SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૫૦ ટીકા :___ आत्मपुद्गलयोरन्योन्यानुप्रवेशात् उक्तप्रकारेण अर्हत्प्रणीतशासने न बाह्यो भावः अभ्यन्तरो वा संभवति, मूर्तामूर्तरूपादितयाऽनेकान्तात्मकत्वात् संसारोदरवर्तिनः सकलवस्तुनः, 'अभ्यन्तरः' इति व्यपदेशस्तु नोइन्द्रियं मनः प्रतीत्य, तस्यात्मपरिणतिरूपस्य पराप्रत्यक्षत्वात् शरीरवाचोरिव T૨/૫૦ના ટીકાર્ચ - માત્મ .... વારિત છે. આત્મા અને પુદ્ગલનો અન્યોન્ય અનુપ્રવેશ હોવાથી ઉક્ત પ્રકાર વડે= ગાથા-૪૮માં કહ્યું એ પ્રકાર વડે, અરિહંતે કહેલા શાસનમાં બાહ્યભાવ અથવા અત્યંતરભાવ સંભવતો નથી; કેમ કે સંસાર ઉદરવર્તી સકલ વસ્તુનું સંસાર ઉદરવર્તી સર્વ સંસારી જીવો, સિદ્ધના જીવો, ધર્માસ્તિકાય, ઘટ, પટાદિ સર્વ વસ્તુઓનું, મૂર્તામૂર્તરૂપાદિપણાથી અનેકાંતાત્મકપણું છે. અત્યંતર એ પ્રકારનો વ્યપદેશ વળી કોઈદ્રિય એવા મનને આશ્રયીને છે; કેમ કે આત્મપરિણતિરૂપ એવા તેનું નોઈદ્રિયરૂપ મનનું, શરીર અને વાણીની જેમ પર અપ્રત્યક્ષપણું છે અર્થાત્ શરીર અને વાણી જેમ પરને પ્રત્યક્ષ છે તેમ આત્મપરિણતિરૂપ મન પરને પ્રત્યક્ષ નથી. ૧/૫૦૧ ભાવાર્થ : ગાથા-૪૮માં સ્થાપન કર્યું તેમ સંસારવર્તી જીવોના દેહનો અને આત્માનો અન્યોન્ય અનુપ્રવેશ છે, તેથી સંસારવર્તી જીવો દેહના અનુપ્રવેશને કારણે કથંચિત્ મૂર્તિ છે અને આત્માના અનુપ્રવેશને કારણે કથંચિ અમૂર્ત છે. વળી સિદ્ધના જીવો પણ કેવલજ્ઞાન-કેવલદર્શનના વિષયપણાથી સંસારવર્તી સર્વ મૂર્ત સાથે પરસ્પર અનુપ્રવેશ પામેલા હોવાથી કથંચિત્ મૂર્તિ છે અને કથંચિત્ અમૂર્ત છે. આ રીતે સ્વીકારવાથી ભગવાનના શાસનમાં આત્માનો અને પુદ્ગલનો પરસ્પર અનુપ્રવેશ છે એથી સંસારઉદરવર્તી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો, ઘટપટાદિ દ્રવ્યો અને આત્મા એ સર્વ વચ્ચે પણ કથંચિત્ એકત્વ છે. માટે જગતના દરેક પદાર્થો મૂર્તામૂર્તાદિપણાનડે અનેકાંતાત્મક છે, પરંતુ વ્યવહારમાં એમ કહેવાય છે કે પુદ્ગલ મૂર્તિ છે, ધર્માસ્તિકાયાદિ અમૂર્ત છે તેની જેમ એકાંતે મૂર્તામૂર્તાદિનો વિભાગ ભગવાનના શાસનમાં નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે સંસારવર્તી દેહધારી જીવો શરીર સાથે એકત્વ હોવાના કારણે કથંચિત્ મૂર્ત છે આત્મારૂપે કથંચિત્ અમૂર્ત છે. સિદ્ધના જીવો મૂર્ત એવા ઘટાદિનું જ્ઞાન કરે છે, તેથી સિદ્ધના જીવોને ઘટાદિ સાથે એકત્વભાવ છે માટે સિદ્ધના જીવો પણ કથંચિત્ મૂર્ત અને આત્મારૂપે કથંચિત્ અમૂર્તિ છે. વળી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અમૂર્ત હોવા છતાં તેની સાથે સંબંધિત એવા ઘટાદિ મૂર્તદ્રવ્યને આશ્રયીને કથંચિત્ એકત્વ ભાવને પામેલ છે, તેથી ધર્માસ્તિકાયાદિ પણ કથંચિત્ મૂર્ત અને ધર્માસ્તિકાયાદિરૂપે કથંચિત્ અમૂર્ત છે. વળી પુદ્ગલો પણ કેવલીના કેવલજ્ઞાન સાથે કે છબસ્થના જ્ઞાન સાથે સંબંધિત હોવાથી કથંચિત્ અમૂર્ત છે અને કથંચિત્ મૂર્તિ છે. માટે જગતવર્તી સર્વ દ્રવ્યો મૂર્ત-અમૂર્તરૂપ છે. મૂર્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy