SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૪૯ ભાવાર્થ : ગાથા-૪૮માં કહ્યું કે સંસારી જીવોના દેહ અને જીવ અન્યોન્ય અનુપ્રવેશ હોવાના કારણે દેહના પર્યાયો અને જીવના પર્યાયો પણ અન્યોન્ય અનુપ્રવિષ્ટ છે અને એ રીતે આત્માનું કથંચિત્ એકત્વ અને કથંચિદ્ અનેકત્વ પ્રાપ્ત છે. વળી, આત્માનું એકત્વ અને અનેકત્વ છે એને જ સ્થાનાંગસૂત્રોનુસાર બતાવવા અર્થે કહે ગાથા-૪૮માં કહ્યું એ રીતે ‘ને વંડ II રિયા' એ પ્રમાણેનું ત્રીજા અંગરૂપ સ્થાનાંગસૂત્રમાં જે પ્રસિદ્ધ છે તે પ્રમાણે આત્માનું, દંડનું કે ક્રિયાનું એકત્વ સિદ્ધ થાય છે. વળી મન-વચન-કાયારૂપ કરણવિશેષથી ત્રિવિધ યોગની સિદ્ધિ હોવાથી ત્રિવિધ યોગરૂપે આત્માનું અનેકત્વ પણ સિદ્ધ થાય છે. અહીં ને માયા' કહ્યું તેનું તાત્પર્ય એ છે કે સંસારવર્તી આત્માના પર્યાયને ગ્રહણ કર્યા વગર આત્મા એક છે; કેમ કે દ્રવ્યરૂપે આત્મા અનેક નથી, પરંતુ એક છે અને તે આત્મા દેહ સાથે અન્યોન્ય અનુગત હોવા છતાં દ્રવ્યાસ્તિકનયથી આત્મા એક છે. ‘ો દંડ' કહ્યું તેનું તાત્પર્ય એ છે કે આત્માને જે દંડે તે દંડ કહેવાય, તેથી આત્મામાં વર્તતા યોગો દંડ છે અને તે યોગો મન-વચન-કાયાના યોગરૂપ છે તોપણ યોગરૂપે એક છે, તેથી દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિથી દંડ એક છે. ‘III વરિયા' કહ્યું તેનું તાત્પર્ય એ છે કે સંસારી જીવ કર્મબંધને અનુકૂળ એવી અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે તોપણ તે સંસારી જીવની ક્રિયા ક્રિયારૂપે એક છે માટે એક ક્રિયા છે એમ સ્થાનાંગમાં કહ્યું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યને જોનારી સંગ્રહનયની દૃષ્ટિથી વિચારીએ ત્યારે એક આત્મા છે, એક દંડ છે, એક ક્રિયા છે ઇત્યાદિ કથનો સ્થાનાંગસૂત્રમાં કહેલ છે. વળી એક દંડ કહ્યા પછી તે દંડને મન-વચન-કાયાના વિભાગથી વિભક્ત કરીએ તો આત્મામાં ત્રિવિધ યોગની સિદ્ધિ છે, તેથી જેમ એક દંડ છે તેમ અનેક દંડ પણ છે, માટે એક-અનેકત્વની સિદ્ધિ છે. આત્મા પણ ત્રણ દંડના યોગથી અનેકરૂપ છે તેમ સિદ્ધ થાય છે. વળી, એક ક્રિયા કહ્યા પછી તે ક્રિયાને મન-વચનકાયાના વિભાગથી વિભક્ત કરીએ તો આત્મામાં મનની ક્રિયા, વચનની ક્રિયા અને કાયાની ક્રિયારૂપ ત્રિવિધ ક્રિયાની સિદ્ધિ છે. તેથી જેમ એક ક્રિયા છે તેમ અનેક ક્રિયા પણ છે, માટે એક-અનેકત્વની સિદ્ધિ છે. તેથી આત્મા પણ ત્રણ ક્રિયાથી અનેકરૂપ છે તેમ સિદ્ધ થાય છે. આ રીતે ગાથા-૪૮ના અંતે કહ્યું કે કથંચિત્ એકત્વ અને કથંચિત્ અનેકત્વ સિદ્ધ થાય છે તેની સંગતિ પ્રસ્તુત ગાથાથી થાય છે. અહીં ટીકામાં શંકા કરેલ છે કે દેહનો અને આત્માનો અન્યોન્ય અનુપ્રવેશ સ્વીકારીને એક આત્મકપણું કહેવામાં આવે તો આત્મામાં અંતરંગ થતા હર્ષ-વિષાદાદિ અનેક વિવર્ત સ્વરૂપ એક ચૈતન્ય અને બહિરંગ બાલ-કુમાર-યૌવનાદિ અનેક અવસ્થારૂપ એક શરીર પ્રત્યક્ષ દેખાય છે, તેથી અંતરંગ અનેક પરિણામો છે, બહિરંગ અનેક અવસ્થાઓ છે તે રૂપ અંતરંગ અને બહિરંગ વિભાગનો વિરોધ થશે. તેનું સમાધાન કરતાં કહે છે - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy