SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૨ આનાથી એ પ્રાપ્ત થાય કે પર્યાયાસ્તિકનય વર્તમાન ક્ષણ સાથે સંબંધવાળા દ્રવ્યને વર્તમાનક્ષણના સંબંધરૂપે સ્વીકારે છે, ભૂતકાળ અને ભવિષ્યકાળ સાથે સંબંધવાળું નથી તેમ કહે છે. કારણ કે ભાવિકાળનું દ્રવ્ય અનુત્પન્ન છે અને ભૂતકાળનું દ્રવ્ય વિનષ્ટ છે માટે તે બન્ને રૂપે અવિદ્યમાન છે અર્થાત્ ભૂતકાળનું અને ભાવિકાળનું દ્રવ્ય અવિદ્યમાન છે. માટે તેની પ્રતીતિ નથી, પરંતુ વર્તમાનકાળના દ્રવ્યની જ પ્રતીતિ છે. જે ભૂતકાળના અને ભવિષ્યકાળના દ્રવ્યની અપ્રતીતિ થતી હોય તેને પ્રતિપાદન કરવાની શક્તિ વિચારક પુરુષમાં નથી; કેમ કે પ્રતિપાદન કરનાર પુરુષ વસ્તુને જોઈને પ્રતિપાદન કરે છે અને ભૂતકાળનું તે દ્રવ્ય વિનષ્ટ હોવાથી વિદ્યમાન નથી અને ભવિષ્યનું તે દ્રવ્ય ઉત્પન્ન થયેલ નથી તેથી તેનું પ્રતિપાદન થઈ શકે નહીં. આમ છતાં જેની પ્રતીતિ થતી ન હોય તોપણ તેનું પ્રતિપાદન કરવામાં આવે તો અપ્રતીયમાન એવા શશશૃંગના પ્રતિપાદનનો પ્રસંગ આવે. અને દેખાતું દ્રવ્ય વર્તમાન સંબંધી જ પ્રતીતિ થાય છે. માટે આવતા અતિપ્રસંગદોષના નિવારણ અર્થે ‘વર્તમાન સંબંધી જ તે દ્રવ્ય છે, અન્ય નથી' આ પ્રકારનો પર્યાયાર્થિકનયના વાક્યનો અભિપ્રાય છે; કેમ કે પર્યાયાસ્તિકનય દેખાતા પદાર્થમાં વર્તમાનના પર્યાયને જોનાર છે, પરંતુ દેખાતા પદાર્થની સર્વ અવસ્થામાં અનુગત દ્રવ્યને જોનાર નથી. તેથી ભૂત અને ભવિષ્યમાં અનુગત એવા દ્રવ્યને જોયા વગર માત્ર દેખાતા પદાર્થમાં વર્તમાન પર્યાયને જોઈને પર્યાયાસ્તિકનય કહે છે કે આ વર્તમાન પર્યાયના પૂર્વનો પર્યાય વર્તમાનમાં નષ્ટ છે માટે દેખાતો નથી. આ વર્તમાન પર્યાય પછી જે ઉત્તરમાં થનારો પર્યાય છે તે હજુ ઉત્પન્ન થયેલો નથી માટે દેખાતો નથી. તેથી જે વર્તમાનનો પર્યાય દેખાય છે તે રૂપે તે વસ્તુ છે અન્યથા નથી. આ પ્રકારનું એકાંત પર્યાયાસ્તિકનયનું કથન છે. તેને અનેકાંતવાદી ગાથાના ઉત્તરાર્ધથી દુષિત કરે છે. અનેકાંતવાદી કહે છે કે દ્રવ્યનયનિરપેક્ષ એવા પર્યાયનયમાં સમ્યગ્ અર્થની પ્રતિપૂર્ણ પ્રજ્ઞાપના નથી. આશય એ છે કે ઇન્દ્રિયોથી દેખાતો અર્થ જેમ વર્તમાનમાં કોઈ પર્યાય સ્વરૂપ છે તેમ ત્રણેય કાળમાં અનુગત હોય તેવા દ્રવ્ય સ્વરૂપ પણ છે, માત્ર પર્યાય સ્વરૂપ નથી; આમ છતાં માત્ર પર્યાયને જોનારી દૃષ્ટિ ત્રણ કાળમાં અનુગત એવા દ્રવ્યનો અપલાપ કરીને વર્તમાન પર્યાયરૂપ વસ્તુને સ્થાપન કરે છે, પરંતુ વર્તમાન પર્યાયકાળમાં પણ વસ્તુમાં રહેલા ધ્રુવ અંશને તે દૃષ્ટિ જોતી નથી. તેથી પદાર્થને જોનારી તે દૃષ્ટિ જે પ્રજ્ઞાપના કરે છે તે પદાર્થના પૂર્ણ સ્વરૂપને કહેનારી નથી; કેમ કે વર્તમાનમાં તે પદાર્થમાં જે ધ્રુવાંશ રહેલ છે તે ધ્રુવાંશને જોનારી તે દૃષ્ટિ નહીં હોવાથી પ્રતિપૂર્ણ નથી. કેમ તે પ્રતિપૂર્ણ દૃષ્ટિ નથી ? તે સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રી કહે છે પર્યાયાસ્તિકનયનું સાવધારણ વાક્ય એકાંત પ્રતિપાદન કરનાર છે, તેથી તે કથનમાં પ્રત્યક્ષનો વિરોધ છે; કેમ કે પદાર્થ જેમ પર્યાયસ્વરૂપ છે તેમ ધ્રુવાંશરૂપ છે છતાં ધ્રુવાંશનો અપલાપ કરીને માત્ર પદાર્થમાં વર્તતી તે અવસ્થારૂપ પર્યાયને એકાંત ગ્રહણ કરે છે અને તેમ સ્વીકારવામાં બાધાની પ્રાપ્તિ છે તે ગ્રંથકારશ્રી આગળમાં પ્રતિપાદન કરશે. II૧/૪૨॥ Jain Educationa International ૧૭૧ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy