SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫૩ તે વિકલ્પો કેવા પ્રકારના છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – અને તેઓ=સ્વસમયની પ્રજ્ઞાપનારૂપ વિકલ્પો, કથંચિત્ નિત્ય આત્મા છે, કથંચિત્ અમૂર્ત આત્મા છે, એ વગેરે છે. વળી, નિરપેક્ષ એવા આ જ બે વયની=દ્રવ્યાસ્તિકતયની અને પર્યાયાસ્તિકાયની, અન્ય એવી, જે પ્રરૂપણા છે તે તીર્થંકરની આશાતના છે તીર્થંકરનો અધિક્ષેપ છે તીર્થંકરના મતનો અપલાપ છે. કઈ રીતે તીર્થંકરની આશાતના છે ? તેમાં હેતુ કહે છે – “જીવનો એક એક પ્રદેશ અનંત જ્ઞાનાવરણાદિ પુદ્ગલોથી આવેરિત પરિવેષ્ટિત છે" () એ પ્રમાણે તીર્થકર વચનમાં પ્રમાણ ઉપપન્ન થયે છતે પણEયુક્તિથી સંગત થયે છતે પણ, “અમૂર્ત મૂર્તતાને પામતું નથી અને મૂર્ત અમૂર્તતાને પામતું નથી. એ પ્રમાણે કાલત્રયમાં પણ દ્રવ્ય પોતાના સ્વરૂપથી ચ્યવતું નથી" ) એ પ્રમાણેનો તીર્થકરનો મત જગજીવના એક એક પ્રદેશો અનંત કર્મ પરમાણુથી આવેષ્ટિત-પરિવેષ્ટિત છે અને અમૂર્ત મુર્તતાને પામતું નથી, મૂર્ત અમૂર્તતાને પામતું નથી' એ ઉભયરૂપ તીર્થંકરનો મત જ, આ નયવાદ=જીવના એક એક પ્રદેશ જ્ઞાનાવરણ પુદ્ગલોથી આવેખિત-પરિવેષ્ટિત છે એ અને ‘અમૂર્ત મૂર્તતાને પામતું નથી' ઇત્યાદિ કથનસ્વરૂપ એ બન્ને નયવાદ, નિરપેક્ષ છે અર્થાત્ પરસ્પર સાપેક્ષ નથી એ પ્રકારે પ્રતિપાદન કરનારા કેટલાક વડે તેના અધિક્ષેપનું પ્રદાન છે=તીર્થકરના વચનના અધિક્ષેપનું પ્રદાન છે. ૧૧/પા ભાવાર્થ અભિધેય એવા બાહ્ય પદાર્થવિષયક દ્રવ્યાર્થિકનયના અને પર્યાયાર્થિકનયના ભિન્ન ભિન્ન વચનવિકલ્પો થાય છે. તે પરસ્પર સંયુજ્યમાન હોય તો સ્વસમયની પ્રરૂપણા થાય છે અર્થાત્ પદાર્થના પારમાર્થિક સ્વરૂપની પ્રજ્ઞાપના થાય છે. તે પ્રરૂપણા કેવી છે ? તે બતાવે છે – કથંચિત્ નિત્ય આત્મા છે કથંચિ અમૂર્ત આત્મા છે' ઇત્યાદિ પ્રરૂપણા છે. તેથી એ પ્રાપ્ત થાય કે પદાર્થ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે. દ્રવ્ય-પર્યાય ઉભયને જોનારી દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની દૃષ્ટિ છે. તે દષ્ટિથી જોનાર પુરુષને પદાર્થના બેય સ્વરૂપો પરસ્પર સંબંધરૂપ ભાસે તો તેને જણાય કે દ્રવ્યાસ્તિકનયથી મારો આત્મા નિત્ય છે, પર્યાયાસ્તિકનયથી મારો આત્મા અનિત્ય છે.' વળી, શરીરરૂપ પુદ્ગલથી આત્માને ભિન્ન જોનાર એવી પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી જોવામાં આવે ત્યારે પોતાનો આત્મા કથંચિત્ અમૂર્ત જણાય છે અને દ્રવ્યાર્થિકનયથી શરીરની સાથે એકમેક થયેલો હોવાથી શરીરથી અભેદ આત્મા જોવામાં આવે ત્યારે આત્મા કથંચિત્ મૂર્તિ જણાય છે. આ રીતે પરસ્પર સંબંધરૂપ એવી દ્રવ્યાસ્તિકનયની અને પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી જે પદાર્થની પ્રરૂપણા છે તે પદાર્થના વાસ્તવિક સ્વરૂપની પ્રજ્ઞાપના છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy