SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | પ્રસ્તાવના થાય છે, જેથી પદાર્થને જોતી વખતે મૂઢતાથી જોવાની જે અનાદિની સ્થિર દૃષ્ટિ છે તેનું નિવર્તન થાય છે અને અનુભવ અનુસાર પદાર્થ કેવા સ્વરૂપવાળો છે ? તે રીતે જ જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટે છે. વળી, વ્યંજનનયરૂપ શબ્દનય, સમભિરૂઢનય અને એવભૂતનય છે તેને આશ્રયીને અપેક્ષાએ “સ્વાદુ અસ્તિ' અને ‘સ્યાદ્ નાસ્તિ'રૂપ બે જ ભાંગાની પ્રાપ્તિ થાય છે અને અપેક્ષાએ તે ત્રણ નયોમાં પણ સપ્તભંગીની પ્રાપ્તિ થાય છે, જેના સ્વરૂપનું વર્ણન ગાથા-૪૧ આદિ કેટલીક ગાથામાં વિસ્તારથી કરેલ છે. જેને સૂક્ષ્મ રીતે જોવામાં આવે તો સર્વત્ર અતીન્દ્રિય પદાર્થોને જોવા માટે પણ શાસ્ત્રના વચનનું અવલંબન લઈને અનુભવ અનુસાર પદાર્થને જોવાની સૂક્ષ્મ દૃષ્ટિ પ્રગટે છે. જેથી શાસ્ત્રમાં કહેલા પદાર્થો પણ શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર યોજન કરીને અતીન્દ્રિય પદાર્થોનું સમ્યક શ્રુતજ્ઞાન થાય છે અને જે તે પ્રકારે સૂક્ષ્મ પ્રજ્ઞાથી પદાર્થને અનુભવ અનુસાર જોવાને અનુકૂળ બુદ્ધિથી સંપન્ન થયા નથી તેઓ શાસ્ત્રવચનથી પદાર્થોનો શાબ્દિક-બોધ કરે છે તોપણ જે સંદર્ભથી જે વચનો વિભજ્યવાદ કહે છે તે સંદર્ભથી તે પદાર્થોનું યોજન કરી શકતા નથી અને વિભજ્યવાદના પદાર્થોનું યથાર્થ યોજન કરવા અર્થે જ “સમ્મતિ' ગ્રંથની રચના ગ્રંથકારશ્રીએ કરેલ છે. વળી, વિભજ્યવાદની મર્યાદાથી સંસારી જીવો અને સિદ્ધના જીવો પણ કથંચિત્ એક છે, કથંચિત્ અનેક છે, કથંચિત્ મૂર્તિ છે, કથંચિત્ અમૂર્ત છે એટલું જ નહીં પણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો પણ કથંચિત્ મૂર્તિ છે, કથંચિદ્ અમૂર્ત છે તે સર્વ કથન મુક્તિ અને અનુભવ અનુસાર “સમ્મતિ'માં બતાવાયેલ છે તેથી સંસારવર્તી સર્વ દ્રવ્યોને જોનારી યથાર્થ દૃષ્ટિઓનો પ્રાદુર્ભાવ પ્રસ્તુત ગ્રંથના અધ્યયનથી થાય છે. છvસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા ચૈત્ર સુદ-૧૩, વિ. સં. ૨૦૬૮, શ્રી મહાવીરસ્વામી જન્મ કલ્યાણક દિન તા. ૪-૪-૨૦૧૨, બુધવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy