SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૭ જેટલા વિશેષ પર્યાયો છે તેટલા પરિમાણવાળો આ અવિભાગ છે. આશય એ છે કે જીવ અને કર્મ પરસ્પર અનાદિથી એકમેક થયેલા છે, તેથી તે બેનો પરસ્પર કથંચિ અભેદ છે, આમ છતાં જીવદ્રવ્ય અને કર્મદ્રવ્ય પૃથક્ દ્રવ્ય છે, તેથી તે બેનો કથંચિત્ ભેદ છે. આ રીતે સંસારવર્તી જીવોનો કર્મની સાથે કથંચિત્ ભેદભેદ છે અને અનાદિ કાલથી કર્મની સાથે અત્યંત અભેદ પર્યાય સ્થિર થયેલો છે. આમ છતાં જ્યારે જીવ સમ્યક્ત પામે છે ત્યારે તેટલા અંશમાં કર્મરૂપ ઉપાધિનું વિગમન થાય છે, તેથી મિથ્યાત્વ અંશથી કર્મ અને આત્મા પૃથર્ બને છે તે રીતે જીવ અને કર્મનો કાંઈક ભેદ અંશ પ્રગટ થયો જે વિશેષ અંશ છે, અને જીવ અને કર્મનો અભેદ છે તે સામાન્ય અંશ છે, તેથી કર્મ અને આત્માના અભેદરૂપ સામાન્ય અંશથી સમ્યક્તની પ્રાપ્તિ કાલમાં કાંઈક ભેદ અંશરૂપ વિશેષ પ્રાપ્ત થાય છે. જેમ જેમ સમ્યગ્દષ્ટિ જીવ ઉત્તર ઉત્તરની ભૂમિકાને પામે છે તેમ તેમ અવિરતિ આદિ અંશોથી આત્મા પૃથક થાય છે અને જ્યારે સાધનાની ચરમ ભૂમિકામાં આવે છે ત્યારે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ સર્વ ભાવમલ દૂર થાય છે. આ વખતે કેવલ અઘાતી કર્મોની સાથે આત્માને સંયોગ છે. તે વખતે અંતિમ વિશેષની પ્રાપ્તિ થાય. મિથ્યાત્વઅવસ્થાથી માંડીને યોગનિરોધઅવસ્થા સુધી જીવ અને કર્મ પ્રદેશનો આ અવિભાગ છે ત્યારપછી જીવ કર્મ રહિત થાય છે. તેથી જીવ અને કર્મરૂપ મિશ્ર વસ્તુરૂપ સંસારી જીવની વિસ્તૃરૂપે પ્રાપ્તિ થાય છે. અહીં કહ્યું કે જીવ અને કર્મપ્રદેશનો આ અવિભાગ જ્યાં સુધી વિશેષપર્યાય છે ત્યાં સુધી છે, પછી નથી. તેમાં યુક્તિ બતાવે છે – સર્વ વિશેષોનું અંત્યવિશેષ પર્યન્તપણું છે; કેમ કે જો સર્વ વિશેષો અંત્ય વિશેષ સુધી ન હોય અને ત્યારપછી પણ હોય તો અંત્ય એ પ્રકારના વિશેષણની સંગતિ થાય નહીં. આશય એ છે કે જેમ દૂધ અને પાણી મિશ્ર દ્રવ્ય હોય અને કોઈક પ્રક્રિયા દ્વારા તે દૂધમાંથી પાણીને પૃથક્ કરવામાં આવે તો કાંઈક અંશથી પાણી પૃથફ થાય ત્યારે કાંઈક અંશથી મિશ્ર એવા દૂધ-પાણીનો વિશેષપર્યાય પ્રાપ્ત થાય છે અર્થાત્ તે મિશ્રદ્રવ્યમાં પૂર્વના પાણીના અંશ કરતાં પાણીનો અંશ અલ્પ પ્રાપ્ત થાય છે અને દૂધનો અંશ અધિક પ્રાપ્ત થાય છે એવો વિશેષપર્યાય પ્રાપ્ત થાય છે, કેમ કે તેટલા અંશથી પાણી રહિત દૂધ બન્યું અને પાણીના અંશો જેમ જેમ ઓછા થાય છે તેમ તેમ દૂધ-પાણીના વિશેષ પર્યાયની પ્રાપ્તિ થાય છે અને જ્યારે પાણીનો અંતિમ અંશ દૂધ સાથે મિશ્ર છે તે અંશ દૂર થાય તો દૂધ અને પાણીરૂપ મિશ્રવસ્તુ અવસ્તુ બને, તેથી દૂધપાણીની મિશ્રઅવસ્થામાં જેટલા અવાજોર વિશેષ પર્યાયો પ્રાપ્ત થાય તેના અંતિમ ભાગ સુધી દૂધનો અને પાણીનો અવિભાગ છે, ત્યારપછી દૂધનો અને પાણીનો અવિભાગ નથી; તેમ જીવમાં અને કર્મમાં સર્વથા કર્મથી અપૃથર્ અવસ્થા સામાન્ય અવસ્થા છે અને યોગનિરોધકાળમાં અંતિમ વિશેષ અવસ્થા છે, તેથી અંતિમ વિશેષ પર્યાય સુધી જીવ અને કર્મનો અવિભાગ પ્રાપ્ત થાય છે. ll૧/૪૭ી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy