SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા (૧૫૫) બે શિલ્પીઓ એક ગામમાં બે શિલ્પીઓ રહેતા હતા. બંને જણા પોતાની કળામાં કુશળ હતા, પરંતુ એક ખૂબ ખરચાળ હતો અને બીજો બહુ કરકસરિયો હતો. આથી પહેલાના માથે રૂપિયા ૫૦૦ દેવું થયું અને બીજાની પાસે રૂપિયા ૫૦૦ની મૂડી થઈ. હવે એક વખત તે ગામના એક કલાપ્રેમી સદ્ગહસ્થ બંનેની કલાઓ ખરીદી અને તે બદલ રોકડા પૈસા ન આપતાં પહેલાંને ૪ ઘોડા અને બીજાને ૨ ઘોડા આપ્યા. હવે તે શિલ્પીઓએ સરખા ભાવે જ એ ઘોડા વેચી નાખ્યા. તેથી બંનેની સ્થિતિ સરખી થઈ ગઈ, તો બંનેએ કેટકેટલા રૂપિયે ઘોડા વેચ્યા હશે ? (૧૫૬) પૈસાની પેટીઓ ત્રેવડ એ ત્રીજો ભાઈ છે. થોડી થોડી રકમ બચાવતાં પણ સરવાળે મોટી રકમ ભેગી થાય છે અને તે ખરા વખતે ખપ લાગે છે. કરુણાશંકર ત્રિવેદીએ આ વાત મનુ, મુગટ, નાનું અને નવીન નામના પોતાના ચારેય પુત્રોને બરાબર સમજાવી હતી, એટલે તેઓ પોતાના ખિસ્સાખર્ચમાંથી થોડી થોડી રકમ બચાવતા હતા. એક દિવસ કરુણાશંકરે ચારેય જણને પૈસા રાખવાની પેટીઓ આપી, એટલે તેમણે પોતાની બચાવેલી રકમ તે પેટીઓમાં મૂકી. પછી તેની ગણતરી કરી તો જણાયું કે મનુ પાસે જો ૨ રૂપિયા વધારે હોત, મુગટ પાસે જો ૨ રૂપિયા ઓછા હોત, નાનુ પાસે જો બમણા રૂપિયા હોત અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy