SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૦ ભાવાર્થ : ઘટાદિ વસ્તુને ગ્રહણ કરીને તેના ત્રણ દેશોની કલ્પના કરાય છે તેમાં એક દેશ સભાવથી નિયત છે અર્થાત્ તે ઘટાદિ વસ્તુ પોતાના સ્વરૂપથી અસ્તિત્વરૂપ છે તે પ્રકારે ઉપસ્થિત કરાય છે. બીજો દેશ અસદ્ભાવથી નિયત છે અર્થાત્ તે દેશમાં પરસ્વરૂપે ઘટાદિ નથી તે રૂપે ઉપસ્થિત કરાય છે. ત્રીજો દેશ ઉભયથા નિયત છેઃસ્વરૂપ-પરરૂપ આત્મક ઉભયરૂપે એક સાથે જોવામાં નિયત છે, અને તે રૂપે તે સ્વરૂપ કહી શકાતું નથી માટે તે દેશ અવક્તવ્ય પ્રાપ્ત થાય છે. ઘટાદિ વસ્તુના તે ત્રણેય દેશોરૂપ જ ઘટાદિ વસ્તુ છે તેથી તે ત્રણેય દેશો સાથે ઘટાદિ વસ્તુરૂપ દેશીની અભેદ વિવક્ષા કરીએ ત્યારે તે ઘટાદિ વસ્તુ અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય બને છે. વળી આ સાતમા ભાંગાથી પ્રથમ છ ભાંગાનો ભુદાસ થાય છે, કેમ કે આ સાતમા ભાંગામાં અસ્તિ-નાસ્તિ વિશેષણથી અધ્યાસિત એવા અવક્તવ્ય દ્રવ્યનું, અસ્તિ-અવક્તવ્ય વિશેષણથી અધ્યાસિત એવા નાસ્તિ દ્રવ્યનું અને નાસ્તિ-અવક્તવ્ય વિશેષણથી અધ્યાસિત એવા અતિદ્રવ્યનું પ્રતિપાદન છે. જ્યારે અન્ય સર્વ ભાંગામાં આ રીતે પ્રતિપાદન નથી. માટે પૂર્વના છ ભાંગા કરતાં આ સાતમો ભાંગો પૃથક છે. આ રીતે સાત ભાંગાઓ ૩૦થી ૪૦ ગાથામાં બતાવ્યા. હવે તે સાત ભાંગાઓમાંથી પ્રત્યેક ભાગો પોતાનો અર્થ કઈ રીતે પ્રતિપાદન કરે છે ? તે બતાવે છે – સપ્તભંગી આત્મક એવા આ ભાંગાઓ પરસ્પર એકબીજાની અપેક્ષા રાખીને દરેક ભાગો પોતાનો અર્થ બતાવે છે, પરંતુ પરસ્પરના સ્વરૂપની અપેક્ષા રાખ્યા વગર પોતાનો અર્થ બતાવતા નથી. આશય એ છે કે પદાર્થ અનંત ધર્માત્મક છે અને તેમાંથી કોઈ પણ ધર્મનો પૂર્ણ બોધ આ સપ્તભંગી આત્મક સાત વાક્યોના સમુદાયરૂપ મહાવાક્યથી થાય છે. તે મહાવાક્ય તેના અવાજોર વાક્યરૂપ સાત ભાંગાઓ સાથે પરસ્પર સંકળાયેલું છે. તેથી સપ્તભંગીનો તે દરેક ભાંગો પોતાના અર્થનો બોધ કરાવે છે ત્યારે પણ અન્ય ભાંગાના અર્થને ગૌણરૂપે સ્વીકારીને પોતાના ભાંગાનો બોધ કરાવે છે. તેથી અન્ય ભાંગાના સ્વરૂપની અપેક્ષા રાખીને દરેક ભાંગો પોતાનો બોધ કરાવે છે, પરંતુ અન્ય ભાંગાના સ્વરૂપ નિરપેક્ષ પોતાના અર્થનો બોધ કરાવતો નથી. આથી તે સપ્તભંગી આત્મક મહાવાક્યનો પ્રત્યેક ભાગો કે તે સપ્તભંગી આત્મક મહાવાક્યરૂપ સમુદાય, પ્રતિપાદ્ય એવા ઘટાદિને પણ તેવું જ બતાવે છે અર્થાત્ જેવો તે તે ભાંગાથી બોધ થાય છે અને સપ્તભંગી આત્મક મહાવાક્યથી બોધ થાય છે તેવા જ ઘટાદિ પદાર્થો છે એ પ્રમાણે અનુભવ અનુસાર બતાવે છે એ પ્રમાણે વ્યવસ્થિત છે. આ સપ્તભંગી વિષયક કેટલા ભેદો થાય છે તેનું સંક્ષેપથી કથન શ્રી મલવાદિસૂરીશ્વરજી મહારાજા વગેરેના વચનથી ટીકાકારશ્રીએ કરેલ છે. તે ભેદો કઈ રીતે પડે છે ? તેનો ઉલ્લેખ અહીં કરેલ નથી તેથી તેની સ્પષ્ટતા ભાંગાની સંખ્યાથી અધિક અમે પણ કરેલ નથી. વળી પ્રથમ ભાંગાના ત્રણ વિકલ્પો, બીજા ભાંગાના ત્રણ વિકલ્પો, ત્રીજા અને ચોથા ભાંગાના દસ દસ વિકલ્પો અને પાંચમા, છઠ્ઠા અને સાતમા ભાંગાના પ્રત્યેકના એકસો ત્રીસ વિકલ્પો છે તેમ બતાવી તે કુલ વિકલ્પો ચારસો સોળ થાય છે, તે પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy