SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૩૭ ૧૪૩ ગાથાર્થ : અહ=જ્યારે, દેશ=વસ્તુનો દેશ, સદ્ભાવમાં નિયત છે અસ્તિત્વમાં નિયત છે, દેશ અન્ય દેશ, અસભાવ પર્યાયમાં નિયત છે નાસ્તિત્વમાં નિયત છે, ત્યારે તે દ્રવ્ય અતિ અને નાસ્તિ છે. જે કારણથી આદેશથી વિશેષિત છે-અવયવભાગથી વિશેષિત છે. ll૧/૩૭ના ટીકા - अथ इति यदा देशो-वस्तुनोऽवयवः, सद्भावेऽस्तित्वे नियतः='सनेवायम्' इत्येवं निश्चितः, अपरश्च देशोऽसद्भावपर्याये-नास्तित्व एव, नियतः-'असन्नेवायम्' इत्यवगतः, अवयवेभ्योऽवयविनः कथञ्चिदभेदाद् अवयवधर्मस्तस्यापि तथाव्यपदेशः यथा 'कुण्ठो देवदत्तः' इति, ततोऽवयवसत्त्वासत्त्वाभ्यामवयवी अपि सदसन् सम्भवति, ततः तद्-द्रव्यमस्ति च नास्ति चेति भवत्युभयप्रधानावयवभागेन विशेषितं यस्मात् । तथाहि-यद् अवयवेन विशिष्टधर्मेण आदिश्यते तद् अस्ति च नास्ति च भवति, तथा, स्वद्रव्यक्षेत्रकालभावैविभक्तो घटः स्वद्रव्यादिरूपेणास्ति परद्रव्यादिरूपेण च स एव नास्ति तथा च पुरुषादि वस्तु विवक्षितपर्यायेण बालादिना परिणतम्, कुमारादिना चापरिणतमित्यादिष्टमिति योज्यम् ।।१/३७।। ટીકાર્ચ - અથ તિ ... યોર્ અથ યદા અર્થમાં છે, તેથી જ્યારે દેશ=વસ્તુનો અવયવ, સદ્ભાવમાં અસ્તિત્વમાં, નિયત છે ‘સત્ જ આ છે' એ પ્રકારે નિશ્ચિત છે. અને અપરદેશ અસદ્ભાવ પર્યાયમાં નાસ્તિત્વમાં, નિયત છે="અસત્ જ આ છે એ પ્રમાણે અવગત છે. તે દ્રવ્ય અસ્તિ-નાસ્તિરૂપ છે એમ આગળ સાથે જોડાણ છે છતાં ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યો. ત્યાં શંકા થાય કે વસ્તુનો દેશ સદ્ભાવમાં નિયત હોય અને વસ્તુનો અન્ય દેશ અસદ્ભાવમાં નિયત હોય તો તેનાથી પ્રાપ્ત થતો ચોથો ભાંગો અવયવીનો બને નહીં, પરંતુ અવયવનો પ્રાપ્ત થાય. પ્રસ્તુતમાં અવયવીના ત્રણ ભાંગા બતાવ્યા પછી અવયવીનો ચોથો ભાંગો બતાવે છે, તેથી અવયવને આશ્રયીને કહેલા વિકલ્પો પણ અવયવીના છે તે બતાવવા અર્થે કહે છે -- અવયવોથી અવયવીનો કથંચિત્ અભેદ હોવાથી અવયવના ધર્મો વડે અવયવના અસ્તિત્વનાસ્તિત્વ ધર્મ વડે, તેનો પણ અવયવીનો પણ, તે પ્રકારે વ્યપદેશ છે=અસ્તિત્વ-નાસ્તિત્વરૂપે વ્યપદેશ છે. જે પ્રમાણે “કુંઠ દેવદત્ત' એ પ્રમાણે વ્યપદેશ થાય છે–દેવદત્તનો એક અવયવ કુંઠ હોય તો તે કુંઠ અવયવને કારણે દેવદત્ત પણ કુંઠ કહેવાય છે. તેથી=અવયવના સત્વ-અસત્વથી અવયવી પણ સત્અસત્ સંભવે છે, તેથી તે=અવયવીરૂપ દ્રવ્ય, અતિ અને તાસિ એ રૂપે થાય છે જે કારણથી ઉભય પ્રધાન એવો અવયવના ભાગથી વિશેષિત છે=પ્રથમ ભાંગામાં જેમ અતિ પ્રધાન હતું અને નાસ્તિ For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy