________________
ગણિત-રહસ્ય (૧) આદિપદ અને અંત્યપદને સરવાળે કરે.
સરવાળે કરવા માટે જે સંખ્યાઓની સ્થાપના કરી હોય તેમાંની પહેલી સંખ્યાને આદિપદ સમજવું અને છેલ્લી સંખ્યાને અંત્યપદ સમજવું. (૨) આ રીતે જે સંખ્યા પ્રાપ્ત થાય તેને ગ૭થી
ગુણવી.
ગચ્છ એટલે સરવાળા માટેની કુલ સંખ્યાઓ. (૩) તેનું જે પરિણામ આવે તેને ૨ થી ભાગવું. (૪) જે ભાગ આવે તેની બરાબર સંખ્યાઓને
સરવાળે સમજે.
પ્રાચીન ગણિતમાં આવા સરવાળાને સંવર્ધન કહેવામાં આવ્યું છે.
હવે આ રીત અજમાવી જોઈએ, એટલે તેની અસરકારકતા ધ્યાનમાં આવશે.
દાખલા (૧) ૧ થી ૯ સુધીના અંકોને સરવાળે શું?
આ સમફરક સંખ્યાને જ દાખલે છે, કારણ કે બધા અંકે વચ્ચે એકસરખું ૧ નું અંતર છે. અહીં ૧ એ આદિપદ છે અને હું એ અંત્યપદ છે, તે બંનેને સરવાળે કરતાં ૧૦ ની સંખ્યા આવે છે. અહીં કુલ નવ રકમેને સરવાળે કરવાનો છે, એટલે ગચ્છની સંખ્યા ૯ છે. તેથી ૧૦ ને ૯ થી ગુણવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org