________________
જ્ઞાનસમૃદ્ધિને તાજી બનાવવાથી પાછળ પડી ગયેલું હિંદુસ્તાન દુનિયાની હરોળમાં પહેલે નંબરે આવી શકશે. એ દૃષ્ટિએ અત્યંત મહત્વનું છે કે પંડિત શ્રી ધીરજલાલભાઈ જેવા ગણિતશાસ્ત્રના ઊંડા અભ્યાસીની પૂરેપૂરી કદર થાય અને એમના જ્ઞાનને તાજું કરવાના અને વિકસાવવાના પ્રયત્નને પૂરેપૂરું અનુમોદન મળે અને ઉત્સાહથી આવકારવામાં આવે. જો આમ થશે તે જ્ઞાનગંગાને પ્રવાહ અખલિત કરવામાં વખત નહિ લાગે, એવી મારી ખાતરી છે.
વાચકોને મારી વિનંતિ છે કે જ્યાં જ્યાં સમજતાં વાર લાગે ત્યાં ત્યાં વધારે શ્રમ લે. તેઓ જેટલો શ્રમ લેશે, તેટલા જ આનંદના ભક્તા બનશે અને જ્ઞાનસમૃદ્ધિના પ્રવાહને વેગવંતે બનાવશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org