SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] સમફરક સંખ્યાઓને સરવાળો સમફરક સંખ્યાઓ કોને કહેવાય? તેને ઝડપી સરવાળે -ફરવાની રીત કઈ? અને તેને લગતે ચમત્કારિક પ્રયોગ શી રીતે થાય છે? તેનું સ્પષ્ટીકરણ આ પ્રકરણમાં કરવામાં આવ્યું છે. સમ એટલે સમાન, ફરક એટલે અંતર કે તફાવત. - તાત્પર્ય કે જે સંખ્યાઓની વચ્ચે એક સરખો ફરક, એક સરખું અંતર કે એક સરખે તફાવત હોય, તેને સમફરક - સંખ્યા કહેવાય છે. ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯ આ બધી સમફરક સંખ્યાઓ છે, કારણ કે તેમની વચ્ચે એકસરખું ૧ નું અંતર છે. ૩+૧=૪. ૪+ ૧ = પ. ૫ + ૧ = ૬. ૬+૧=૭ વગેરે. ૪, ૬, ૮, ૧૦, ૧૨, ૧૪ પણ સમફરક સંખ્યાઓ છે, કારણ કે તેમની વચ્ચે એકસરખું ૨ નું અંતર છે. ૪+ ૨ = ૬. ૬ + ૨ = ૮. ૮ + ૨ = ૧૦ વગેરે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy