SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૪૦ અને સાતમા ભાંગાના પણ ૧૩૦ ભેદો છે. એ પ્રમાણે મલવાદીસૂરીશ્વરજી મહારાજા વગેરે આચાર્યો વડે બતાવાયા છે. વળી છવ્વીસ અધિક ચતુર્દશ શત અર્થાત્ ૧૪૨૬ પ્રમાણવાળા તે જ સાત ભાંગાઓ જ, ક્યાદિસંયોગની કલ્પનાથી ક્રોડો થાય છે એ પ્રમાણે તેઓ વડે=મલવાદીસૂરીશ્વરજી મહારાજા વગેરે મહાત્માઓ વડે, કહેવાયું છે. વળી અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, ગ્રંથ વિસ્તારના ભયથી તે પ્રમાણે બતાવાયું નથી. માટે ત્યાંથી જ મલ્લવાદીસૂરીશ્વરજી મહારાજા આદિના કથનથી જ, અવધારણ કરવા જોઈએ=તે ભાંગાઓનું જ્ઞાન કરવું જોઈએ. સાત ભાંગાથી અધિક ભાંગા કેમ થતા નથી ? તેની સ્પષ્ટતા કરવા અર્થે કહે છે – અથથી શંકા કરે છે “અનંતધર્માત્મક વસ્તુમાં તેના પ્રતિપાદક વચનનું સાત પ્રકારની કલ્પનામાં આઠમા વચનના વિકલ્પનું પરિકલ્પન કેમ કરાતું નથી ?' ત્યાં ટીકાકારશ્રી કહે છે – એ પ્રમાણે ન કહેવું; કેમ કે તેના પરિકલ્પતના આઠમા વિકલ્પના પરિકલ્પના, નિમિત્તનો અભાવ છે. તે આ પ્રમાણે – સાવયવાત્મક અપર નિમિત્ત તેની આઠમા ભાંગાની, પરિકલ્પના કરવા માટે યુક્ત નથી; કેમ કે ચોથા આદિ વચનવિકલ્પોમાં પૂર્ણ વસ્તુના દેશને આશ્રયીને ચોથા આદિ વચન વિકલ્પોમાં, તેના=કલ્પના કરાયેલા તવા ભાંગાના, અંતર્ભાવતી પ્રસક્તિ છે. વળી, નિરવયનાત્મક અન્ય અન્ય નિમિત્તક તેની પરિકલ્પના યોગ્ય નથી; કેમ કે પ્રથમાદિ ત્રણ ભાંગાઓમાં અંતર્ભાવતી પ્રસક્તિ છે; અને અન્ય કોઈ ગતિ નથી એથી આઠમા ભાંગાની પરિકલ્પના યુક્ત નથી. વળી, અન્ય રીતે આઠમો ભાંગો થતો નથી. તે બતાવવા માટે “વિશ્વથી કહે છે – આ આઠમો ભાંગો, ક્રમથી તે ધર્મદ્રયને પ્રતિપાદન કરશે કે યૌગપધથી? પ્રથમ પક્ષમાં ક્રમથી પ્રતિપાદનના પક્ષમાં, ગુણ-પ્રધાન ભાવથી તેના પ્રતિપાદનમાં=ક્રમથી પ્રતિપાદનમાં, પહેલા અને બીજા ભાંગામાં અંતર્ભાવ છે. પ્રધાન ભાવથી તેના પ્રતિપાદનમાં=ક્રમથી પ્રતિપાદનમાં, ચોથા ભાંગામાં અંતર્ભાવ છે=કલ્પના કરાયેલા આઠમા ભાંગાનો ચોથા ભાંગામાં અંતર્ભાવ છે. યોગપઘથી તેના પ્રતિપાદનમાં=ધર્મદ્રયના પ્રતિપાદનમાં, ત્રીજામાં અંતભવ છે=અવક્તવ્યરૂપ ત્રીજા ભાંગામાં અંતભવ છે. ભેગક સંયોગની કલ્પનાથી અન્ય ભાંગાના સંયોગની કલ્પનાથી, ભંગાજરની કલ્પનામાં સાત ભાંગાથી અન્ય ભાંગાની કલ્પનામાં, પ્રથમ, દ્વિતીય ભંગક સંયોગમાં ચોથો ભાંગો જ પ્રાપ્ત થાય. પ્રથમ, તૃતીય સંયોગથી પાંચમો ભાંગો પ્રાપ્ત થાય. બીજા, ત્રીજાના સંયોગથી છઠ્ઠો ભાંગો પ્રાપ્ત થાય અને પ્રથમ, દ્વિતીય અને તૃતીયના સંયોગથી સાતમો ભાંગો પ્રાપ્ત થાય. અને પ્રથમ, ચતુર્થ આદિ સંયોગની કલ્પનામાં પુનરુક્તિ દોષ છે તે કારણથી કોઈ રીતે આઠમાં ભાંગાનો સંભવ નથી. તેથી ઉક્ત વ્યાયથી પૂર્વમાં વર્ણન કરાયેલ ઉક્તિથી વસ્તુના પ્રતિપાદનમાં સાત પ્રકારનો જ વચન માર્ગ છે. I૧/૪૦૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy