SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૮ આશય એ છે કે વિવક્ષા કરનાર પુરુષ એક ઘટના બે અંશો કરીને તે ઘટનું સ્વરૂપ કેવું છે ? તે બતાવવા પ્રયત્ન કરે છે ત્યારે એક અંશમાં સ્વરૂપની વિરક્ષા કરીને તે અંશથી ઘટને “સ્યાદ્ અસ્તિ' કહે ત્યારે તેનો અન્ય અંશ સ્વરૂપ-પરરૂપ ઉભયની વિરક્ષા કરીને અવક્તવ્ય કહેવા માટે પ્રયત્ન કરાય છે. તે કથન વખતે સ્યાદ્ અસ્તિ' એ કથનમાં રહેલ ‘સ્વાદુ’ શબ્દ ગૌણરૂપે અવક્તવ્યનો નિર્દેશ કરે છે અને તેનો અમલાપ કરીને માત્ર એક અંશને જ ગ્રહણ કરીને ‘અસ્તિ' એ પ્રમાણે કહેવામાં આવે તો અન્ય અંશના અપલોપથી અપલાપ થાય છે. તેથી અવક્તવ્ય ધર્મથી અનુવિદ્ધ સ્વભાવ વગરનો તે અસ્તિત્વવાળો દેશ પણ નથી. તે ઘટના અપર દેશમાં એક સાથે અસ્તિત્વ-નાસ્તિત્વ પ્રકારથી વિરક્ષા કરવામાં આવે ત્યારે અન્ય દેશમાં અવક્તવ્યની પ્રાપ્તિ થાય છે. તે અવક્તવ્ય અંશ પણ અસ્તિત્વથી અનુવિદ્ધ જ પ્રાપ્ત થાય છે. આ પાંચમા ભાંગામાં ઘટરૂપ વસ્તુના બે દેશોને ગ્રહણ કરીને એક દેશમાં અસ્તિત્વની વિવક્ષા કરી અને અન્ય દેશમાં અવક્તવ્યની વિવક્ષા કરી. તેના દ્વારા પૃથભૂત એવા અસ્તિત્વના ભાંગારૂપ પ્રથમ ભાંગો અને પૃથભૂત એવા અવક્તવ્યના ભાંગારૂપ ત્રીજો ભાંગો તસ્વરૂપ આ પાંચમો ભાંગો નથી તેમ બતાવાયેલું થાય છે; કેમ કે પ્રથમ ભાંગામાં પૂર્ણ ઘટને ગ્રહણ કરીને અસ્તિત્વનો વિકલ્પ હતો અને ત્રીજા ભાંગામાં પૂર્ણ ઘટને ગ્રહણ કરી અવક્તવ્યનો વિકલ્પ હતો. તેથી પ્રથમ અને ત્રીજા ભાંગામાં પરસ્પર અવિશેષણભૂત એવા અસ્તિત્વનો અને અવક્તવ્યનો બોધ કરવો ઇષ્ટ છે. પ્રતિપાદક પુરુષ પણ તે પ્રકારની વિવક્ષાથી પ્રથમ અને ત્રીજો ભાંગો કરે છે, જ્યારે પાંચમા ભાગોમાં તો એક જ ઘટાદરૂપ વસ્તુના બે દેશોને ગ્રહણ કરીને એક દેશમાં અસ્તિત્વનો આદેશ કરાય છે અને અન્ય દેશમાં અવક્તવ્યનો આદેશ કરાય છે. તેથી અસ્તિત્વનો આદેશ અવક્તવ્ય અનુવિદ્ધ સ્વભાવવાળી વસ્તુમાં થાય છે અને અવક્તવ્યનો આદેશ અસ્તિત્વ અનુવિદ્ધ સ્વભાવવાળી વસ્તુમાં થાય છે. માટે અનંત ધર્માત્મક એવા ધર્મરૂપ ઘટનું તે પ્રકારના પ્રતિપાદ્યના અનુરોધથી તેવા પ્રકારના ધર્મથી આક્રાંતપણાથી કહેવા માટે ઇષ્ટપણું છે=એક દેશમાં અવક્તવ્યથી અનુવિદ્ધ અસ્તિત્વ ધર્મનું અને એક દેશમાં અસ્તિત્વથી અનુવિદ્ધ અવક્તવ્ય ધર્મનું આક્રાંતપણા વડે કરીને કહેવું ઇષ્ટપણું છે. આ રીતે પાંચમા ભાંગા પ્રમાણે તે ઘટાદિ દ્રવ્ય અસ્તિ અને અવક્તવ્ય બને છે; કેમ કે તે બે ધર્મના વિકલ્પનના વશથી પાંચમો ભાગો કરવામાં આવે છે. અહીં પ્રશ્ન થાય કે ઘટરૂપ વસ્તુના એક દેશરૂપ ધર્મ છે તેમાં અસ્તિત્વ અને અન્ય દેશરૂપ ધર્મ છે તેમાં અવક્તવ્ય છે તેમ પાંચમા ભાંગાથી પ્રાપ્ત થાય, પરંતુ ઘટરૂપ ધર્મી અસ્તિ અને અવક્તવ્ય કેમ પ્રાપ્ત થાય ? એથી કહે છે – તે પ્રકારે પરિણત એવા ધર્મનું અસ્તિત્વ અને અવક્તવ્યરૂપે પરિણત એવા ઘટના બે દેશરૂપ ધર્મનું, તે પ્રકારના વ્યપદેશમાં=અસ્તિત્વ અને અવક્તવ્યરૂપ વ્યપદેશમાં, તેના દ્વારા=ધર્મના વ્યપદેશ દ્વારા, ધર્મી પણ તે પ્રકારે વ્યપદેશને પ્રાપ્ત કરે છે=ધર્મરૂપ દેશની જેમ અસ્તિ અને અવક્તવ્ય વ્યપદેશને પ્રાપ્ત કરે છે. I૧/૩૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy