SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા સામાન્ય રીતે માણસની વરસગાંઠ દરેક વરસે આવે છે, પણ એક માણસની વરસગાંઠ ૦ વર્ષમાં માત્ર ૧૫ વાર જ આવી, તેનું કારણ શું હશે? (૮૮). કેટલાક પ્રવાસીઓ નદીમાં પ્રવાસ કરી રહ્યા હતા. હવે નીચલા વહેણે તેમની હોડીએ ૨૦ માઈલની ઝડપે પ્રવાસ કર્યો. પરંતુ પાછા ફરતાં હોડી સામા પ્રવાહે ચાલી એટલે કલાકના ૧૫ માઈલનો પ્રવાસ કરી શકી. આથી તેમને જવા કરતાં આવવામાં પાંચ કલાક વધારે થયા, તો તેમણે કુલ કેટલો પ્રવાસ કર્યો હશે? (૮૯) એક પાસાને છ બાજુ હોય છે. હવે એવા પાંચ પાસા પર ૩૦ અક્ષરો લખી શકાય. આ પાસા જુદી જુદી કેટલી રીતે ગોઠવી શકાય ? (૯૦) એક વાર પોલીસોએ કોઈ છૂપી મંડળીના મથક પર દરોડો પાડ્યો, ત્યારે ત્યાંથી નીચે મુજબનું એક કાર્ડ મળી આવ્યું ઃ ભૈરવ મંડળ સભાસદના લવાજમનો દર કુલ રૂ. ૧૫૬-૫-૫ હવે સરકારી ખાતાનો ગુપ્તચર એટલું જાણતો હતો કે આ મંડળના સભ્યોની સંખ્યા ૫૦૦ ની અંદર છે અને લવાજમ દરેકનું એકસરખું છે. પરંતુ તે આ કાર્ડ પરથી નિર્ણય કરી શક્યો નહિ કે સભાસદનું લવાજમ કેટલું હશે અને સભાસદોની સંખ્યા કેટલી હશે ? શું તમે એનો જવાબ આપી શકશો. ખરા? (પ્રથમ રૂપિયા-આના-પાઈનું ચલણ હતું. તે વખતનો આ હિસાબ છે. ૧૨ પાઈ = ૧ આનો. ૧૬ આના = ૧ રૂપિયો.) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy