SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ કારેલે પ્રશ્ન કહેવાની રીત ૧૧૫ આ યંત્ર જિજ્ઞાસુ આગળ ધરીને એમ કહેવામાં આવે છે કે તમે આમાંને કેઈપણુ આંક (સંખ્યા) ધારે અને તે કયા સ્તંભમાં છે? એટલું જ કહે, એટલે તમારે ધારેલો આંક કહી આપવામાં આવશે. જિજ્ઞાસુ અમુક આંક ધારે છે અને બધા સ્તંભે જઈને કહે છે કે મારે ધારેલો આંક અમુક અમુક સ્તંભમાં છે, એટલે ગણિતજ્ઞ તેના મથાળે રહેલા આંકને સરવાળે કરીને કહે છે કે તમારે ધારેલે આંક અમુક છે. દાખલા તરીકે જિજ્ઞાસુએ ૩ ને આંક ધાર્યો છે, તે તે એમ કહેશે કે મારે ધારેલો આંક પહેલા અને બીજા સ્તંભમાં છે. તે પહેલા સ્તંભના મથાળે ૧ છે અને બીજા સ્તંભના મથાળે ૨ છે. તેને સરવાળો કરતાં ૩ ને આંક આવે છે, માટે તેણે ધારેલે અંક ૩ જ છે. ૧ + ૨ ના સજનથી ૩ ને આંક બને છે, એટલે તે ૧ અને ૨ સંખ્યાવાળા સ્તંભમાં લખેલું છે. તે સિવાય અન્ય કેઈ સ્તંભમાં લખેલ નથી. ધારેલે આંક પહેલા તથા બીજા સ્તંભમાં છે, તેને અર્થ જ એ કે ૧૨ ના સંયેજનથી જે આંક થાય, તે ધારવામાં આવ્યું છે. સામાન્ય માણસને પાંચ સંખ્યાના આ સંજનને ખ્યાલ આવતું નથી, એટલે તેઓ આશ્ચર્ય પામે છે, પરંતુ આ બધું ગણિતની પ્રક્રિયા અનુસાર બને છે. અહીં એટલું ચાદ રાખવું ઘટે કે આ જગતમાં જે જે ક્રિયાઓ કે ઘટનાઓ બને છે, તે ચોક્કસ નિયમના આધારે જ બને છે; નિયમ વિના કેઈ પણ ઘટના બનતી નથી, પરંતુ આપણે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy