SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૨ ટીકાર્ય : જથી વર્તમાનપત્ર ... પ્રતિપાયિષ્યતિ છે, જે પ્રમાણેકવર્તમાનકાળ સંબંધીપણાથી, જે દ્રવ્ય અર્પિત છે–પ્રતિપાદન કરવા માટે અભિષ્ટ છે, તે તે પ્રમાણે જ છે અન્યથા નથી; કેમ કે અનુત્પન્ન અને વિનષ્ટપણાને કારણે ભાવિનું અને ભૂતનું અવિદ્યમાનપણું હોવાથી અપ્રતિપત્તિ હોવાને કારણે અને અપ્રતીયમાન એવા ભાવિતા અને ભૂતના પ્રતિપાદન કરવા માટે અશક્તિ હોવાના કારણે અતિપ્રસંગ છે=ભાવિનું અને ભૂતનું પ્રતિપાદન કરવામાં આવે તો અતિપ્રસંગ છે અર્થાત્ શશશૃંગના પણ પ્રતિપાદનનો અતિપ્રસંગ છે. તેથી વર્તમાન સંબંધી જ તેની=અર્પિતદ્રવ્યની, પ્રતીતિ છે એ પ્રમાણે પર્યાયાસ્તિકનયના વાક્યનો અભિપ્રાય છે. એને પર્યાયવયના વાક્યના અભિપ્રાયને, દૂષિત કરવા માટે અનેકાંતવાદી કહે છે – ગાથામાં ‘ન’ શબ્દ પ્રતિષેધમાં છે. ગાથામાં ‘સ શબ્દ તેવા પ્રકારના વાક્યનયતો ગાથાના પૂર્વાર્ધમાં કહેલ પર્યાયાસ્તિકાયના વાક્યમયતો, પરામર્શ કરે છે. સમયપન્નવણા'માં રહેલ સમય શબ્દનો અર્થ કરે છે – સમ એટલે સમ્યમ્. સમયમાં રહેલ “અયનો અર્થ કહે છે – અયતે–પરિચ્છિઘતે અર્થાત્ સમ્યમ્ પરિચ્છેદન કરાય છે તે સમય છેઃઅર્થ છે પદાર્થ છે, તેની પ્રજ્ઞાપના=પ્રરૂપણા, પર્યાયવયમાત્રમાંકદ્રવ્યમય નિરપેક્ષ પર્યાયવયમાત્રમાં, પ્રતિપૂર્ણ પુષ્કળ, પ્રાપ્તિ થતી નથી. અહીં “ન' શબ્દ પૂર્વમાં પ્રતિષેધમાં બતાવેલ તેનો પરામર્શ છે. અહીં સમયનો અર્થ કરતી વખતે સમનો અર્થ કરતાં ટીકામાં ‘ડુંયતે–પરિચ્છિદ્યતે' એમ કહ્યું ત્યાં તેના સ્થાને ‘અયતે' હોવાની સંભાવના છે. ગાથાના ઉત્તરાર્ધથી શું પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – તે વાક્યનય સમ્યમ્ અર્થના પ્રત્યાયનને પૂર્ણ કરતો નથી=ગાથામાં પૂર્વાર્ધમાં કહેલ પર્યાયતયમાત્રમાં વિશ્રાંત એવો વાક્યનય સમ્યમ્ અર્થતા બોધને પૂર્ણ કરતો નથી ત્યાં સુધી અર્થ છે; કેમ કે સાવધારણ એકાત્ત પ્રતિપાદનરૂપ પર્યાયનયનું પ્રત્યક્ષમાં બાધન છે અને તેની બાધાને આગળમાં પ્રતિપાદન કરાશે. I૧/૪રા ભાવાર્થ - જે પ્રમાણે જે દ્રવ્ય અર્પિત છે” એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે દેખાતું દ્રવ્ય વર્તમાનકાળ સંબંધીપણાથી દેખાય છે, ભૂતકાળ અને ભવિષ્યકાળ સંબંધીપણાથી દેખાતું નથી. તેથી તે દ્રવ્યને તે પ્રમાણે અર્પિત કરવામાં આવે=પ્રતિપાદન કરવા માટે સ્વીકારવામાં આવે, ત્યારે તે દ્રવ્ય તે પ્રમાણે છે, અન્ય પ્રમાણે નથી અર્થાત્ વર્તમાનકાળ સંબંધીપણારૂપે જ છે, અન્ય પ્રમાણે નથી એ પ્રકારનું પર્યાયનયનું વાક્ય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy