________________
- ગણિત-રહસ્ય અહીં એટલું સમજવા જેવું છે કે ૧ થી ૯ સુધીના અંકે સ્વાવલંબી છે, એટલે કેઈનું અવલંબન લીધા વિના ' પિતાનું મૂલ્ય દર્શાવી શકે છે, જ્યારે પરાવલંબી હોવાથી અન્ય અંકનું અવલંબન ન મળે ત્યાં સુધી પોતાનું મૂલ્ય દર્શાવી શકતું નથી.
દાખલા તરીકે ૧, ૪, ૬ આ પ્રમાણે અંકે લખ્યા હોય તે તે અનુક્રમે એક, ચાર અને છ નું મૂલ્ય દર્શાવે છે, પણ ૦, ૦૦, ૦૦૦, ૦૦૦૦ આમ ગમે તેટલી શૂન્ય લખી હોય, તો તે કંઈ પણ મૂલ્ય દર્શાવતી નથી.
પરંતુ આ જ શુને અંકનું અવલંબન મળે, એટલે કે તેની પૂર્વે ૧ થી ૯ સુધીને કોઈ પણ અંક લખાય, તે તે પિતાનું વિશિષ્ટ મૂલ્ય અવશ્ય દર્શાવે છે. જેમકે–
૧૦ દશ ૩૦૦ ત્રણ ૫૦૦૦ પાંચ હજાર
તાત્પર્ય કે અંકે નવ નહિ, પણ દશ છે અને તે જ ગણિતને મુખ્ય આધાર છે.
આપણે ૨, ૩ અને ૭ એવા અંકે છૂટા લખીએ તે તેનું મૂલ્ય બે, ત્રણ અને સાત જ થાય છે, પણ આ જ અંક સંખ્યા રૂપે લખીએ તે તેનાં મૂલ્યમાં ઘણું વધારે થાય છે. જેમકે-૨૩૭ બસે સાડત્રીશ.
આ રીતે અંકનું મૂલ્ય વધવાનું કારણ અંકસ્થાનની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org