SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-પ૩, ૫૪ વળી, પરસ્પર નિરપેક્ષ એવા બન્ને નયોની જે પ્રરૂપણા છે તે તીર્થકરની આશાતના છે અર્થાત્ તીર્થંકરના મતનો અધિક્ષેપ છે. કેમ અધિક્ષેપ છે ? તે યુક્તિથી બતાવે છે – શાસ્ત્રમાં “જીવનો એક એક પ્રદેશ અનંત જ્ઞાનાવરણીયકર્મ પુદ્ગલોથી આવેષ્ટિત-પરિવેષ્ટિત છે” એ પ્રકારનું તીર્થંકરનું વચન દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિએ યુક્તિથી ઉપપન્ન છે. વળી, પરસ્પર બે દ્રવ્યોને અત્યંત ભેદરૂપે જોનારી પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી જોવામાં આવે ત્યારે કાલત્રયમાં પણ મૂર્તદ્રવ્ય અમૂર્તતાને પામતું નથી, અને અમૂર્તદ્રવ્ય મૂર્તતાને પામતું નથી, પરંતુ મૂર્તદ્રવ્ય મૂર્તસ્વરૂપે રહે છે, અમૂર્તદ્રવ્ય અમૂર્તસ્વરૂપે રહે છે. આ બન્ને દૃષ્ટિરૂપ તીર્થંકરનું વચન છે, આમ છતાં આ બન્ને પ્રકારના નયવાદ પરસ્પર નિરપેક્ષ છે એ પ્રમાણે પ્રતિપાદન કરનારા કેટલાક વડે તીર્થંકરના વચનનો અપલાપ કરાય છે. માટે બન્ને નયો પરસ્પર સાપેક્ષ જોઈને પોતાનું સ્વરૂપ યથાર્થ પ્રકાશન કરતા હોય તો તે પ્રરૂપણા તીર્થકર વચનાનુસાર છે અને પરસ્પર નિરપેક્ષ તે બે નયો પદાર્થના સ્વરૂપનું પ્રતિપાદન કરતા હોય તો તે બન્ને નયો તીર્થંકરની આશાતનારૂપ છે. આ રીતે સ્યાદ્વાદના સર્વ વચનો પરસ્પર સાપેક્ષ રીતે અને ઉચિત રીતે યોજન કરીને કહેવામાં આવે તો સર્વજ્ઞના વચનને અનુસરનારા છે અને તે રીતે યથાર્થ યોજન કર્યા વગર કહેવામાં આવે તો તીર્થકરની આશાતના છે. ll૧/પા. અવતરણિકા : परस्परनिरपेक्षयोरनयोः प्रज्ञापना तीर्थकरासादना इत्यस्यापवादमाह - અવતરણિકાર્ચ - પરસ્પર નિરપેક્ષ એવા આ બેની દ્રવ્યાસ્તિકતકતી અને પર્યાયાકિનયની, પ્રજ્ઞાપના તીર્થંકરની આશાતના છે એ પ્રમાણે ગાથા-પ૩માં કહ્યું એના અપવાદને કહે છે અર્થાત્ પ્રસંગે લાભને સામે રાખીને એકનયની પ્રરૂપણા અપવાદે કરાયેલી તીર્થંકરની આશાતના નથી એને કહે છે – ગાથા : पुरिसज्जायं तु पडुच्च जाणओ पण्णवेज्ज अण्णयरं । परिकम्मणाणिमित्तं दाएही सो विसेसं पि ।।१/५४।। છાયા : पुरुषजातं तु प्रतीत्य ज्ञायकः प्रज्ञापयेत् अन्यतरम् । परिकर्मणानिमित्तं दर्शयिष्यति असौ विशेषमपि ।।१/५४।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy