ્રથમ કાંડ | ગાથા-૧૪ પરસ્પર સાપેક્ષ ઉભયનું ગ્રહણ અનેકાંતાત્મક છે અને અનેકાંતાત્મક વસ્તુને ગ્રહણ કરનાર જે બોધ છે તે નયાત્મક નથી, પરંતુ પ્રમાણાત્મક છે. તેથી એ ફલિત થાય કે દ્રવ્યાસ્તિકનય દૃષ્ટિ અને પર્યાયાસ્તિકનયા દૃષ્ટિ એમ બે નય દૃષ્ટિ પરસ્પર સાપેક્ષ એક વસ્તુને ગ્રહણ કરનાર છે, પરંતુ પરસ્પરતાપેક્ષ ઉભયગ્રાહી=પરસ્પરસાપેક્ષ દ્રવ્ય અને પર્યાય ઉભયને ગ્રહણ કરનાર, કોઈ એક નયષ્ટિ નથી તેથી પરસ્પરસાપેક્ષ એવી બે નયદષ્ટિ જે એક વસ્તુને ગ્રહણ કરે છે તે બે નયદૃષ્ટિનો સમુદાય પ્રમાણરૂપ છે; કેમ કે પૂર્ણ વસ્તુનો યથાર્થ બોધ કરાવે છે. માટે દ્રવ્યાસ્તિકનય અને પર્યાયાસ્તિકનયથી ત્રીજો કોઈ નય નથી. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્ય અને પર્યાય ઉભયને પરસ્પરતાપેક્ષ ગ્રહણ કરનાર નિયોનો સમુદાય પ્રમાણ હોય તો તે બે નયોનું પ્રતિપૂર્ણ સમ્યપણું નથી તેમ સ્વીકારવું પડે. તેના સમાધાનરૂપે કહે છે કે દ્રવાસ્તિકનય-પર્યાયાસ્તિકનયનું પ્રતિપૂર્ણ સમ્યપણું નથી એમ નહીં.” અહીં પરિપૂર્ણ સમ્યકપણું નથી એમ નહીં' એ કથનમાં, બે નકાર છે, તેથી હકારની પ્રાપ્તિ થાય છેઃ ગાથામાં બે નકારનો પ્રયોગ છે, તેથી ગાથાના વચનથી તે ફલિત થાય છે કે બન્ને નયોનું પ્રતિપૂર્ણ સમ્યકપણું છે. અહીં પ્રશ્ન થાય કે તે બન્ને નયો પરસ્પર સાપેક્ષ હોવા છતાં દ્રવ્ય-પર્યાય ઉભયને ગ્રહણ કરતા નથી, પરંતુ દ્રવ્યાસ્તિકનય દ્રવ્યને ગ્રહણ કરે છે અને પર્યાયાસ્તિકનય પર્યાયને ગ્રહણ કરે છે; તેથી પ્રતિપૂર્ણ અર્થને ગ્રહણ કરનાર એવું પ્રતિપૂર્ણ સમ્યકપણું તેમાં કઈ રીતે સંભવે ? તેથી કહે છે – પરસ્પર સાપેક્ષ ગ્રહણ કરાતા આવા પ્રકારના વિષયવાળા=દ્રવ્યાસ્તિકનય દ્રવ્યને ગ્રહણ કરે છે અને પર્યાયાસ્તિકનય પર્યાયને ગ્રહણ કરે છે એવા પ્રકારના વિષયવાળા, એ બેનું સંપૂર્ણ પ્રામાણ્ય વ્યવસ્થિત છે. કેમ સંપૂર્ણ પ્રામાણ્ય વ્યવસ્થિત છે ? તેમાં યુક્તિ બતાવે છે – જે કારણથી એકાંતરૂપે વ્યવસ્થિત એવા બન્ને પણ નવો મિથ્યાત્વનું કારણ છે અર્થાત્ “આ વસ્તુ એકાંતથી દ્રવ્ય જ છે, પર્યાય નથી' એમ સ્વીકારનાર દ્રવ્યાસ્તિકનય અને “આ દેખાતી વસ્તુ પર્યાયરૂપ જ છે દ્રવ્ય નથી' એ રીતે એકાંત સ્વીકારનાર પર્યાયાસ્તિકનય મિથ્યાત્વનું કારણ છે અર્થાત્ પદાર્થ જે રીતે નથી તે રીતે બોધ કરાવવાનું કારણ છે. જ્યારે તે બને નયો પરસ્પર સાપેક્ષ બને છે ત્યારે એકાંતનો પરિત્યાગ કરે છે અને એકાંતનો પરિત્યાગ કરે ત્યારે અન્વય-વ્યતિરેકવાળા તે બન્ને નયો બને છે અર્થાત્ દ્રવ્યાસ્તિકના સર્વ પર્યાયોમાં વર્તતા અનુગત ભાવોનો બોધ કરાવે છે, તેથી અન્વયવાળું છે અને પર્યાયાસ્તિકનય તે દ્રવ્યમાં વર્તતા પર્યાયોની પરસ્પર વિલક્ષણતાને બતાવનાર હોવાથી વ્યતિરેકવાળું છે અને અન્વયવ્યતિરેકવાળા તે બન્ને નયો વિશેષથી ભજ્યમાન હોય=એકબીજાના પરસ્પર વિષયના અત્યાગથી ગ્રહણ કરાતા હોય ત્યારે, તે બન્ને નયનો સમુદાય અનેકાંત થાય છે. જેથી બન્ને નયો સ્વતંત્ર પ્રમાણરૂપ નહીં હોવા છતાં પ્રમાણરૂપ પૂર્ણ બોધાત્મક સમ્યક્તના હેતુ છે; કેમ કે પરસ્પરતાપેક્ષ નયો છે, તેથી બન્નેનો સમુદાય પ્રમાણરૂપ છે. ll૧/૧૪ના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy