SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ / પ્રથમ કાંડ | ગાથા-૩૪ ૧૩૩ न भिद्यते-व्यञ्जनपर्यायमतेन पुरुषवस्तु सदा अविकल्पम् भेदं न प्रतिपद्यत इति यावत्, बालादिविकल्पं= बालादिभेदं, पुनस्तस्यैव पश्यति अर्थपर्यायः=ऋजुसूत्राद्यर्थनयः, अत्रापि विषयिणा विषयः ऋजुसूत्राद्यर्थनयविषयः अभिन्ने पुरुषरूपे भेदस्वरूपो निर्दिष्टः उपचारात्, एवं चाभिन्नं पुरुषवस्तु भेदं प्रतिपद्यत इति यावत् ।।१/३४।। ટીકાર્ય : શપાવિત્વઃ ..... તિ કાવત્ શબ્દપર્યાયથી પુરુષ-પુરુષ એ પ્રકારના શબ્દપર્યાયથી, અવિકલ્પપુરુષ છે. વળી, બાલ આદિરૂપ અર્થપર્યાયથી સવિકલ્પપુરુષ સિદ્ધ છે એ પ્રમાણે ગાથાનો તાત્પર્ધાર્થ છે. અર્થોને જે અભિવ્યક્ત કરે તે વ્યંજન=શબ્દ છે, પરંતુ શબ્દનાય નહીં=શબ્દનય વ્યંજન નથી. તેનું શબ્દનયતું. ઋજુસૂત્રરૂપ અર્થતયનું વિષયપણું છે એ પ્રમાણે કેટલાક કહે છે. તેનો=વ્યંજનનો, પર્યાય જન્મથી માંડીને મરણ પર્યન્ત યાવત્ અભિન્ન સ્વરૂપવાળા પુરુષદ્રવ્યનું પ્રતિપાદકપણું છે, તેના વશથી વ્યંજતપર્યાયના વશથી, તસ્મૃતિપાઘ એવું વસ્તુનું સ્વરૂપ અહીં ઉપચારથી ગ્રાહ્ય છે. અને આ રીતે બન્ને પણ આ વ્યંજનપર્યાયથી વાચ્ય શબ્દ અને વ્યંજનપર્યાયથી વાચ્ય અર્થ એ બન્ને પણ આ, પુરુષ, પુરુષ એ પ્રકારના અભેદરૂપપણાથી ભિન્ન થતા નથી. વ્યંજનપર્યાયના મતથી પુરુષવસ્તુ સદા અવિકલ્પ છે, ભેદને પ્રાપ્ત કરતું નથી. તેના જ પુરુષરૂપ વસ્તુના જ, બાલ આદિ વિકલ્પd=બાલ આદિ ભેદને, અર્થપર્યાય=ઋજુસૂત્ર આદિ અર્થમય, જુએ છે. અહીં પણ અર્થપર્યાયમાં પણ, વિષયી એવા જ્ઞાન દ્વારા અભિન્ન એવા પુરુષરૂપ વસ્તુમાં ઋજુસૂત્રાદિરૂપ અર્થયના વિષયવાળો ભેદસ્વરૂપ વિષય ઉપચારથી બતાવાયો. અને આ રીતે=ભંજનપર્યાયનું અને અર્થપર્યાયનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું એ રીતે, અભિન્ન એવી પુરુષવસ્તુ ભેદને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે અર્થ છે. II૧/૩૪ ભાવાર્થ : ગાથા-૩૨માં કહેલ કે “પુરુષરૂપ વ્યક્તિમાં જન્મથી માંડીને મરણ સુધી “આ પુરુષ છે” “આ પુરુષ છે' એ પ્રકારનો શબ્દપ્રયોગ થાય છે. તે પુરુષના પરિણતિના સંબંધવાળા બાલ આદિ ઘણા વિકલ્પો છે” તે કથનનો ઉપસંહાર કરતાં કહે છે – પુરુષ' “પુરુષ' એ પ્રકારના શબ્દપર્યાયથી અવિકલ્પરૂપ પુરુષ સિદ્ધ થાય છે=એકરૂપ પુરુષ સિદ્ધ થાય છે અને બાલ આદિરૂપ અર્થપર્યાયથી સવિકલ્પરૂપ પુરુષ સિદ્ધ થાય છે=અનેકરૂપ પુરુષ સિદ્ધ થાય છે. આ રીતે ગાથાનો અર્થ કર્યા પછી વ્યંજન શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે – અર્થોને જે વ્યક્ત કરે તે વ્યંજન. એથી શબ્દ એ વ્યંજન છે અર્થાત્ પુરુષ એ પ્રકારનો શબ્દ એ વ્યંજન છે. તે વ્યંજનનો પર્યાય એટલે જન્મથી માંડીને મરણ સુધી અભિન્ન સ્વરૂપવાળા પુરુષદ્રવ્યનો પ્રતિપાદક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy