________________
[૧] આમુખ
અમોએ આ ગ્રંથની પૂર્વે રચેલા “ગણિત-ચમત્કાર” ગ્રંથમાં અંક અને સંખ્યાઓની કરામત અંગે, તેમજ સરવાળા, બાદબાકી, ગુણાકાર તથા ભાગાકારની રીતે અને તાળા અંગે કેટલીક રસપ્રદ સામગ્રી રજુ કરી હતી. વળી સર્વતભદ્ર યંત્રો અને મનને ધારેલે આંક કહેનારા યંત્રો વિષે પણ કેટલુંક વિવેચન કર્યું હતું. ઉપરાંત સહુ કોઈને મનમાં ચમત્કારિક અસર પેદા કરે તેવા સિદ્ધાંકના ત્રણ પ્રાગે, ગંજીફાના ચાર પ્રયોગ તથા બીજા પ્રકીર્ણ દશ પ્રવેગ આપ્યા હતા. તે સાથે અંક-વિનોદનું પણ એક પ્રકરણ લખ્યું હતું અને દેશ-વિદેશમાં પ્રચલિત કેયડાઓમાંથી ચૂંટી કાઢેલા સે જેટલા કેયડાઓ તથા તેના ઉત્તરની પણું રજૂઆત કરી હતી. તેણે શાળા-મહાશાળાઓના છાને, તેમ જ વિદ્યારસિક નરનારીઓને ઉત્તમ કોટિનું મનરંજન પૂરું પાડ્યું છે અને ગણિતની ગહનતાને કેટલાક ચાલ પણ આપ્યા છે..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org