SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨૬ GG ઉપદેશકના વચનથી નય-પ્રમાણનો બોધ થઈ શકે તોપણ અતિશ્રમથી થઈ શકે અને રત્નાવલીનું દૃષ્ટાંત આપવામાં આવે તો અનુભવસિદ્ધ દેખાતાં રત્નો અને તેમાંથી ઉચિત રીતે યોજનપૂર્વક બનેલી રત્નાવલી ઉપસ્થિત થાય છે. તે રીતે નયો કઈ રીતે રત્નો જેવા છે? અને ઉચિત રીતે ગોઠવાયેલા કઈ રીતે પ્રમાણ બને છે ? તેનો બોધ શ્રોતાને સુખપૂર્વક થાય છે. વળી જેમ રત્નાવલી માળારૂપે એક છે અને રત્નોના સમૂહરૂપે અનેક છે તેમ દેખાતી વસ્તુ દ્રવ્યરૂપે એક છે, પર્યાયરૂપે અનેક છે અને તે દ્રવ્ય-પર્યાયરૂપ એક અનેક ભાવોના વિષયને કહેનાર જે નય-પ્રમાણરૂપ વચન, તેના અવગમનું જનકપણું રત્નાવલી દૃષ્ટાંતમાં હોવાથી યોગ્ય જીવોને સ્યાદ્વાદના વચન દ્વારા એકઅનેકાત્મક પદાર્થનો સુખપૂર્વક બોધ થાય છે. વળી રત્નાવલીના દૃષ્ટાંતનો વિષય પ્રમાણ વચન છે અને તે પ્રમાણવચન અનંત ધર્માત્મક વસ્તુના પ્રરૂપક વાક્યરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે પર્વતમાં ધૂમને જોઈને અગ્નિનું દૃષ્ટાંત બતાવવામાં આવે છે તેના જેવું આ રત્નાવલીનું દૃષ્ટાંત નથી, પરંતુ પ્રમાણવાક્યના બોધ કરવાના વિષયવાળું છે. અને પ્રમાણવાક્ય અનંતધર્માત્મક વસ્તુનું પ્રરૂપક વાક્ય છે. આ ત્રણ કારણોથી દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુને સ્વીકારવામાં કોઈને શંકા થયેલી હોય તેના વ્યવચ્છેદ દ્વારા દરેક વસ્તુ દ્રવ્ય-પર્યાયરૂપ છે તેવા વિશ્વાસ માટે આ દૃષ્ટાંત બતાવાયું છે. આશય એ છે કે દૃષ્ટાંત બતાવવાના કારણે નય-પ્રમાણનો સુખપૂર્વક બોધ થાય છે અને દૃષ્ટાંતથી દરેક પદાર્થો દ્રવ્યરૂપે એક છે, પર્યાયરૂપે અનેક છે, તેના વિષયને કહેનારા શાસ્ત્રવચનોનો બોધ થાય છે. વળી રત્નાવલીના દૃષ્ટાંતનો વિષય પ્રમાણ છે એથી પ્રમાણના વિષયભૂત અનંત ધર્માત્મક વસ્તુના પ્રરૂપક એવા વાક્યનો બોધ થાય છે. આ ત્રણ કારણોને સામે રાખીને યોગ્ય જીવને પદાર્થ અનંત ધર્માત્મક છે અને પદાર્થ દ્રવ્ય-પર્યાયરૂપ છે એ વિષયમાં કોઈને શંકા હોય તો તેના વ્યવચ્છેદપૂર્વક જિનવચનાનુસાર દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુના વિષયમાં વિશ્વાસને ઉત્પન્ન કરવા અર્થે ગ્રંથકારશ્રીએ રત્નાવલીનું દૃષ્ટાંત બતાવેલ છે. અહીં કોઈને શંકા થાય કે માળા અવસ્થાથી પૂર્વે અને માળા અવસ્થાના નાશના ઉત્તરકાળમાં રત્નો પૃથક પ્રાપ્ત થાય છે અને રાષ્ટ્રતિકમાં સર્વદા પદાર્થ દ્રવ્ય-પર્યાયરૂપ હોવાથી પૂર્વમાં કે ઉત્તરમાં દ્રવ્યનો કે પર્યાયનો પૃથક ઉપલંભ થતો નથી માટે રત્નાવલીનું દૃષ્ટાંત વિષમ છે. તેના નિરાકરણ માટે કહે છે – માળા અવસ્થાનો જ ઉદાહરણપણારૂપે ઉપન્યાસ છે. રત્નાવલીથી પૃથગૂ રત્નો પૂર્વ-ઉત્તર અવસ્થામાં પ્રાપ્ત થાય છે, તેને આશ્રયીને પણ રત્નાવલીનું ઉદાહરણ નથી. તેથી રત્નાવલીની પૂર્વની અને ઉત્તરની અવસ્થાને ગ્રહણ કરીને દૃષ્ટાંત વિષમ છે તેમ કહી શકાય નહીં. અહીં પ્રશ્ન થાય કે રત્નાવલીમાં જેમ પૂર્વ અવસ્થામાં અને ઉત્તરઅવસ્થામાં રત્નો પૃથક્ પ્રાપ્ત થાય છે તેમ પ્રમાણના વિષયભૂત દ્રવ્ય અને પર્યાય પૂર્વમાં કે ઉત્તરમાં પૃથક પ્રાપ્ત થતા નથી. માટે રત્નાવલીના દૃષ્ટાંતમાં સર્વથા સમાનતા નથી માટે તેને દૃષ્ટાંત તરીકે કહી શકાશે નહીં. એથી કહે છે – દૃષ્ટાંત-દાષ્ટ્રતિકભાવનું સર્વથા સામ્ય નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy