SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫ ૨૩ તેનું અતીત અનાગતનું, અસત્વ હોવાના કારણે કુટીલપણું છે. તેનું વર્તમાન વસ્તુના ગ્રાહક એવા ઋજુસૂત્રનું, વચન=પદ અથવા વાક્ય, તેનો વિચ્છેદ=અંત=સીમા, તે પર્યાયનયનો મૂળ આધાર છે તેમ અવય છે. ‘જુસૂત્રનયના વચનનો' એ પ્રમાણે કર્મમાં ષષ્ઠી છે, તે કારણથી ઋજુસૂત્રનયનો આ પ્રકારે આ અર્થ છે, અન્યથા નથી. એ પ્રમાણે પ્રરૂપણા કરનાર પુરુષનું વચન વિચ્છિઘમાન એવું જે તે “મૂલનિમણ' અહીં ગ્રહણ થાય છે એ પ્રમાણે પ્રરૂપણા કરનાર પુરુષનું વચન જે અર્થને બતાવી ચરિતાર્થ થાય છે તે પર્યાયનયનો મૂળ આધાર છે, એ પ્રમાણે અહીં ગ્રહણ થાય છે. ‘તથી શંકા કરે છે – પરિચ્છેદ સ્વભાવવાળા નયનો જ્ઞાન સ્વભાવવાળા નયનો, શબ્દરૂપ વચનનો વિચ્છેદ કેવી રીતે આધાર થાય ? અર્થાત્ થાય નહીં. તેને જવાબ આપે છે – આ દોષ નથી; કેમ કે આનું વચનના વિચ્છેદવું, વિષય દ્વારા વિષયીના કથનરૂપપણું છે='ઋજુસૂત્રનો આ અર્થ છે, અન્યથા નથી' એ પ્રકારના વચનનું જ્ઞાનસ્વરૂપે કથનરૂપપણું છે. અને આનો=ઋજૂસૂત્રનયનો, વિષય “વચનનો અર્થ છે, શબ્દ નથી' એમ ન કહેવું, જે કારણથી વચનનો અને અર્થનો અભેદ હોવાથી વચન પણ વિષય છે. અથથી શંકા કરે છે – જો ઋજુસૂત્રનયના વચનનો અર્થ પર્યાયવયનો મૂલરૂપ આધાર ન હોય, વચન પણ વિષય હોય તો 'વિષય' જ કેમ ન કહેવાયો ? અર્થાત્ ‘ઋજુસૂત્રનયના વચનનો વિચ્છેદ' એમ કહેવાના બદલે ‘ઋજુસૂત્રનયના વચનનો વિષય' એમ જ કેમ ન કહેવાયું ? એ પ્રકારે શંકા ન કરવી; કેમ કે શબ્દનયોના શબ્દહતનું જ જે પ્રમાણપણું છે=તટ: તારી ત૮ ઈત્યાદિ શબ્દથી વિભક્ત એવા અર્થનું જ પ્રમાણપણું છે, એ પ્રમાણે જ્ઞાપનાર્થપણું હોવાથી આ પ્રમાણે અભિધાન છે=જુસૂત્રનયના વચનનો વિચ્છેદ' એ પ્રમાણે અભિધાન છે. અને પૂર્વ અપર પર્યાયથી વિવિક્ત એવી વસ્તુમાં એક પર્યાયની જ પ્રરૂપણા કરતાં તેનું ઋજુસૂત્રતયનું, વચન વિચ્છેદ પામે છે; કેમ કે એક પર્યાયને પરપર્યાયનો અસંસ્પર્શ છે=વર્તમાનકાળના પર્યાયને પૂર્વઉત્તરકાલના પર્યાયનો અસંસ્પર્શ છે. અને તેના મતવાળા અર્થને=ઋજુસૂત્રનયના મતવાળા અર્થને પ્રરૂપણા કરનારા વડે કહેવાયું છે – ‘અગ્નિ પલાલને બાળતો નથી' અર્થાત્ અગ્નિના દહનકાળના પૂર્વનો પર્યાય પલાલ છે તેની સાથે ઉત્તરમાં વર્તતા અગ્નિના પર્યાયનો સંસ્પર્શ નથી માટે અગ્નિ પલાલને બાળતો નથી. પર્વત ક્યારેય અગ્નિ વડે બળાતો નથી અર્થાત્ અગ્નિપર્યાય અને પર્વતપર્યાય ભિન્ન છે તે બેનો અસંસ્પર્શ હોવાથી પર્વત ક્યારેય અગ્નિ દ્વારા બળાતો નથી. અસંયત પ્રવ્રજિત થતો નથી; કેમ કે અસંતપર્યાય અને પ્રવૃજિતપર્યાય એ બે ભિન્ન પર્યાય છે, તેથી પ્રવ્રજિતપર્યાયને પર એવા અસંતપર્યાયનો સ્પર્શ નથી. ભવ્યજીવ સિદ્ધ થતો નથી; કેમ કે સિદ્ધ થવા પૂર્વે ભવ્ય હોય છે. સિદ્ધ થવાકાળમાં જીવ લોભવનોઅભવ્ય છે, તેથી ભવ્યજીવરૂપ પર્યાય અને સિદ્ધપર્યાય પૂર્વ-ઉત્તરભાવી છે, તે બેનો પરસ્પર સંસ્પર્શ નથી”. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy