________________
પ્રકાશકીય
સને ૧૯૬૫ ના જાન્યુઆરી માસની ૧૭મી તારીખે સુંદરબાઈ હોલ (કવીન્સ રેડ, મુંબઈ) ખાતે મુંબઈના માનનીય મેયર ડે. બી. પી. દવગીની અધ્યક્ષતામાં યોજાયેલ ભવ્ય સમારોહમાં
ગણિત-ચમત્કાર” ગ્રંથ પ્રસિદ્ધ થયો અને તે વડોદરાના વિદ્યાપ્રેમી શ્રીમંત મહારાજા ફતેસિંહરાવ ગાયકવાડને સાદર સમર્પણ કરવામાં આવ્યો, ત્યારે ઉત્સાહનાં અનેરાં દૃશ્યો સજર્યા હતાં. આ સમારોહમાં મુંબઈના શેરીફ, જાણીતા મ્યુનિસિપલ કોર્પોરેટર તથા અન્ય આગેવાનોની હાજરી ધ્યાન ખેંચનારી હતી. એ વખતે શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહે ગણિતના જે પ્રયોગ કરી બતાવ્યા, તેણે પ્રેક્ષકોને અત્યંત આશ્ચર્ય મુગ્ધ કર્યા હતા. ,
ત્યારબાદ શ્રીમંત મહારાજ શ્રી ફત્તેસિંહરાવ ગાયકવાડે આ વિષયમાં ઊંડે રસ લીધો અને સુપ્રસિદ્ધ રાષ્ટ્રસેવક તથા ગણિતના મર્મજ્ઞ શ્રીમાન કે. કે. શાહે આ ગ્રંથને સેલ્લાસ સત્કાર કરી તેને વિતરણને વેગ આપવા માટે “મહારાજા સયાજીરાવ હીરક મહોત્સવ તથા સ્મારક નિધિ” તેમજ “મહારાજા ફત્તેસિંહરાવ ચેરીટી ટ્રસ્ટના ટ્રસ્ટી–બોર્ડને ખાસ ભલામણ કરી. પરિણામે આ બંને-ટ્રસ્ટના ટ્રસ્ટી મહાશયોએ આ ગ્રંથની અનુક્રમે ૫૦૦ તથા ૧૦૦ પ્રતિ પૂરાં મૂલ્ય ખરીદી, તેનું ગુજરાતના પુસ્તકાલયોને વિતરણ કર્યું, તેથી અમારા ઉત્સાહને વેગ મળ્યો અને ત્યારબાદ માત્ર દોઢ વર્ષના ગાળામાં જ અમે ગણિત-ચમત્કારની વિશિષ્ટ પુતિરૂપ આ
ગણિત-રહસ્ય નામનો ગ્રંથ પ્રકટ કરવા શક્તિમાન થયા. તે માટે અમે આ સર્વે મહાનુભાવોને અંતઃકરણથી આભાર માનીએ છીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org